ગુજરાતમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા ખળભળાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-26 18:41:44

ભારતમાં કોરોનાના નવા બે વેરીઆન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરીઆન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી  ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

New COVID-19 Subvariant NB.1.8.1 in India: Everything You Need to Know  About New Coronavirus Variant - Oneindia News  

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 મેના રોજ ભારતમાં ૧૦૦૯ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે. આમાં સૌથી વધારે કેસો કેરળમાં નોંધાયા છે જેની સંખ્યા ૪૩૦ છે. આ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૯ એક્ટિવ કેસો છે , રાજધાની દિલ્હીમાં ૧૦૪ કેસો છે. જયારે ગુજરાતમાં ૮૩ કોરોનાના કેસો નોંધાયા છે. વાત કરીએ મૃત્યુના આંકની , કેરળમાં ૨ મોત નોંધાયા છે , જયારે મહારાષ્ટ્રમાં ૪ મૃત્યુ નોંધાયા છે જયારે કર્ણાટકમાં ૧ મોત નોંધાયું છે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. વાત કરીએ કોરોનાના નવા વેરિઅંટની તો , ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતા અંતર્ગત આવતી સંસ્થા INSACOG  ( ઇન્ડિયન  કન્સોર્ટિયમ ટુ સ્ટડી એન્ડ મોનિટર કોવીડ ૧૯ જિનોમ ) દ્વારા નવા બે વેરિઅંટ નોંધાયા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ છે. NB ૧.૮.૧ એ તમિલનાડુ જયારે LF .૭ એ ગુજરાતમાં નોંધાયો છે. તમિલનાડુમાં આ NB ૧.૮.૧ વેરિઅંટનો ૧ કેસ જયારે ગુજરાતમાં LF . ૭ ના ચાર કેસ નોંધાયા છે. 

INSACOG Dashboard

NB ૧.૮.૧ અને LF .૭ એ JN .૧ વેરિઅંટના સબ લિનીએજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બેઉ વેરિઅંટને "વેરિઅંટ અન્ડર મોનીટરીંગ " નો દરજ્જો આપેલો છે , એનો મતલબ કે તેમના બીજા ઘણા મ્યુટેશનસ હોઈ શકે છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ તેને "વેરિઅંટ ઓફ કન્સર્નર્સ" કે "વેરિઅંટ ઓફ ઇન્ટરેસ્ટ" નો દરજ્જો આપ્યો નથી . કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે , આ નવા સબ વેરિઅંટસ ઘણા ટ્રાન્સમિસિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને તોડવા માટે વધારે ક્ષમતા રાખે છે . દાખલા તરીકે , નવા વેરિઅંટ NB ૧.૮.૧માં સ્પાઇક પ્રોટીન A 435S , V 445H , T 478I જોવા મળે છે તેને વધારે ટ્રાન્સમિસિબલ બનાવી શકે છે. જોકે આ નવા વેરિઅંટ માટે કોઈ નવી રસી ઉપલબ્ધ નથી . જોકે હાલના બુસ્ટર ડોઝ એ હજુ પણ પ્રોટેક્શન આપી શકે છે. આ સાથે જ આ નવા વેરિઅંટથી ઘબરાવવાની જરૂર નથી . હા સતર્કતા રાખવી જરૂરી છે.  




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.