મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 14મી વરસી


  • Published By :
  • Published Date : 2022-11-26 11:13:30

26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાને કોઈ ભૂલી શકવાનું નથી. આતંકી હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેની યાદો કયારેય નહીં ભૂલી શકાય. 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 160થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

Image


પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ  બ્લાસ્ટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરી આતંક મચાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. કોલાબા નજીક કફ પરેડના માર્કેટમાં ઉતર્યા હતા. અને ત્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ ગયા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર તેમજ દક્ષિણ મુંબઈમાં આવેલા લિયોપોલ્ડ કાફેને પોતાનું નિશાન બનાવ્યું હતું. ઉપરાંત બે ટેક્સીને પણ ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંદાજીત 15 જેટલા લોકો માર્યા ગયા હતા.

દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આતંકવાદીઓએ 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલને પોતાનું નિશાન બનાવ્યું. તાજ હોટલમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. આતંકવાદીઓના ઓપરેશનને નાબુદ કરવા બન્ને હોટલમાં રેપીડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો. અને એનએસજીની ટીમને ઉતારી દેવામાં આવી. સુરક્ષા દળોએ ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે અથડામણ કરી. આતંકવાદી કસાબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો.

26/11 Mumbai terror attacks: How TOI covered the deadly attacks | India  News - Times of India

Modeled on Mumbai? Why the 2008 India attack is the best way to understand  Paris

આ ઘટનામાં અંદાજીત 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટનાને યાદ કરી રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.