ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવ્યા, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-07-12 17:00:25

દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે, બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. આજ કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગની અસંખ્ય રેસ્ટોરન્ટ્સએ ટામેટાનો ઉપયોગ બંધ કરી દીધો છે. ટામેટાનો ઉપયોગ સામાન્ય માણસોએ તો ઠીક પણ ફાસ્ટ ફૂડ ચેઈનની મોટી કંપની મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગમાંથી હટાવી દીધા છે. મેકડોનાલ્ડ્સે તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવી દેતા ગ્રાહકો નારાજ થઈ ગયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયના કારણે ટેસ્ટ પર પણ અસર પડશે. જો કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મીમ્સ શેર કરીને કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.


મેકડોનાલ્ડસે ટામેટા શા માટે હટાવ્યા?


મીડિયા રિપોર્ટસ મુજબ ભારતમાં મેકડોનાલ્ડસના અનેક રેસ્ટોરન્ટ્સને ટામેટાના પુરવઠો ન મળતા કંપનીએ ટામેટાને બર્ગર અને રેપ્સમાંથી હટાવી દીધા છે. દેશના હોલસેલ માર્કેટમાં એક મહિનામાં જ ટામેટાનો ભાવ 288 ટકા વધી ગયો છે. મેકડોનાલ્ડ્સે આ મામલે ગ્રાહકો માટે એક નોટિસ પણ લગાવી છે. કંપનીએ ટામેટાની ભાવના કારણે જ પ્રોડક્ટથી હટાવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ ટામેટાના બદલે કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાવાના શોખિન લોકો ટેસ્ટ માટે ટામેટા અલગથી ઉમેરે છે.


મીમ્સનો થયો વરસાદ 


ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગ બંધ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો જોરદાર રીતે એકબીજાને મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટામેટા વગરના બર્ગરના ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો હવે ટામેટાની તુલના સોના સાથે પણ કરી રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.