મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 14મી વરસી


  • Published By :
  • Published Date : 2022-11-26 11:13:30

26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલાને કોઈ ભૂલી શકવાનું નથી. આતંકી હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ તેની યાદો કયારેય નહીં ભૂલી શકાય. 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 160થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

Image


પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મહોમ્મદના આતંકીઓએ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ  બ્લાસ્ટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ અને ગોળીબાર કરી આતંક મચાવ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગથી મુંબઈમાં પ્રવેશ્યા હતા. કોલાબા નજીક કફ પરેડના માર્કેટમાં ઉતર્યા હતા. અને ત્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેલાઈ ગયા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર તેમજ દક્ષિણ મુંબઈમાં આવેલા લિયોપોલ્ડ કાફેને પોતાનું નિશાન બનાવ્યું હતું. ઉપરાંત બે ટેક્સીને પણ ઉડાવી દીધી હતી. આ હુમલામાં અંદાજીત 15 જેટલા લોકો માર્યા ગયા હતા.

દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આતંકવાદીઓએ 26 નવેમ્બરના રોજ મુંબઈની તાજ હોટલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલને પોતાનું નિશાન બનાવ્યું. તાજ હોટલમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો હતો. આતંકવાદીઓના ઓપરેશનને નાબુદ કરવા બન્ને હોટલમાં રેપીડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો. અને એનએસજીની ટીમને ઉતારી દેવામાં આવી. સુરક્ષા દળોએ ત્રણ દિવસ સુધી આતંકવાદીઓ સાથે અથડામણ કરી. આતંકવાદી કસાબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો.

26/11 Mumbai terror attacks: How TOI covered the deadly attacks | India  News - Times of India

Modeled on Mumbai? Why the 2008 India attack is the best way to understand  Paris

આ ઘટનામાં અંદાજીત 160 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ ઘટનાને યાદ કરી રાષ્ટ્રપતિ, કોંગ્રેસ પાર્ટીએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે.

 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.