ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવ્યા, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-07-12 17:00:25

દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે, બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. આજ કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગની અસંખ્ય રેસ્ટોરન્ટ્સએ ટામેટાનો ઉપયોગ બંધ કરી દીધો છે. ટામેટાનો ઉપયોગ સામાન્ય માણસોએ તો ઠીક પણ ફાસ્ટ ફૂડ ચેઈનની મોટી કંપની મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગમાંથી હટાવી દીધા છે. મેકડોનાલ્ડ્સે તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવી દેતા ગ્રાહકો નારાજ થઈ ગયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયના કારણે ટેસ્ટ પર પણ અસર પડશે. જો કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મીમ્સ શેર કરીને કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.


મેકડોનાલ્ડસે ટામેટા શા માટે હટાવ્યા?


મીડિયા રિપોર્ટસ મુજબ ભારતમાં મેકડોનાલ્ડસના અનેક રેસ્ટોરન્ટ્સને ટામેટાના પુરવઠો ન મળતા કંપનીએ ટામેટાને બર્ગર અને રેપ્સમાંથી હટાવી દીધા છે. દેશના હોલસેલ માર્કેટમાં એક મહિનામાં જ ટામેટાનો ભાવ 288 ટકા વધી ગયો છે. મેકડોનાલ્ડ્સે આ મામલે ગ્રાહકો માટે એક નોટિસ પણ લગાવી છે. કંપનીએ ટામેટાની ભાવના કારણે જ પ્રોડક્ટથી હટાવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ ટામેટાના બદલે કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાવાના શોખિન લોકો ટેસ્ટ માટે ટામેટા અલગથી ઉમેરે છે.


મીમ્સનો થયો વરસાદ 


ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગ બંધ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો જોરદાર રીતે એકબીજાને મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટામેટા વગરના બર્ગરના ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો હવે ટામેટાની તુલના સોના સાથે પણ કરી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.