રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસનો આજે બીજો દિવસ, ઇમ્ફાલમાં સિવિલ સોસાયટીના લોકોનું સાંભળ્યું દુ:ખ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:10:21

મણિપુરમાં હિંસા ભડકેલી છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની કોઈને ખબર નથી. પીએમ મોદી મણિપુરની સ્થિતિ અંગે કોઈ પગલા લે તેવી અનેક પાર્ટીઓની માગ છે. અમિત શાહ પણ મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પહેલા દિવસે રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે સવારે મોઇરાંગ જવા નીકળ્યા હતા. હેલિકોપ્ટરના માર્ગે તે ત્યાં પહોંચ્યા હતા અને સિવિલ સોસાયટીના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાંથી અનેક એવી તસવીરો સામે આવી હતી જેમાં લોકો ઈમોશલન દેખાયા હતા.


ગઈકાલે રોકી દેવાયો હતો રાહુલ ગાંધીનો કાફલો

મણિપુરના લોકો શાંતિ જાળવે તે માટે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ વીડિયો શેર કરી વિનંતી કરી હતી. તે સિવાય પીએમ મોદી આ વિષય પર કઈ બોલે તે માટે અનેક વખત કોંગ્રેસના નેતાઓએ માગ કરી છે. પરંતુ આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ બધા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર બે દિવસના પ્રવાસ માટે પહોંચ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે રાહત શીબીરોનો હાલ જાણવા મામટે ચુરાચાંદપુર બાજુ જઈ રહ્યા હતા અને અચાનક તેમને રસ્તા પર પોલીસ દ્વારા રોકી લેવામાં આવે છે. પોલીસે તેમને આગળ જવા માટે એવું કહીને રોક્યા હતા કે તેમની સુરક્ષાને ખતરો થઈ શકે છે. રાહુલ ગાંધીએ પોલીસ સામે પોતાની વાત મુકી પણ મણિપુરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને જવા દેવામાં નહોતા આવ્યા. તો રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચાંદપુર જવા રવાના થયા હતા. આ વાતને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ સિવિલ સોસાયટીના લોકો સાથે વાત કરી હતી. તેમને પડતી મુશ્કેલી વિશે જાણવાની કોશિશ કરી હતી.   

સરકાર જાણે તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે... 

મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયો વચ્ચે ભડકેલી હિંસાને અનેક મહિનાઓ પસાર થઈ ગયા છે. આ હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક જવાનો શહિદ પણ થયા છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છતાંય સ્થિતિ કાબુમાં નથી આવી રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ રહી. પીએમ મોદી આ મામલે મૌન છે, કોઈ પણ નેતા આ મામલે નિવદેન નથી આપી રહ્યા. અમિત શાહ પણ જાણે મણિપુરમાં થઈ રહેલી હિંસાનો તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગે છે. આટલા દિવસો થયાં તેમ છતાં પણ જો પરિસ્થિતિ સામાન્ય ન થાય તો તે એક ચિંતાનો વિષય છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મણિપુરના મુખ્યમંત્રી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.   


કોઈ બીજા રાજ્યમાં આ સ્થિતિ હોત તો? 

જો મણિપુર સિવાય કોઈ બીજા રાજ્યમાં આવી હિંસા ફાટી નીકળી હોત તો શું કેન્દ્ર સરકાર આ જ રીતે તમાશો જોતી? આટલો સમય વિત્યા પછી પણ કેન્દ્ર સરકારના મંત્રીઓ આ વિશે બોલવા તૈયાર નથી. મણિપુર આપણા દેશનું મહત્વપૂર્મ રાજ્ય છે. ચીનની નજીક મણિપુર આવેલું છે. જો હિંસા શાંત નહીં થાય તો ચીન ભારતમાં ઘૂસી જશે છે. ત્યારે જોવું રહ્યું કે પીએમ મોદી આ મામલે ક્યારે કડક પગલાં લે છે?  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.