ગુજરાતમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવતા ખળભળાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-26 18:41:44

ભારતમાં કોરોનાના નવા બે વેરીઆન્ટ મળી આવ્યા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ . કોરોનાના આ બે નવા વેરીઆન્ટ ઓમીક્રોનના ભાગ છે. જેમાંથી NB ૧.૮.૧ વેરિઅંટ તમિલનાડુમાંથી  ડિટેકટ થયો છે જયારે LF .૭ વેરિઅંટ એ ગુજરાતમાંથી ડિટેકટ થયો છે. આ બે નવા વેરિઅંટના કેસો તમિલનાડુ અને ગુજરાતમાં નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના દેશભરમાં નવા કેસોની સંખ્યા ૧૦૦૦ ને પાર પહોંચી ગઈ છે.

New COVID-19 Subvariant NB.1.8.1 in India: Everything You Need to Know  About New Coronavirus Variant - Oneindia News  

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 મેના રોજ ભારતમાં ૧૦૦૯ કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા છે. આમાં સૌથી વધારે કેસો કેરળમાં નોંધાયા છે જેની સંખ્યા ૪૩૦ છે. આ પછી મહારાષ્ટ્રમાં કોરોનાના ૨૦૯ એક્ટિવ કેસો છે , રાજધાની દિલ્હીમાં ૧૦૪ કેસો છે. જયારે ગુજરાતમાં ૮૩ કોરોનાના કેસો નોંધાયા છે. વાત કરીએ મૃત્યુના આંકની , કેરળમાં ૨ મોત નોંધાયા છે , જયારે મહારાષ્ટ્રમાં ૪ મૃત્યુ નોંધાયા છે જયારે કર્ણાટકમાં ૧ મોત નોંધાયું છે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. વાત કરીએ કોરોનાના નવા વેરિઅંટની તો , ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ ખાતા અંતર્ગત આવતી સંસ્થા INSACOG  ( ઇન્ડિયન  કન્સોર્ટિયમ ટુ સ્ટડી એન્ડ મોનિટર કોવીડ ૧૯ જિનોમ ) દ્વારા નવા બે વેરિઅંટ નોંધાયા છે. જેના નામ છે NB ૧.૮.૧ અને LF . ૭ છે. NB ૧.૮.૧ એ તમિલનાડુ જયારે LF .૭ એ ગુજરાતમાં નોંધાયો છે. તમિલનાડુમાં આ NB ૧.૮.૧ વેરિઅંટનો ૧ કેસ જયારે ગુજરાતમાં LF . ૭ ના ચાર કેસ નોંધાયા છે. 

INSACOG Dashboard

NB ૧.૮.૧ અને LF .૭ એ JN .૧ વેરિઅંટના સબ લિનીએજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બેઉ વેરિઅંટને "વેરિઅંટ અન્ડર મોનીટરીંગ " નો દરજ્જો આપેલો છે , એનો મતલબ કે તેમના બીજા ઘણા મ્યુટેશનસ હોઈ શકે છે . વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનએ તેને "વેરિઅંટ ઓફ કન્સર્નર્સ" કે "વેરિઅંટ ઓફ ઇન્ટરેસ્ટ" નો દરજ્જો આપ્યો નથી . કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે , આ નવા સબ વેરિઅંટસ ઘણા ટ્રાન્સમિસિબલ છે અને તમારી ઇમ્યુન સિસ્ટમને તોડવા માટે વધારે ક્ષમતા રાખે છે . દાખલા તરીકે , નવા વેરિઅંટ NB ૧.૮.૧માં સ્પાઇક પ્રોટીન A 435S , V 445H , T 478I જોવા મળે છે તેને વધારે ટ્રાન્સમિસિબલ બનાવી શકે છે. જોકે આ નવા વેરિઅંટ માટે કોઈ નવી રસી ઉપલબ્ધ નથી . જોકે હાલના બુસ્ટર ડોઝ એ હજુ પણ પ્રોટેક્શન આપી શકે છે. આ સાથે જ આ નવા વેરિઅંટથી ઘબરાવવાની જરૂર નથી . હા સતર્કતા રાખવી જરૂરી છે.  




As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.