આજે છે ઈન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે, પણ કેમ? જાણો આ પોસ્ટમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:54:50

ભાષાંતર વ્યવસાય વિશે જાગૃતિ લાવવા અને ભાષા વ્યાવસાયિકોના કાર્યને બિરદાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને સેન્ટ જેરોમના તહેવારનો દિવસ કહેવામાં આવે છે. સેન્ટ જેરોમ એટલે કે પવિત્ર બાઈબલના અનુવાદક જેમણે બાઈબલનો અનુવાદ કર્યો હતો.


શું છે આ ભાષાંતર દિવસની થીમ

વર્ષ 2022ના ભાષાંતર દિવસને અલગ થીમ આપવામાં આવી છે. પ્રતિવર્ષ અલગ અલગ થીમ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ વખતે થીમ અપાઈ છે, (A World without Barriers: The Role of Language Professionals in Building Culture, Understanding and lasting Peace) એટલે કે "અવરોધ વિનાની દુનિયા: સંસ્કૃતિ, સમજણ અને સ્થાયી શાંતિના નિર્માણમાં ભાષા વ્યાવસાયિકોની ભૂમિકા." જ્યારે વર્ષ 2021માં થીમ હતી "યુનાઈટેડ ઈન ટ્રાન્સલેશન."


ક્યારથી ભાષાંતર દિવસની ઉજવણી કરાય છે?

24 મે 2017ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ 30 સપ્ટેમ્બરને ભાષાંતર દિવસની ઉજવણીનો નિર્ણય લીધો હતો. ભાષા વ્યાવસાયિકોના કામને બિરદાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


યુનાઈટેડ નેશન્સ ઉજવે છે કોન્ટેસ્ટ 

ભાષાંતર માટે યુનાઈટેડ નેશન્સ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ કોન્ટેસ્ટ દર વર્ષે મનાવવામાં આવે છે. સેન્ટ જેરોમ ટ્રાન્સલેશન કોન્ટેસ્ટમાં અરબી, ચાઈનિઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનનો સમાવેશ કરવામાં આવે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.