આજે છે ઈન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે, પણ કેમ? જાણો આ પોસ્ટમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:54:50

ભાષાંતર વ્યવસાય વિશે જાગૃતિ લાવવા અને ભાષા વ્યાવસાયિકોના કાર્યને બિરદાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને સેન્ટ જેરોમના તહેવારનો દિવસ કહેવામાં આવે છે. સેન્ટ જેરોમ એટલે કે પવિત્ર બાઈબલના અનુવાદક જેમણે બાઈબલનો અનુવાદ કર્યો હતો.


શું છે આ ભાષાંતર દિવસની થીમ

વર્ષ 2022ના ભાષાંતર દિવસને અલગ થીમ આપવામાં આવી છે. પ્રતિવર્ષ અલગ અલગ થીમ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ વખતે થીમ અપાઈ છે, (A World without Barriers: The Role of Language Professionals in Building Culture, Understanding and lasting Peace) એટલે કે "અવરોધ વિનાની દુનિયા: સંસ્કૃતિ, સમજણ અને સ્થાયી શાંતિના નિર્માણમાં ભાષા વ્યાવસાયિકોની ભૂમિકા." જ્યારે વર્ષ 2021માં થીમ હતી "યુનાઈટેડ ઈન ટ્રાન્સલેશન."


ક્યારથી ભાષાંતર દિવસની ઉજવણી કરાય છે?

24 મે 2017ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ 30 સપ્ટેમ્બરને ભાષાંતર દિવસની ઉજવણીનો નિર્ણય લીધો હતો. ભાષા વ્યાવસાયિકોના કામને બિરદાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


યુનાઈટેડ નેશન્સ ઉજવે છે કોન્ટેસ્ટ 

ભાષાંતર માટે યુનાઈટેડ નેશન્સ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ કોન્ટેસ્ટ દર વર્ષે મનાવવામાં આવે છે. સેન્ટ જેરોમ ટ્રાન્સલેશન કોન્ટેસ્ટમાં અરબી, ચાઈનિઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનનો સમાવેશ કરવામાં આવે છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.