પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો આજે અંતિમ દિવસ, રાષ્ટ્રગીત ગાયા બાદ સિંગર મિલબેને PMના ચરણ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-24 13:58:46

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન અનેક હસ્તીઓ સાથે તેમણે બઠક કરી હતી. પીએમ મોદીનું સ્વાગત વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પીએમ માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલા પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું તે બાદ સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિ પક્ષીય બેઠકો પણ થઈ હતી. અમેરિકી સંસદમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું અને સંસદ ભવન મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું. જે ઘટના ભારતમાં 9 વર્ષના સમય દરમિયાન નથી થઈ તે અમેરિકામાં બની હતી. અમેરિકામાં પીએમ મોદીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારે આજે તેમના યુએસ પ્રવાસનો અંતિમ દિવસ હતો. જો બાઈડને પીએમ મોદીએ AI લખેલી ટી શર્ટ ભેટમાં આપી. 

બાઈડને મોદીને લાલ કલરની ટી-શર્ટ ભેટમાં આપી હતી.


H-1B વિઝા માટે પીએમ મોદીએ કહી આ વાત

પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ડાયસ્પોરાને સંબોધવા રોનાલ્ડ રીગન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા તેમણે અનેક મહત્વની વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં મેં જો બાઈડેન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું અનુભવથી કહું છું કે બાઈડેન એક અનુભવી પીઢ નેતા છે. તેમણે કહ્યું કે હવે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. આજે, વિશ્વ બે મહાન લોકશાહીની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે. અમેરિકા અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ છે.

    



આંતરરાષ્ટ્રીય સિંગર પીએમ મોદીને પગે લાગ્યું  

પીએમ મોદીના સંબોધને તો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું પરંતુ લોકો ત્યારે વધારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેન પીએમ મોદીને પગે લાગ્યા. રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય ગાયીકાએ ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે તે પીએમ મોદીને પગે લાગી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા મૈરી મિલબેને જણાવ્યું કે હું સન્માનિત મહેસુસ કરી રહી છું. મહત્વનું છે કે જ્યારે અમેરિકી સંસદમાં પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તાળીઓનો ગડગડાટ સંભળાતો હતો, અનેક વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. સેલ્ફી માટે પણ લાઈનો જોવા મળી હતી. પીએમ મોદીના અમેરિકી પ્રવાસથી ભારતને ફાયદો થશે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.