ગુજરાતમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા ખળભળાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-26 18:41:44

ભારતમાં કોરોનાના નવા બે વેરીઆન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરીઆન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી  ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

New COVID-19 Subvariant NB.1.8.1 in India: Everything You Need to Know  About New Coronavirus Variant - Oneindia News  

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 મેના રોજ ભારતમાં ૧૦૦૯ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે. આમાં સૌથી વધારે કેસો કેરળમાં નોંધાયા છે જેની સંખ્યા ૪૩૦ છે. આ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૯ એક્ટિવ કેસો છે , રાજધાની દિલ્હીમાં ૧૦૪ કેસો છે. જયારે ગુજરાતમાં ૮૩ કોરોનાના કેસો નોંધાયા છે. વાત કરીએ મૃત્યુના આંકની , કેરળમાં ૨ મોત નોંધાયા છે , જયારે મહારાષ્ટ્રમાં ૪ મૃત્યુ નોંધાયા છે જયારે કર્ણાટકમાં ૧ મોત નોંધાયું છે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. વાત કરીએ કોરોનાના નવા વેરિઅંટની તો , ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતા અંતર્ગત આવતી સંસ્થા INSACOG  ( ઇન્ડિયન  કન્સોર્ટિયમ ટુ સ્ટડી એન્ડ મોનિટર કોવીડ ૧૯ જિનોમ ) દ્વારા નવા બે વેરિઅંટ નોંધાયા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ છે. NB ૧.૮.૧ એ તમિલનાડુ જયારે LF .૭ એ ગુજરાતમાં નોંધાયો છે. તમિલનાડુમાં આ NB ૧.૮.૧ વેરિઅંટનો ૧ કેસ જયારે ગુજરાતમાં LF . ૭ ના ચાર કેસ નોંધાયા છે. 

INSACOG Dashboard

NB ૧.૮.૧ અને LF .૭ એ JN .૧ વેરિઅંટના સબ લિનીએજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બેઉ વેરિઅંટને "વેરિઅંટ અન્ડર મોનીટરીંગ " નો દરજ્જો આપેલો છે , એનો મતલબ કે તેમના બીજા ઘણા મ્યુટેશનસ હોઈ શકે છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ તેને "વેરિઅંટ ઓફ કન્સર્નર્સ" કે "વેરિઅંટ ઓફ ઇન્ટરેસ્ટ" નો દરજ્જો આપ્યો નથી . કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે , આ નવા સબ વેરિઅંટસ ઘણા ટ્રાન્સમિસિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને તોડવા માટે વધારે ક્ષમતા રાખે છે . દાખલા તરીકે , નવા વેરિઅંટ NB ૧.૮.૧માં સ્પાઇક પ્રોટીન A 435S , V 445H , T 478I જોવા મળે છે તેને વધારે ટ્રાન્સમિસિબલ બનાવી શકે છે. જોકે આ નવા વેરિઅંટ માટે કોઈ નવી રસી ઉપલબ્ધ નથી . જોકે હાલના બુસ્ટર ડોઝ એ હજુ પણ પ્રોટેક્શન આપી શકે છે. આ સાથે જ આ નવા વેરિઅંટથી ઘબરાવવાની જરૂર નથી . હા સતર્કતા રાખવી જરૂરી છે.  




અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "