રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસનો આજે બીજો દિવસ, ઇમ્ફાલમાં સિવિલ સોસાયટીના લોકોનું સાંભળ્યું દુ:ખ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:10:21

મણિપુરમાં હિંસા ભડકેલી છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની કોઈને ખબર નથી. પીએમ મોદી મણિપુરની સ્થિતિ અંગે કોઈ પગલા લે તેવી અનેક પાર્ટીઓની માગ છે. અમિત શાહ પણ મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પહેલા દિવસે રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે સવારે મોઇરાંગ જવા નીકળ્યા હતા. હેલિકોપ્ટરના માર્ગે તે ત્યાં પહોંચ્યા હતા અને સિવિલ સોસાયટીના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાંથી અનેક એવી તસવીરો સામે આવી હતી જેમાં લોકો ઈમોશલન દેખાયા હતા.


ગઈકાલે રોકી દેવાયો હતો રાહુલ ગાંધીનો કાફલો

મણિપુરના લોકો શાંતિ જાળવે તે માટે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ વીડિયો શેર કરી વિનંતી કરી હતી. તે સિવાય પીએમ મોદી આ વિષય પર કઈ બોલે તે માટે અનેક વખત કોંગ્રેસના નેતાઓએ માગ કરી છે. પરંતુ આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ બધા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર બે દિવસના પ્રવાસ માટે પહોંચ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે રાહત શીબીરોનો હાલ જાણવા મામટે ચુરાચાંદપુર બાજુ જઈ રહ્યા હતા અને અચાનક તેમને રસ્તા પર પોલીસ દ્વારા રોકી લેવામાં આવે છે. પોલીસે તેમને આગળ જવા માટે એવું કહીને રોક્યા હતા કે તેમની સુરક્ષાને ખતરો થઈ શકે છે. રાહુલ ગાંધીએ પોલીસ સામે પોતાની વાત મુકી પણ મણિપુરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને જવા દેવામાં નહોતા આવ્યા. તો રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચાંદપુર જવા રવાના થયા હતા. આ વાતને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ સિવિલ સોસાયટીના લોકો સાથે વાત કરી હતી. તેમને પડતી મુશ્કેલી વિશે જાણવાની કોશિશ કરી હતી.   

સરકાર જાણે તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે... 

મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયો વચ્ચે ભડકેલી હિંસાને અનેક મહિનાઓ પસાર થઈ ગયા છે. આ હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક જવાનો શહિદ પણ થયા છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છતાંય સ્થિતિ કાબુમાં નથી આવી રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ રહી. પીએમ મોદી આ મામલે મૌન છે, કોઈ પણ નેતા આ મામલે નિવદેન નથી આપી રહ્યા. અમિત શાહ પણ જાણે મણિપુરમાં થઈ રહેલી હિંસાનો તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગે છે. આટલા દિવસો થયાં તેમ છતાં પણ જો પરિસ્થિતિ સામાન્ય ન થાય તો તે એક ચિંતાનો વિષય છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મણિપુરના મુખ્યમંત્રી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.   


કોઈ બીજા રાજ્યમાં આ સ્થિતિ હોત તો? 

જો મણિપુર સિવાય કોઈ બીજા રાજ્યમાં આવી હિંસા ફાટી નીકળી હોત તો શું કેન્દ્ર સરકાર આ જ રીતે તમાશો જોતી? આટલો સમય વિત્યા પછી પણ કેન્દ્ર સરકારના મંત્રીઓ આ વિશે બોલવા તૈયાર નથી. મણિપુર આપણા દેશનું મહત્વપૂર્મ રાજ્ય છે. ચીનની નજીક મણિપુર આવેલું છે. જો હિંસા શાંત નહીં થાય તો ચીન ભારતમાં ઘૂસી જશે છે. ત્યારે જોવું રહ્યું કે પીએમ મોદી આ મામલે ક્યારે કડક પગલાં લે છે?  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.