ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવ્યા, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-07-12 17:00:25

દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે, બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. આજ કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગની અસંખ્ય રેસ્ટોરન્ટ્સએ ટામેટાનો ઉપયોગ બંધ કરી દીધો છે. ટામેટાનો ઉપયોગ સામાન્ય માણસોએ તો ઠીક પણ ફાસ્ટ ફૂડ ચેઈનની મોટી કંપની મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગમાંથી હટાવી દીધા છે. મેકડોનાલ્ડ્સે તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવી દેતા ગ્રાહકો નારાજ થઈ ગયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયના કારણે ટેસ્ટ પર પણ અસર પડશે. જો કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મીમ્સ શેર કરીને કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.


મેકડોનાલ્ડસે ટામેટા શા માટે હટાવ્યા?


મીડિયા રિપોર્ટસ મુજબ ભારતમાં મેકડોનાલ્ડસના અનેક રેસ્ટોરન્ટ્સને ટામેટાના પુરવઠો ન મળતા કંપનીએ ટામેટાને બર્ગર અને રેપ્સમાંથી હટાવી દીધા છે. દેશના હોલસેલ માર્કેટમાં એક મહિનામાં જ ટામેટાનો ભાવ 288 ટકા વધી ગયો છે. મેકડોનાલ્ડ્સે આ મામલે ગ્રાહકો માટે એક નોટિસ પણ લગાવી છે. કંપનીએ ટામેટાની ભાવના કારણે જ પ્રોડક્ટથી હટાવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ ટામેટાના બદલે કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાવાના શોખિન લોકો ટેસ્ટ માટે ટામેટા અલગથી ઉમેરે છે.


મીમ્સનો થયો વરસાદ 


ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગ બંધ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો જોરદાર રીતે એકબીજાને મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટામેટા વગરના બર્ગરના ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો હવે ટામેટાની તુલના સોના સાથે પણ કરી રહ્યા છે.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .