આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, સોમનાથ મંંદિરમાં ઉમટી ભાવિકોની ભીડ


  • Published By :
  • Published Date : 2023-09-11 14:23:11

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મહાદેવની પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. ભોળેનાથને રિઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન શિવાલયોમાં તેમજ જ્યોતિર્લિગોમાં કરવામાં આવે છે. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળતી હોય છે પરંતુ શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ મહિના દરમિયાન શિવાલયમાં દર્શન માટે નથી જઈ શક્તો તો સોમવારે તો જવાનો પ્રયત્ન કરે છે. મહાદેવજીને સોમવાર અતિપ્રિય છે. 


શ્રાવણ મહિના દરમિયાન આવે છે અનેક તહેવાર 

દેવાધિ દેવ મહાદેવની પૂજા કરવાનું મહત્વ અનેરું છે. અને તેમાં પણ શ્રાવણ મહિના દરમિયાન ભક્તો મહાદેવને રિઝવવા માટે પ્રયાસ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ આ મહિનામાં થાય છે, બળેવ એટલે રક્ષાબંધનની ઉજવણી પણ આ મહિનામાં થાય છે. ત્યારે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શિવાલયોમાં અને તેમાં પણ જ્યોતિર્લિંગોમાં ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટે છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 



તહેવારને અનુરૂપ સોમનાથ મંદિરમાં કરાય છે દર્શન 

12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે. સોમનાથ દાદાને તહેવાર અનુસાર તૈયાર કરવામાં આવે છે. જે તહેવાર હોય તેવા રૂપને, તે પ્રસંગને ધ્યાનમાં રાખી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી કૃષ્ણજન્મોત્સવનો શ્રુંગાર ભગવાનને કરવામાં આવ્યો હતો ત્યારે કાલે વૈષ્ણવ થીમ પર ભગવાનને તૈયાર કરવામાં આવ્યા હતા. સોમનાથ સહિત ગુજરાતભરના શિવાલયો મહાદેવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનું માનવ મહેરામણ મંદિરમાં ઉમટ્યું છે. વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોની જામશે ભીડ

સોમનાથ સિવાય પણ રાજ્યના અનેક શિવાલયોમાં શ્રાવણનો અંતિમ સોમવાર હોવાને કારણે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. રૂદ્રાભિષેક કરી મહાદેવજીને રિઝવવાનો પ્રયાસ ભક્તો કરતા હોય છે. મહાદેવજીને પ્રિય એવા બિલીપત્રો પણ આ મહિના દરમિયાન ભગવાન શંકરને વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે શિવાલયોના નાદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠવાના છે. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.