આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, સોમનાથ મંંદિરમાં ઉમટી ભાવિકોની ભીડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-11 14:23:11

શ્રાવણ મહિના દરમિયાન દેવાધિ દેવ મહાદેવની પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. ભોળેનાથને રિઝવવા માટે વિશેષ પૂજાનું આયોજન શિવાલયોમાં તેમજ જ્યોતિર્લિગોમાં કરવામાં આવે છે. આમ તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળતી હોય છે પરંતુ શ્રાવણ મહિનાના સોમવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જો કોઈ ભક્ત આખા શ્રાવણ મહિના દરમિયાન શિવાલયમાં દર્શન માટે નથી જઈ શક્તો તો સોમવારે તો જવાનો પ્રયત્ન કરે છે. મહાદેવજીને સોમવાર અતિપ્રિય છે. 


શ્રાવણ મહિના દરમિયાન આવે છે અનેક તહેવાર 

દેવાધિ દેવ મહાદેવની પૂજા કરવાનું મહત્વ અનેરું છે. અને તેમાં પણ શ્રાવણ મહિના દરમિયાન ભક્તો મહાદેવને રિઝવવા માટે પ્રયાસ કરતા હોય છે. શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ પણ આ મહિનામાં થાય છે, બળેવ એટલે રક્ષાબંધનની ઉજવણી પણ આ મહિનામાં થાય છે. ત્યારે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી શિવાલયોમાં અને તેમાં પણ જ્યોતિર્લિંગોમાં ભગવાનનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટે છે. ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 



તહેવારને અનુરૂપ સોમનાથ મંદિરમાં કરાય છે દર્શન 

12 જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે. સોમનાથ દાદાને તહેવાર અનુસાર તૈયાર કરવામાં આવે છે. જે તહેવાર હોય તેવા રૂપને, તે પ્રસંગને ધ્યાનમાં રાખી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે છે. જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી કૃષ્ણજન્મોત્સવનો શ્રુંગાર ભગવાનને કરવામાં આવ્યો હતો ત્યારે કાલે વૈષ્ણવ થીમ પર ભગવાનને તૈયાર કરવામાં આવ્યા હતા. સોમનાથ સહિત ગુજરાતભરના શિવાલયો મહાદેવજીના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તોનું માનવ મહેરામણ મંદિરમાં ઉમટ્યું છે. વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોની જામશે ભીડ

સોમનાથ સિવાય પણ રાજ્યના અનેક શિવાલયોમાં શ્રાવણનો અંતિમ સોમવાર હોવાને કારણે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. રૂદ્રાભિષેક કરી મહાદેવજીને રિઝવવાનો પ્રયાસ ભક્તો કરતા હોય છે. મહાદેવજીને પ્રિય એવા બિલીપત્રો પણ આ મહિના દરમિયાન ભગવાન શંકરને વિશેષ રૂપે અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે શિવાલયોના નાદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠવાના છે. 



ખેડૂતને આપણે જગતનો તાત કહીએ છીએ. એ ખેતરમાં મહેનત કરે છે તેના કારણ કે જ આપણી થાળીમાં અન્ન પહોંચે છે. ત્યારે સાહિત્યના સમીપમાં ખેડૂતોને સમર્પિત રચના પ્રસ્તુત કરવી છે.

કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.