ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવ્યા, લોકોએ આપી આવી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-07-12 17:00:25

દેશમાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે, બજારમાં ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. આજ કારણે દેશના ઉત્તર-પૂર્વ ભાગની અસંખ્ય રેસ્ટોરન્ટ્સએ ટામેટાનો ઉપયોગ બંધ કરી દીધો છે. ટામેટાનો ઉપયોગ સામાન્ય માણસોએ તો ઠીક પણ ફાસ્ટ ફૂડ ચેઈનની મોટી કંપની મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગમાંથી હટાવી દીધા છે. મેકડોનાલ્ડ્સે તેના બર્ગર અને રેપ્સમાંથી ટામેટાને હટાવી દેતા ગ્રાહકો નારાજ થઈ ગયા છે. લોકોના જણાવ્યા પ્રમાણે કંપનીના આ નિર્ણયના કારણે ટેસ્ટ પર પણ અસર પડશે. જો કે સોશિયલ મીડિયા પર લોકો એકબીજાને મીમ્સ શેર કરીને કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.


મેકડોનાલ્ડસે ટામેટા શા માટે હટાવ્યા?


મીડિયા રિપોર્ટસ મુજબ ભારતમાં મેકડોનાલ્ડસના અનેક રેસ્ટોરન્ટ્સને ટામેટાના પુરવઠો ન મળતા કંપનીએ ટામેટાને બર્ગર અને રેપ્સમાંથી હટાવી દીધા છે. દેશના હોલસેલ માર્કેટમાં એક મહિનામાં જ ટામેટાનો ભાવ 288 ટકા વધી ગયો છે. મેકડોનાલ્ડ્સે આ મામલે ગ્રાહકો માટે એક નોટિસ પણ લગાવી છે. કંપનીએ ટામેટાની ભાવના કારણે જ પ્રોડક્ટથી હટાવતા લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ ટામેટાના બદલે કોઈ અન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે મેકડોનાલ્ડ્સના બર્ગર ખાવાના શોખિન લોકો ટેસ્ટ માટે ટામેટા અલગથી ઉમેરે છે.


મીમ્સનો થયો વરસાદ 


ફાસ્ટ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સે પણ ટામેટાને ઉપયોગ બંધ કરતા સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે. લોકો જોરદાર રીતે એકબીજાને મીમ્સ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટામેટા વગરના બર્ગરના ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકો હવે ટામેટાની તુલના સોના સાથે પણ કરી રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .