ખોરાકમાં વધારે પડતું મીઠું થઈ શકે છે જીવલેણ સાબિત! વિશ્વ આરોગ્ય સંસ્થાએ રિપોર્ટમાં કર્યા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:19:15

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં વધારે મીઠું ખાવાથી શું નુકસાન થાય તે અંગે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકોએ મીઠાનું સેવન 30 ટકા સુધી ઘટાડવું પડશે. તે માટે 2025 સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે. મીઠાનું સેવન કરવાથી લોકોના જીવને જોખમ રહેતું હોય છે. મીઠાનો ઉપયોગ, સેવન અને વધારે પડતા સેવન કરવાથી થતાં નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. જો મીઠાનું સેવન ઓછું નહીં કરવામાં આવે તો અનેક લોકોના જીવ આને કારણે જઈ શકે છે. 


World Salt Awarness Weekની થઈ રહી છે ઉજવણી  

સમગ્ર વિશ્વમાં 19થી 29 માર્ચ સુધી World Salt Awarness Weekની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન લોકોને વધારે પડતા મીઠાના સેવનથી થતા નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મીઠાનું સેવન કરવાની વાતને લઈ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે વધુ સોડિયમ ખાવાથી શું સમસ્યા થઈ શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં તે લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે 2030 સુધીમાં લોકોમાં 30 ટકા સુધી મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે પડતા મીઠાનું સેવન કરવાથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.


લોકોને જાગૃત કરવા ચલાવાશે ઝુંબેશ 

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એક મોટી વસ્તી જરૂરિયાત કરતા વધારે મીઠાનું સેવન કરે છે. જેને કારણે આગામી વર્ષોમાં લગભગ 70 લાખ જેટલા લોકોના મોત મીઠાને કારણે થઈ શકે છે. મીઠાને કારણે થતી બીમારીઓને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય મીઠાના સેવનથી વોટર રિટેન્શન વધી શકે છે જેને કારણે શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉભી થાય છે. તે ઉપરાંત હાડકા પણ નબળા થઈ જાય છે. જેને કારણે કિડની અને લિવર જેવા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે માટે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. વિશ્વભરના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે જેને ઓછું કરવું જોઈએ નહીંતર લોકો માટે મીઠું નુકસાન સાબિત થઈ શકે છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.