હિમાચલમાં મુશળધાર વરસાદ, 72 લોકોના મોત, કુલ્લુ અને મનાલીમાં અંધારપટ યથાવત, 500 પર્યટકો ફસાયા


  • Published By :
  • Published Date : 2023-07-11 19:14:34

હિમાચલમાં કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મુશળધાર વરસાદથી રાજ્યના તમામ મોટા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. નદીઓ ગાડીતુર બનીને વહેતા મકાનો, માર્ગો અને હોટેલોને નુકસાન થયું છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1235થી વધુ માર્ગો તુટી ગયા છે.


72 લોકોના થયા મોત


હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદના કારણે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 30 લોકોના મોત તો રાજ્યમાં ચાર દિવસથી થઈ રહેલા ભૂસ્ખલનના કારણે થયા છે. સૌથી વધુ 22 મોત શિમલા જિલ્લામાં ત્યાર બાદ કુલ્લુમાં 16, સોલનમાં 6, હમીરપુરમાં 5, વિલાસપુર અને સિરમૌરમાં 3-3, મંડી, ઉના અને કિન્નોરમાં 2-2 અને કાંગડામાં એક વ્યક્તિનું મોત થયું છે.  


કુલ્લુ અને મનાલીમાં અંધારપટ


હિમાચલ પ્રદેશના કુલ્લુ અન મનાલીમાં વિદ્યુત અને ટેલિકોમ સર્વિસ 4 દિવસોથી સંપુર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે અને વીજપોલ ધરાશાઈ થતા આ સ્થિતી સર્જાઈ છે. કુલ્લુ ખીણના તમામ માર્ગો તુટી જતા વિસ્તારમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે. લોકોને દુધ અને બ્રેડ પણ મળતા નથી.


400થી 500 પર્યટકો ફસાયા


કુલ્લુ જિલ્લામાં જ મણિકર્ણ ઘાટમાં મણિકર્ણ ગુરૂદ્વારાનો કેટલોક ભાગ નદીમાં વહી ગયો છે. તે ઉપરાંત મણિકર્ણથી બરશૈણીનો કેટલોક ભાગ વહી ગયો છે. મળતી જાણકારી મુજબ 400થી 500 પર્યટકો બરશૈણીના પુલગા, તુલગા, તોષ અને બરશૈણી પર્યટન સ્થળે ફસાઈ ગયા છે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા આ પર્યટકોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.