મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 14મી વરસી


  • Published By :
  • Published Date : 2022-11-26 11:13:30

26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાને કોઈ ભૂલી શકવાનું નથી. આતંકી હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેની યાદો કયારેય નહીં ભૂલી શકાય. 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 160થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

Image


પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ  બ્લાસ્ટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરી આતંક મચાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. કોલાબા નજીક કફ પરેડના માર્કેટમાં ઉતર્યા હતા. અને ત્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ ગયા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર તેમજ દક્ષિણ મુંબઈમાં આવેલા લિયોપોલ્ડ કાફેને પોતાનું નિશાન બનાવ્યું હતું. ઉપરાંત બે ટેક્સીને પણ ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંદાજીત 15 જેટલા લોકો માર્યા ગયા હતા.

દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આતંકવાદીઓએ 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલને પોતાનું નિશાન બનાવ્યું. તાજ હોટલમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. આતંકવાદીઓના ઓપરેશનને નાબુદ કરવા બન્ને હોટલમાં રેપીડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો. અને એનએસજીની ટીમને ઉતારી દેવામાં આવી. સુરક્ષા દળોએ ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે અથડામણ કરી. આતંકવાદી કસાબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો.

26/11 Mumbai terror attacks: How TOI covered the deadly attacks | India  News - Times of India

Modeled on Mumbai? Why the 2008 India attack is the best way to understand  Paris

આ ઘટનામાં અંદાજીત 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટનાને યાદ કરી રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.