પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો આજે અંતિમ દિવસ, રાષ્ટ્રગીત ગાયા બાદ સિંગર મિલબેને PMના ચરણ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-24 13:58:46

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન અનેક હસ્તીઓ સાથે તેમણે બઠક કરી હતી. પીએમ મોદીનું સ્વાગત વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પીએમ માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલા પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું તે બાદ સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિ પક્ષીય બેઠકો પણ થઈ હતી. અમેરિકી સંસદમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું અને સંસદ ભવન મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું. જે ઘટના ભારતમાં 9 વર્ષના સમય દરમિયાન નથી થઈ તે અમેરિકામાં બની હતી. અમેરિકામાં પીએમ મોદીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારે આજે તેમના યુએસ પ્રવાસનો અંતિમ દિવસ હતો. જો બાઈડને પીએમ મોદીએ AI લખેલી ટી શર્ટ ભેટમાં આપી. 

બાઈડને મોદીને લાલ કલરની ટી-શર્ટ ભેટમાં આપી હતી.


H-1B વિઝા માટે પીએમ મોદીએ કહી આ વાત

પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ડાયસ્પોરાને સંબોધવા રોનાલ્ડ રીગન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા તેમણે અનેક મહત્વની વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં મેં જો બાઈડેન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું અનુભવથી કહું છું કે બાઈડેન એક અનુભવી પીઢ નેતા છે. તેમણે કહ્યું કે હવે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. આજે, વિશ્વ બે મહાન લોકશાહીની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે. અમેરિકા અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ છે.

    



આંતરરાષ્ટ્રીય સિંગર પીએમ મોદીને પગે લાગ્યું  

પીએમ મોદીના સંબોધને તો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું પરંતુ લોકો ત્યારે વધારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેન પીએમ મોદીને પગે લાગ્યા. રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય ગાયીકાએ ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે તે પીએમ મોદીને પગે લાગી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા મૈરી મિલબેને જણાવ્યું કે હું સન્માનિત મહેસુસ કરી રહી છું. મહત્વનું છે કે જ્યારે અમેરિકી સંસદમાં પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તાળીઓનો ગડગડાટ સંભળાતો હતો, અનેક વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. સેલ્ફી માટે પણ લાઈનો જોવા મળી હતી. પીએમ મોદીના અમેરિકી પ્રવાસથી ભારતને ફાયદો થશે.     



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.