સસ્તા ભાવે ટામેટાં વેંચી રહી છે આ રાજ્ય સરકાર, રાશનની દુકાનોમાં રૂ. 60 પ્રતિ કિલોના ભાવે થાય છે વેચાણ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:18:48

લગભગ એક મહિનાથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવે લોકોના હોશ ઉડાવી દીધા છે. રસોડામાં મુખ્ય ભાગ હોવાને કારણે, ટામેટાની ઊંચી માંગને કારણે તેની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ટામેટાંના વધતા ભાવથી પરેશાન લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકાર બજાર કિંમત કરતા સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના સ્થાનિક બજારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે. પરંતુ, તમિલનાડુ સરકાર 20 રૂપિયા સસ્તી કિંમત પર ટામેટાં વેચી રહી છે.


તમિલનાડુમાં 82 દુકાનો પર રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાણ


ટામેટાંની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારની આ નવી સિસ્ટમ હેઠળ 82 રાશનની દુકાનો પર ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો અન્ય રાશનની દુકાનો પર પણ ટામેટાંનું વેચાણ શરૂ થશે. દરેક પરિવારને દરરોજ 1 કિલો ટામેટાં આપવામાં આવશે.


શા માટે અછત સર્જાઈ?


દેશના કેટલાક ભાગોમાં અલ નીનોના પગલે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. ત્યાં જ ગત વર્ષોમાં ટામેટાના બજારમાં યોગ્ય ભાવો નહીં મળવાથી ખેડૂતોને પણનુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે ટામેટાના પાકનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. આ તમામ કારણોથી ટામેટાનો પુરવઠો ખોરવાયો છે, જેથી ટામેટાના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.