પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો આજે અંતિમ દિવસ, રાષ્ટ્રગીત ગાયા બાદ સિંગર મિલબેને PMના ચરણ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-24 13:58:46

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન અનેક હસ્તીઓ સાથે તેમણે બઠક કરી હતી. પીએમ મોદીનું સ્વાગત વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પીએમ માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલા પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું તે બાદ સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિ પક્ષીય બેઠકો પણ થઈ હતી. અમેરિકી સંસદમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું અને સંસદ ભવન મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું. જે ઘટના ભારતમાં 9 વર્ષના સમય દરમિયાન નથી થઈ તે અમેરિકામાં બની હતી. અમેરિકામાં પીએમ મોદીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારે આજે તેમના યુએસ પ્રવાસનો અંતિમ દિવસ હતો. જો બાઈડને પીએમ મોદીએ AI લખેલી ટી શર્ટ ભેટમાં આપી. 

બાઈડને મોદીને લાલ કલરની ટી-શર્ટ ભેટમાં આપી હતી.


H-1B વિઝા માટે પીએમ મોદીએ કહી આ વાત

પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ડાયસ્પોરાને સંબોધવા રોનાલ્ડ રીગન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા તેમણે અનેક મહત્વની વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં મેં જો બાઈડેન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું અનુભવથી કહું છું કે બાઈડેન એક અનુભવી પીઢ નેતા છે. તેમણે કહ્યું કે હવે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. આજે, વિશ્વ બે મહાન લોકશાહીની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે. અમેરિકા અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ છે.

    



આંતરરાષ્ટ્રીય સિંગર પીએમ મોદીને પગે લાગ્યું  

પીએમ મોદીના સંબોધને તો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું પરંતુ લોકો ત્યારે વધારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેન પીએમ મોદીને પગે લાગ્યા. રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય ગાયીકાએ ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે તે પીએમ મોદીને પગે લાગી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા મૈરી મિલબેને જણાવ્યું કે હું સન્માનિત મહેસુસ કરી રહી છું. મહત્વનું છે કે જ્યારે અમેરિકી સંસદમાં પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તાળીઓનો ગડગડાટ સંભળાતો હતો, અનેક વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. સેલ્ફી માટે પણ લાઈનો જોવા મળી હતી. પીએમ મોદીના અમેરિકી પ્રવાસથી ભારતને ફાયદો થશે.     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?