ગુજરાતમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા ખળભળાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-26 18:41:44

ભારતમાં કોરોનાના નવા બે વેરીઆન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરીઆન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી  ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

New COVID-19 Subvariant NB.1.8.1 in India: Everything You Need to Know  About New Coronavirus Variant - Oneindia News  

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 મેના રોજ ભારતમાં ૧૦૦૯ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે. આમાં સૌથી વધારે કેસો કેરળમાં નોંધાયા છે જેની સંખ્યા ૪૩૦ છે. આ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૯ એક્ટિવ કેસો છે , રાજધાની દિલ્હીમાં ૧૦૪ કેસો છે. જયારે ગુજરાતમાં ૮૩ કોરોનાના કેસો નોંધાયા છે. વાત કરીએ મૃત્યુના આંકની , કેરળમાં ૨ મોત નોંધાયા છે , જયારે મહારાષ્ટ્રમાં ૪ મૃત્યુ નોંધાયા છે જયારે કર્ણાટકમાં ૧ મોત નોંધાયું છે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. વાત કરીએ કોરોનાના નવા વેરિઅંટની તો , ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતા અંતર્ગત આવતી સંસ્થા INSACOG  ( ઇન્ડિયન  કન્સોર્ટિયમ ટુ સ્ટડી એન્ડ મોનિટર કોવીડ ૧૯ જિનોમ ) દ્વારા નવા બે વેરિઅંટ નોંધાયા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ છે. NB ૧.૮.૧ એ તમિલનાડુ જયારે LF .૭ એ ગુજરાતમાં નોંધાયો છે. તમિલનાડુમાં આ NB ૧.૮.૧ વેરિઅંટનો ૧ કેસ જયારે ગુજરાતમાં LF . ૭ ના ચાર કેસ નોંધાયા છે. 

INSACOG Dashboard

NB ૧.૮.૧ અને LF .૭ એ JN .૧ વેરિઅંટના સબ લિનીએજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બેઉ વેરિઅંટને "વેરિઅંટ અન્ડર મોનીટરીંગ " નો દરજ્જો આપેલો છે , એનો મતલબ કે તેમના બીજા ઘણા મ્યુટેશનસ હોઈ શકે છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ તેને "વેરિઅંટ ઓફ કન્સર્નર્સ" કે "વેરિઅંટ ઓફ ઇન્ટરેસ્ટ" નો દરજ્જો આપ્યો નથી . કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે , આ નવા સબ વેરિઅંટસ ઘણા ટ્રાન્સમિસિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને તોડવા માટે વધારે ક્ષમતા રાખે છે . દાખલા તરીકે , નવા વેરિઅંટ NB ૧.૮.૧માં સ્પાઇક પ્રોટીન A 435S , V 445H , T 478I જોવા મળે છે તેને વધારે ટ્રાન્સમિસિબલ બનાવી શકે છે. જોકે આ નવા વેરિઅંટ માટે કોઈ નવી રસી ઉપલબ્ધ નથી . જોકે હાલના બુસ્ટર ડોઝ એ હજુ પણ પ્રોટેક્શન આપી શકે છે. આ સાથે જ આ નવા વેરિઅંટથી ઘબરાવવાની જરૂર નથી . હા સતર્કતા રાખવી જરૂરી છે.  




યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .