સસ્તા ભાવે ટામેટાં વેંચી રહી છે આ રાજ્ય સરકાર, રાશનની દુકાનોમાં રૂ. 60 પ્રતિ કિલોના ભાવે થાય છે વેચાણ


  • Published By :
  • Published Date : 2023-07-05 16:18:48

લગભગ એક મહિનાથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવે લોકોના હોશ ઉડાવી દીધા છે. રસોડામાં મુખ્ય ભાગ હોવાને કારણે, ટામેટાની ઊંચી માંગને કારણે તેની કિંમત ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ટામેટાંના વધતા ભાવથી પરેશાન લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકાર બજાર કિંમત કરતા સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોના સ્થાનિક બજારોમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચાઈ રહ્યા છે. પરંતુ, તમિલનાડુ સરકાર 20 રૂપિયા સસ્તી કિંમત પર ટામેટાં વેચી રહી છે.


તમિલનાડુમાં 82 દુકાનો પર રૂ. 60 પ્રતિ કિલોના ભાવે વેચાણ


ટામેટાંની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને લોકોને રાહત આપવા માટે તમિલનાડુ સરકારે રાશનની દુકાનો પર ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારની આ નવી સિસ્ટમ હેઠળ 82 રાશનની દુકાનો પર ટામેટાં 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. તમિલનાડુ સરકારે કહ્યું છે કે જો જરૂર પડશે તો અન્ય રાશનની દુકાનો પર પણ ટામેટાંનું વેચાણ શરૂ થશે. દરેક પરિવારને દરરોજ 1 કિલો ટામેટાં આપવામાં આવશે.


શા માટે અછત સર્જાઈ?


દેશના કેટલાક ભાગોમાં અલ નીનોના પગલે અને કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. ત્યાં જ ગત વર્ષોમાં ટામેટાના બજારમાં યોગ્ય ભાવો નહીં મળવાથી ખેડૂતોને પણનુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે ટામેટાના પાકનું ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે. આ તમામ કારણોથી ટામેટાનો પુરવઠો ખોરવાયો છે, જેથી ટામેટાના ભાવ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.