હિમાચલમાં મુશળધાર વરસાદ, 72 લોકોના મોત, કુલ્લુ અને મનાલીમાં અંધારપટ યથાવત, 500 પર્યટકો ફસાયા


  • Published By :
  • Published Date : 2023-07-11 19:14:34

હિમાચલમાં કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મુશળધાર વરસાદથી રાજ્યના તમામ મોટા શહેરોમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કરોડોની માલ મિલકતનું નુકસાન થયું છે. નદીઓ ગાડીતુર બનીને વહેતા મકાનો, માર્ગો અને હોટેલોને નુકસાન થયું છે. રાજ્યમાં ત્રણ નેશનલ હાઈવે સહિત 1235થી વધુ માર્ગો તુટી ગયા છે.


72 લોકોના થયા મોત


હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદના કારણે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. તેમાંથી 30 લોકોના મોત તો રાજ્યમાં ચાર દિવસથી થઈ રહેલા ભૂસ્ખલનના કારણે થયા છે. સૌથી વધુ 22 મોત શિમલા જિલ્લામાં ત્યાર બાદ કુલ્લુમાં 16, સોલનમાં 6, હમીરપુરમાં 5, વિલાસપુર અને સિરમૌરમાં 3-3, મંડી, ઉના અને કિન્નોરમાં 2-2 અને કાંગડામાં એક વ્યક્તિનું મોત થયું છે.  


કુલ્લુ અને મનાલીમાં અંધારપટ


હિમાચલ પ્રદેશના કુલ્લુ અન મનાલીમાં વિદ્યુત અને ટેલિકોમ સર્વિસ 4 દિવસોથી સંપુર્ણપણે ઠપ થઈ ગઈ છે. પાણી ભરાવાના કારણે અને વીજપોલ ધરાશાઈ થતા આ સ્થિતી સર્જાઈ છે. કુલ્લુ ખીણના તમામ માર્ગો તુટી જતા વિસ્તારમાં જીવનજરૂરી ચીજોની અછત સર્જાઈ છે. લોકોને દુધ અને બ્રેડ પણ મળતા નથી.


400થી 500 પર્યટકો ફસાયા


કુલ્લુ જિલ્લામાં જ મણિકર્ણ ઘાટમાં મણિકર્ણ ગુરૂદ્વારાનો કેટલોક ભાગ નદીમાં વહી ગયો છે. તે ઉપરાંત મણિકર્ણથી બરશૈણીનો કેટલોક ભાગ વહી ગયો છે. મળતી જાણકારી મુજબ 400થી 500 પર્યટકો બરશૈણીના પુલગા, તુલગા, તોષ અને બરશૈણી પર્યટન સ્થળે ફસાઈ ગયા છે. સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા આ પર્યટકોને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.