16 દિવસના શ્રાદ્ધનો આજે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:56:08

હિંદુ શાસ્ત્રો પ્રમાણે મનુષ્યને 3 ઋણ ચૂકવવાના હોય છે. એક છે દેવ ઋણ, બીજુ છે પિતૃ ઋણ અને ત્રીજુ છે ઋષિ ઋણ. પોતાના પિતૃઓને યાદ કરવાનો શ્રેષ્ઠ સમય છે પિતૃપક્ષ. શ્રાદ્ધના દિવસોમાં  જીવાત્મા પિતૃલોક છોડી ધરતીલોક પર આવીને તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાદ્ધ દરમિયાન પરિવારના સભ્યો પોતાના વડીલોને યાદ કરી તેમની પાછળ તર્પણ તેમજ પિંડદાન કરે છે. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. સર્વ પિતૃ અમાસ સુધી એટલે કે 16 દિવસ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય છે. તે દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા તર્પણ કરવામાં આવે છે.

   Pitru Paksha 2021 Shradh Tarpan Vidhi Method Of Worshiping know how to do  Shardh And Tarpan : पितृ पक्ष 2021: पितरों को प्रसन्न करने के लिए इस विधि  से करें तर्पण, घर

તર્પણ તેમજ પિંડદાન કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન 

પિતૃઓને પ્રસન્ન કરવાનો પર્વ 25 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. સર્વ પિતૃ અમાસ રવિવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. જો પિતૃ પક્ષમાં કોઈનું શ્રાદ્ધ ન કર્યું હોય અથવા તો તિથિની જાણ ન હોય તે લોકો  સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના આશીર્વાદ મેળવવા તર્પણ તેમજ પિંડદાન કરવામાં આવે છે. પાણીમાં કાળા તલ, દૂધ, ફૂલ, કુશનું મિશ્રણ કરીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તર્પણ કરતી વખતે કુશનો ઉપયોગ કરવાથી પિતૃઓને જલ્દી તુપ્તિ મળે છે.

Pitru Tarpan in Shradh Paksha


પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મળે છે પિતૃઓના આશીર્વાદ

સર્વ પિતૃ અમાવસને પિતૃ વિસર્જનની અમાવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધમાં કરેલું દાન પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે. જો કોઈ પણ કારણસર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ નથી કરી શક્યા તો સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને યાદ કરી દાન આપવું જોઈએ. બ્રાહ્મણને ભોજન તેમજ તેમને દક્ષિણા આપવાથી પિતૃઓ પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે. ઉપરાંત શ્રાદ્ધમાં બનાવેલું ભોજન ગાય તેમજ કાગડા માટે કાઢવામાં આવે છે. શ્રાદ્ધમાં ખીરનું વિશેષ મહત્વ રહેલું છે. ખીર પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શુભાશિષ આપે છે. જો પિતૃઓના આશીર્વાદ પરિવાર પર રહે છે અને તેઓ  રાજી થાય તો ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ હમેશાં માટે રહે છે. 

In The Memory Of … | All About Belgaum

શા માટે શ્રાદ્ધમાં હોય છે ખીર અને કાગડાનું મહત્વ

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આપણો સંદેશ પિતૃઓ સુધી કાગડો પહોંચાડે છે. કાગડો સંદેશવાહકનું કામ કરે છે. કાગડાને ખીર તેમજ દૂધપાક ખવડાવવાંથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભાદરવા મહિનામાં શરદી અને તાવના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ આ સમય દરમિયાન વધી જતું હોય છે. તે માટે ભાદરવામાં તેમજ આસો મહિનામાં પિત્ત શાંત થાય તેવો આહાર લેવામાં આવે છે. શરદપૂનમના દિવસે આ કારણોસર જ દૂધપૌંઆ ખાવવાની પરંપરા આપણે ત્યાં હજી પણ ચાલી રહી છે.

स्वादिष्ट दूधपोहा बनाने की विधि | Quick Doodh Poha Recipe - YouTube


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.