આજે છે ઈન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે, પણ કેમ? જાણો આ પોસ્ટમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:54:50

ભાષાંતર વ્યવસાય વિશે જાગૃતિ લાવવા અને ભાષા વ્યાવસાયિકોના કાર્યને બિરદાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને સેન્ટ જેરોમના તહેવારનો દિવસ કહેવામાં આવે છે. સેન્ટ જેરોમ એટલે કે પવિત્ર બાઈબલના અનુવાદક જેમણે બાઈબલનો અનુવાદ કર્યો હતો.


શું છે આ ભાષાંતર દિવસની થીમ

વર્ષ 2022ના ભાષાંતર દિવસને અલગ થીમ આપવામાં આવી છે. પ્રતિવર્ષ અલગ અલગ થીમ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ વખતે થીમ અપાઈ છે, (A World without Barriers: The Role of Language Professionals in Building Culture, Understanding and lasting Peace) એટલે કે "અવરોધ વિનાની દુનિયા: સંસ્કૃતિ, સમજણ અને સ્થાયી શાંતિના નિર્માણમાં ભાષા વ્યાવસાયિકોની ભૂમિકા." જ્યારે વર્ષ 2021માં થીમ હતી "યુનાઈટેડ ઈન ટ્રાન્સલેશન."


ક્યારથી ભાષાંતર દિવસની ઉજવણી કરાય છે?

24 મે 2017ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ 30 સપ્ટેમ્બરને ભાષાંતર દિવસની ઉજવણીનો નિર્ણય લીધો હતો. ભાષા વ્યાવસાયિકોના કામને બિરદાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


યુનાઈટેડ નેશન્સ ઉજવે છે કોન્ટેસ્ટ 

ભાષાંતર માટે યુનાઈટેડ નેશન્સ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ કોન્ટેસ્ટ દર વર્ષે મનાવવામાં આવે છે. સેન્ટ જેરોમ ટ્રાન્સલેશન કોન્ટેસ્ટમાં અરબી, ચાઈનિઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનનો સમાવેશ કરવામાં આવે છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .