રાહુલ ગાંધીના મણિપુર પ્રવાસનો આજે બીજો દિવસ, ઇમ્ફાલમાં સિવિલ સોસાયટીના લોકોનું સાંભળ્યું દુ:ખ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:10:21

મણિપુરમાં હિંસા ભડકેલી છે. સ્થિતિ ક્યારે સામાન્ય થશે તેની કોઈને ખબર નથી. પીએમ મોદી મણિપુરની સ્થિતિ અંગે કોઈ પગલા લે તેવી અનેક પાર્ટીઓની માગ છે. અમિત શાહ પણ મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પહેલા દિવસે રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. જેને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા હતા. શુક્રવારે સવારે મોઇરાંગ જવા નીકળ્યા હતા. હેલિકોપ્ટરના માર્ગે તે ત્યાં પહોંચ્યા હતા અને સિવિલ સોસાયટીના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાંથી અનેક એવી તસવીરો સામે આવી હતી જેમાં લોકો ઈમોશલન દેખાયા હતા.


ગઈકાલે રોકી દેવાયો હતો રાહુલ ગાંધીનો કાફલો

મણિપુરના લોકો શાંતિ જાળવે તે માટે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પણ વીડિયો શેર કરી વિનંતી કરી હતી. તે સિવાય પીએમ મોદી આ વિષય પર કઈ બોલે તે માટે અનેક વખત કોંગ્રેસના નેતાઓએ માગ કરી છે. પરંતુ આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ બધા વચ્ચે રાહુલ ગાંધી મણિપુર બે દિવસના પ્રવાસ માટે પહોંચ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે રાહત શીબીરોનો હાલ જાણવા મામટે ચુરાચાંદપુર બાજુ જઈ રહ્યા હતા અને અચાનક તેમને રસ્તા પર પોલીસ દ્વારા રોકી લેવામાં આવે છે. પોલીસે તેમને આગળ જવા માટે એવું કહીને રોક્યા હતા કે તેમની સુરક્ષાને ખતરો થઈ શકે છે. રાહુલ ગાંધીએ પોલીસ સામે પોતાની વાત મુકી પણ મણિપુરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને જવા દેવામાં નહોતા આવ્યા. તો રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી ચુરાચાંદપુર જવા રવાના થયા હતા. આ વાતને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે આજે રાહુલ ગાંધીએ સિવિલ સોસાયટીના લોકો સાથે વાત કરી હતી. તેમને પડતી મુશ્કેલી વિશે જાણવાની કોશિશ કરી હતી.   

સરકાર જાણે તમાશો જોતી હોય તેવું લાગી રહ્યું છે... 

મણિપુરમાં કુકી અને મેતઈ સમુદાયો વચ્ચે ભડકેલી હિંસાને અનેક મહિનાઓ પસાર થઈ ગયા છે. આ હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક જવાનો શહિદ પણ થયા છે. સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છતાંય સ્થિતિ કાબુમાં નથી આવી રહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી. દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ રહી. પીએમ મોદી આ મામલે મૌન છે, કોઈ પણ નેતા આ મામલે નિવદેન નથી આપી રહ્યા. અમિત શાહ પણ જાણે મણિપુરમાં થઈ રહેલી હિંસાનો તમાશો જોઈ રહ્યા હોય તેવું લાગે છે. આટલા દિવસો થયાં તેમ છતાં પણ જો પરિસ્થિતિ સામાન્ય ન થાય તો તે એક ચિંતાનો વિષય છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે મણિપુરના મુખ્યમંત્રી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે.   


કોઈ બીજા રાજ્યમાં આ સ્થિતિ હોત તો? 

જો મણિપુર સિવાય કોઈ બીજા રાજ્યમાં આવી હિંસા ફાટી નીકળી હોત તો શું કેન્દ્ર સરકાર આ જ રીતે તમાશો જોતી? આટલો સમય વિત્યા પછી પણ કેન્દ્ર સરકારના મંત્રીઓ આ વિશે બોલવા તૈયાર નથી. મણિપુર આપણા દેશનું મહત્વપૂર્મ રાજ્ય છે. ચીનની નજીક મણિપુર આવેલું છે. જો હિંસા શાંત નહીં થાય તો ચીન ભારતમાં ઘૂસી જશે છે. ત્યારે જોવું રહ્યું કે પીએમ મોદી આ મામલે ક્યારે કડક પગલાં લે છે?  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.