સસ્તા ભાવે ટામેટાં વેંચી રહી છે આ રાજ્ય સરકાર, રાશનની દુકાનોમાં રૂ. 60 પ્રતિ કિલોના ભાવે થાય છે વેચાણ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:18:48

લગભગ એક મહિનાથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવે લોકોના હોશ ઉડાવી દીધા છે. રસોડામાં મુખ્ય ભાગ હોવાને કારણે, ટામેટાની ઊંચી માંગને કારણે તેની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ટામેટાંના વધતા ભાવથી પરેશાન લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકાર બજાર કિંમત કરતા સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના સ્થાનિક બજારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે. પરંતુ, તમિલનાડુ સરકાર 20 રૂપિયા સસ્તી કિંમત પર ટામેટાં વેચી રહી છે.


તમિલનાડુમાં 82 દુકાનો પર રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાણ


ટામેટાંની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારની આ નવી સિસ્ટમ હેઠળ 82 રાશનની દુકાનો પર ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો અન્ય રાશનની દુકાનો પર પણ ટામેટાંનું વેચાણ શરૂ થશે. દરેક પરિવારને દરરોજ 1 કિલો ટામેટાં આપવામાં આવશે.


શા માટે અછત સર્જાઈ?


દેશના કેટલાક ભાગોમાં અલ નીનોના પગલે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. ત્યાં જ ગત વર્ષોમાં ટામેટાના બજારમાં યોગ્ય ભાવો નહીં મળવાથી ખેડૂતોને પણનુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે ટામેટાના પાકનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. આ તમામ કારણોથી ટામેટાનો પુરવઠો ખોરવાયો છે, જેથી ટામેટાના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.