હિમાચલમાં મુશળધાર વરસાદ, 72 લોકોના મોત, કુલ્લુ અને મનાલીમાં અંધારપટ યથાવત, 500 પર્યટકો ફસાયા


  • Published By :
  • Published Date : 2023-07-11 19:14:34

હિમાચલમાં કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મુશળધાર વરસાદથી રાજ્યના તમામ મોટા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. નદીઓ ગાડીતુર બનીને વહેતા મકાનો, માર્ગો અને હોટેલોને નુકસાન થયું છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1235થી વધુ માર્ગો તુટી ગયા છે.


72 લોકોના થયા મોત


હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદના કારણે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 30 લોકોના મોત તો રાજ્યમાં ચાર દિવસથી થઈ રહેલા ભૂસ્ખલનના કારણે થયા છે. સૌથી વધુ 22 મોત શિમલા જિલ્લામાં ત્યાર બાદ કુલ્લુમાં 16, સોલનમાં 6, હમીરપુરમાં 5, વિલાસપુર અને સિરમૌરમાં 3-3, મંડી, ઉના અને કિન્નોરમાં 2-2 અને કાંગડામાં એક વ્યક્તિનું મોત થયું છે.  


કુલ્લુ અને મનાલીમાં અંધારપટ


હિમાચલ પ્રદેશના કુલ્લુ અન મનાલીમાં વિદ્યુત અને ટેલિકોમ સર્વિસ 4 દિવસોથી સંપુર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે અને વીજપોલ ધરાશાઈ થતા આ સ્થિતી સર્જાઈ છે. કુલ્લુ ખીણના તમામ માર્ગો તુટી જતા વિસ્તારમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે. લોકોને દુધ અને બ્રેડ પણ મળતા નથી.


400થી 500 પર્યટકો ફસાયા


કુલ્લુ જિલ્લામાં જ મણિકર્ણ ઘાટમાં મણિકર્ણ ગુરૂદ્વારાનો કેટલોક ભાગ નદીમાં વહી ગયો છે. તે ઉપરાંત મણિકર્ણથી બરશૈણીનો કેટલોક ભાગ વહી ગયો છે. મળતી જાણકારી મુજબ 400થી 500 પર્યટકો બરશૈણીના પુલગા, તુલગા, તોષ અને બરશૈણી પર્યટન સ્થળે ફસાઈ ગયા છે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા આ પર્યટકોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.