16 દિવસના શ્રાદ્ધનો આજે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 10:56:08

હિંદુ શાસ્ત્રો પ્રમાણે મનુષ્યને 3 ઋણ ચૂકવવાના હોય છે. એક છે દેવ ઋણ, બીજુ છે પિતૃ ઋણ અને ત્રીજુ છે ઋષિ ઋણ. પોતાના પિતૃઓને યાદ કરવાનો શ્રેષ્ઠ સમય છે પિતૃપક્ષ. શ્રાદ્ધના દિવસોમાં  જીવાત્મા પિતૃલોક છોડી ધરતીલોક પર આવીને તૃપ્તિની ઝંખના કરે છે. શ્રાદ્ધ દરમિયાન પરિવારના સભ્યો પોતાના વડીલોને યાદ કરી તેમની પાછળ તર્પણ તેમજ પિંડદાન કરે છે. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. સર્વ પિતૃ અમાસ સુધી એટલે કે 16 દિવસ શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય છે. તે દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા તર્પણ કરવામાં આવે છે.

   Pitru Paksha 2021 Shradh Tarpan Vidhi Method Of Worshiping know how to do  Shardh And Tarpan : पितृ पक्ष 2021: पितरों को प्रसन्न करने के लिए इस विधि  से करें तर्पण, घर

તર્પણ તેમજ પિંડદાન કરવાથી પિતૃઓ થાય છે પ્રસન્ન 

પિતૃઓને પ્રસન્ન કરવાનો પર્વ 25 સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. સર્વ પિતૃ અમાસ રવિવારે હોવાથી તેનું મહત્વ વધી ગયું છે. જો પિતૃ પક્ષમાં કોઈનું શ્રાદ્ધ ન કર્યું હોય અથવા તો તિથિની જાણ ન હોય તે લોકો  સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરી પિતૃઓને પ્રસન્ન કરી શકે છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના આશીર્વાદ મેળવવા તર્પણ તેમજ પિંડદાન કરવામાં આવે છે. પાણીમાં કાળા તલ, દૂધ, ફૂલ, કુશનું મિશ્રણ કરીને પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તર્પણ કરતી વખતે કુશનો ઉપયોગ કરવાથી પિતૃઓને જલ્દી તુપ્તિ મળે છે.

Pitru Tarpan in Shradh Paksha


પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી મળે છે પિતૃઓના આશીર્વાદ

સર્વ પિતૃ અમાવસને પિતૃ વિસર્જનની અમાવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધમાં કરેલું દાન પિતૃઓ સુધી પહોંચે છે અને પિતૃઓ આશીર્વાદ આપે છે. જો કોઈ પણ કારણસર શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને યાદ નથી કરી શક્યા તો સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને યાદ કરી દાન આપવું જોઈએ. બ્રાહ્મણને ભોજન તેમજ તેમને દક્ષિણા આપવાથી પિતૃઓ પરિવાર પર કૃપા દ્રષ્ટિ રાખે છે. ઉપરાંત શ્રાદ્ધમાં બનાવેલું ભોજન ગાય તેમજ કાગડા માટે કાઢવામાં આવે છે. શ્રાદ્ધમાં ખીરનું વિશેષ મહત્વ રહેલું છે. ખીર પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ શુભાશિષ આપે છે. જો પિતૃઓના આશીર્વાદ પરિવાર પર રહે છે અને તેઓ  રાજી થાય તો ઘરમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ હમેશાં માટે રહે છે. 

In The Memory Of … | All About Belgaum

શા માટે શ્રાદ્ધમાં હોય છે ખીર અને કાગડાનું મહત્વ

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આપણો સંદેશ પિતૃઓ સુધી કાગડો પહોંચાડે છે. કાગડો સંદેશવાહકનું કામ કરે છે. કાગડાને ખીર તેમજ દૂધપાક ખવડાવવાંથી પિતૃઓ તૃપ્ત થાય છે. ભાદરવા મહિનામાં શરદી અને તાવના દર્દીઓની સંખ્યા વધતી હોય છે. આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ આ સમય દરમિયાન વધી જતું હોય છે. તે માટે ભાદરવામાં તેમજ આસો મહિનામાં પિત્ત શાંત થાય તેવો આહાર લેવામાં આવે છે. શરદપૂનમના દિવસે આ કારણોસર જ દૂધપૌંઆ ખાવવાની પરંપરા આપણે ત્યાં હજી પણ ચાલી રહી છે.

स्वादिष्ट दूधपोहा बनाने की विधि | Quick Doodh Poha Recipe - YouTube


પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.