ખોરાકમાં વધારે પડતું મીઠું થઈ શકે છે જીવલેણ સાબિત! વિશ્વ આરોગ્ય સંસ્થાએ રિપોર્ટમાં કર્યા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:19:15

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં વધારે મીઠું ખાવાથી શું નુકસાન થાય તે અંગે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકોએ મીઠાનું સેવન 30 ટકા સુધી ઘટાડવું પડશે. તે માટે 2025 સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે. મીઠાનું સેવન કરવાથી લોકોના જીવને જોખમ રહેતું હોય છે. મીઠાનો ઉપયોગ, સેવન અને વધારે પડતા સેવન કરવાથી થતાં નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. જો મીઠાનું સેવન ઓછું નહીં કરવામાં આવે તો અનેક લોકોના જીવ આને કારણે જઈ શકે છે. 


World Salt Awarness Weekની થઈ રહી છે ઉજવણી  

સમગ્ર વિશ્વમાં 19થી 29 માર્ચ સુધી World Salt Awarness Weekની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન લોકોને વધારે પડતા મીઠાના સેવનથી થતા નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મીઠાનું સેવન કરવાની વાતને લઈ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે વધુ સોડિયમ ખાવાથી શું સમસ્યા થઈ શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં તે લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે 2030 સુધીમાં લોકોમાં 30 ટકા સુધી મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે પડતા મીઠાનું સેવન કરવાથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.


લોકોને જાગૃત કરવા ચલાવાશે ઝુંબેશ 

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એક મોટી વસ્તી જરૂરિયાત કરતા વધારે મીઠાનું સેવન કરે છે. જેને કારણે આગામી વર્ષોમાં લગભગ 70 લાખ જેટલા લોકોના મોત મીઠાને કારણે થઈ શકે છે. મીઠાને કારણે થતી બીમારીઓને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય મીઠાના સેવનથી વોટર રિટેન્શન વધી શકે છે જેને કારણે શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉભી થાય છે. તે ઉપરાંત હાડકા પણ નબળા થઈ જાય છે. જેને કારણે કિડની અને લિવર જેવા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે માટે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. વિશ્વભરના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે જેને ઓછું કરવું જોઈએ નહીંતર લોકો માટે મીઠું નુકસાન સાબિત થઈ શકે છે.       



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.