ખોરાકમાં વધારે પડતું મીઠું થઈ શકે છે જીવલેણ સાબિત! વિશ્વ આરોગ્ય સંસ્થાએ રિપોર્ટમાં કર્યા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:19:15

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં વધારે મીઠું ખાવાથી શું નુકસાન થાય તે અંગે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર લોકોએ મીઠાનું સેવન 30 ટકા સુધી ઘટાડવું પડશે. તે માટે 2025 સુધી ઝુંબેશ ચલાવવામાં આવશે. મીઠાનું સેવન કરવાથી લોકોના જીવને જોખમ રહેતું હોય છે. મીઠાનો ઉપયોગ, સેવન અને વધારે પડતા સેવન કરવાથી થતાં નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. જો મીઠાનું સેવન ઓછું નહીં કરવામાં આવે તો અનેક લોકોના જીવ આને કારણે જઈ શકે છે. 


World Salt Awarness Weekની થઈ રહી છે ઉજવણી  

સમગ્ર વિશ્વમાં 19થી 29 માર્ચ સુધી World Salt Awarness Weekની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. આ અઠવાડિયા દરમિયાન લોકોને વધારે પડતા મીઠાના સેવનથી થતા નુકસાનને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મીઠાનું સેવન કરવાની વાતને લઈ ખુલાસો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું કે વધુ સોડિયમ ખાવાથી શું સમસ્યા થઈ શકે છે તે અંગે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં તે લક્ષ્ય નિર્ધારિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું છે કે 2030 સુધીમાં લોકોમાં 30 ટકા સુધી મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. વધારે પડતા મીઠાનું સેવન કરવાથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.


લોકોને જાગૃત કરવા ચલાવાશે ઝુંબેશ 

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર એક મોટી વસ્તી જરૂરિયાત કરતા વધારે મીઠાનું સેવન કરે છે. જેને કારણે આગામી વર્ષોમાં લગભગ 70 લાખ જેટલા લોકોના મોત મીઠાને કારણે થઈ શકે છે. મીઠાને કારણે થતી બીમારીઓને કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે સિવાય મીઠાના સેવનથી વોટર રિટેન્શન વધી શકે છે જેને કારણે શરીરમાં સોજા આવવાની સમસ્યા ઉભી થાય છે. તે ઉપરાંત હાડકા પણ નબળા થઈ જાય છે. જેને કારણે કિડની અને લિવર જેવા અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે માટે લોકોને જાગૃત કરવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. વિશ્વભરના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે જેને ઓછું કરવું જોઈએ નહીંતર લોકો માટે મીઠું નુકસાન સાબિત થઈ શકે છે.       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .