ટામેટાના ભાવ વધતા માર્કેટમાં વેપારી લાવ્યા નવી ઓફર! જાણો કયા રાજ્યમાં બની આ ઘટના?


  • Published By :
  • Published Date : 2023-07-17 13:44:44

જ્યારથી ટામેટા ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારથી ટામેટાને લઈ અનેક સમાચારો સામે આવી રહ્યા છે. કોઈ વખત ટામેટા ચોરી થઈ જવાની ઘટના તો કોઈ વખત ટામેટાને કારણે પતિ પત્ની વચ્ચે થતાં ઝઘડાના સમાચાર સામે આવી રહ્યા છે. ટામેટા લોકો સુધી પહોંચે તે માટે ચપ્પલ વેચતા એક વેપારીએ જબરની ઓફર કાઢી છે. દુકાન દ્વારા રાખવામાં આવેલી ઓફર મુજબ જો તમે એક જોડી ચપ્પલ ખરીદશો તો તમને બે કિલો ટામેટા મફતમાં મળશે. 


પંજાબના એક વેપારી લાવ્યા ગજબ ઓફર 

શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તે પણ ટામેટા 200 રુપિયે કિલો અનેક જગ્યાઓ પર વેચાઈ રહ્યા છે. ટામેટાના વધતા ભાવને લઈ સોશિયલ મીડિયા પર અનેક મિમ્સ બની રહ્યા છે. ટામેટા ચોરાઈ ગયા હોવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લોકોના શાકમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. ત્યારે એક સમાચાર સામે આવ્યા છે જેમાં ચપ્પલ વેચતા વેપારી લોકો ટામેટા ખરીદી શકે તે માટે ઓફર લાવ્યા છે.પંજાબના ગુરદાસપૂરમાં એક વેપારી આ ઓફર લઈને આવ્યા છે.  


ચપ્પલની ખરીદી પર મળશે બે કિલો ટામેટા ફ્રી!

ઓફર કંઈ આ પ્રમાણે છે કે એક જોડા ચપ્પલ ખરીદો અને બે કિલો ટામેટા મફત મેળવો. હજારથી દોઢ હજારના ચપ્પલની ખરીદી કરવા પર બે કિલો ટામેટા આપવામાં આવશે. વેપારીએ આ અંગે વાત કરતા કહ્યું કે જ્યાં સુધી ટામેટાના ભાવમાં વધારો છે ત્યાં સુધી આ ઓફર ચાલું રહેશે. ખેર આ ઓફરને કેવો રિસ્પોન્સ મળે છે તે વસ્તુ અલગ છે પરંતુ ટામેટાને કારણે આવા અજીબો ગરીબ કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા ેછે.       


ટામેટાને કારણે દંપત્તિ વચ્ચે થઈ હતી તકરાર

મહત્વનું છે કે જ્યારથી ટામેટાના ભાવમાં વધારો થયો છે ત્યારથી આવા અનેક સમાચારો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે દંપત્તિ વચ્ચે ટામેટાએ ઝઘડો કરાવી દીધો હતો. ઢાબા પર પતિએ બે ટામેટા વધારે વાપરી નાખ્યા જેને લઈ પત્ની ગુસ્સે થઈ ગઈ. પત્ની ઘર છોડીને જતી રહી હતી. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ટામેટાએ જ પત્ની પતિ વચ્ચે મિલન કરાવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં જ પતિએ પત્નીને ટામેટાની ગિફ્ટ આપી હતી અને તેની પરવાનગી વગર રસોઈ ન બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે આ મામલો શાંત પડ્યો હતો. મહત્વનું છે કે એક સમયે ટામેટાના ભાવ ન મળવાને કારણે ખેડૂતો રડી રહ્યા હતા પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ટામેટા સામાન્ય વર્ગના પરિવારને રડાવી રહ્યા છે.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .