આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, સોમનાથ મંંદિરમાં ઉમટી ભાવિકોની ભીડ


  • Published By :
  • Published Date : 2023-09-11 14:23:11

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મહાદેવની પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. ભોળેનાથને રિઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન શિવાલયોમાં તેમજ જ્યોતિર્લિગોમાં કરવામાં આવે છે. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળતી હોય છે પરંતુ શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ મહિના દરમિયાન શિવાલયમાં દર્શન માટે નથી જઈ શક્તો તો સોમવારે તો જવાનો પ્રયત્ન કરે છે. મહાદેવજીને સોમવાર અતિપ્રિય છે. 


શ્રાવણ મહિના દરમિયાન આવે છે અનેક તહેવાર 

દેવાધિ દેવ મહાદેવની પૂજા કરવાનું મહત્વ અનેરું છે. અને તેમાં પણ શ્રાવણ મહિના દરમિયાન ભક્તો મહાદેવને રિઝવવા માટે પ્રયાસ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ આ મહિનામાં થાય છે, બળેવ એટલે રક્ષાબંધનની ઉજવણી પણ આ મહિનામાં થાય છે. ત્યારે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શિવાલયોમાં અને તેમાં પણ જ્યોતિર્લિંગોમાં ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટે છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 



તહેવારને અનુરૂપ સોમનાથ મંદિરમાં કરાય છે દર્શન 

12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે. સોમનાથ દાદાને તહેવાર અનુસાર તૈયાર કરવામાં આવે છે. જે તહેવાર હોય તેવા રૂપને, તે પ્રસંગને ધ્યાનમાં રાખી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી કૃષ્ણજન્મોત્સવનો શ્રુંગાર ભગવાનને કરવામાં આવ્યો હતો ત્યારે કાલે વૈષ્ણવ થીમ પર ભગવાનને તૈયાર કરવામાં આવ્યા હતા. સોમનાથ સહિત ગુજરાતભરના શિવાલયો મહાદેવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનું માનવ મહેરામણ મંદિરમાં ઉમટ્યું છે. વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોની જામશે ભીડ

સોમનાથ સિવાય પણ રાજ્યના અનેક શિવાલયોમાં શ્રાવણનો અંતિમ સોમવાર હોવાને કારણે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. રૂદ્રાભિષેક કરી મહાદેવજીને રિઝવવાનો પ્રયાસ ભક્તો કરતા હોય છે. મહાદેવજીને પ્રિય એવા બિલીપત્રો પણ આ મહિના દરમિયાન ભગવાન શંકરને વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે શિવાલયોના નાદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠવાના છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.