બિહારમાં બ્રિજ તૂટી પડતા સર્જાઈ દુર્ઘટના! ગંગા નદી પર નિર્માણધીન બ્રિજ ફરી એક વખત ધરાશાયી! ભ્રષ્ટાચાર અંગે ઉઠ્યા સવાલ!


  • Published By :
  • Published Date : 2023-06-05 11:11:36

થોડા સમય પહેલા ગુજરાતના મોરબીમાં પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે બિહારના ખગરિયામાં અગુવાની સુલતાનગંજ વચ્ચે નિર્માણધીન બ્રિજ રવિવાર સાંજે ધરાશાયી થઈ ગયો હતો. પુલના ચાર સ્લેબ નદીમાં પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ શ્રમિક કામ કરી રહ્યા ન હતા. બ્રિજનો લગભગ 192 મીટર ભાગ નદીમાં પડી ગયો હતો. પુલ પડવાની ઘટના સામે આવતા પુલ નિગમના એમડી સહિતની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

   

નિર્માણધીન બ્રિજનો સ્લેબ થયો ધરાશાયી!

વર્ષ 2014માં મુખ્યમંત્રી નિતીશ કુમારે આ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો અને 2015થી આ બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ 1710.77 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવાર સાંજે આ નિર્માણધીન બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં ચાર પિલર તૂટી પડ્યા હતા. 192 મીટરનો ભાગ નદીમાં પડી જતા નદીમાં અનેક ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. જે બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે તે પુલની લંબાઈ 3.16 કિમી છે. અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે બાંધવામાં આવી રહ્યો છે.    


આ પહેલા પણ બ્રિજના નિર્માણ દરમિયાન સર્જાઈ હતી દુર્ઘટના! 

બ્રિજ નિર્માણ દરમિયાન આવી પહેલી વાર ઘટના બની હોય તેવું નથી. ગયા વર્ષે પણ પુલના સ્લેબ ધરાશાયી થયા હતા. ત્રણ પિલરના 36 જેટલા સ્લેબ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ વખતે બીજી વખત આવી દુર્ઘટના સર્જાઈ છે જેને કારણે આ બ્રિજના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાતો ચર્ચાઈ રહી છે.  


દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગે કરાશે તપાસ!  

ગુજરાત હોય કે બિહાર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તે આવી ઘટનાઓ સાબિત કરે છે. કાગડા બધે કાળા જ હોય છે આ કહેવતને આવી ઘટનાઓ સાચી સાબિત કરે છે. આ ઘટના અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેનું કારણ શોધવામાં આવશે. પરંતુ આવી દુર્ઘટના સર્જાય જ નહીં તે અંગે વિચાર કરવામાં નહીં આવે. ખેર હવે ફરી આ દુર્ઘટના માટે શું કારણ આપે છે તે જોવાનું રહ્યું પણ દેશની જનતાના પરસેવાની કમાણી કેવી રીતે પાણીમાં વહી જાય છે તેનું ઉદાહરણ આ દુર્ઘટના બતાવી જાય છે.  


સરકારને ઘેરવાનો કરાયો પ્રયાસ!

આ દુર્ઘટનાને લઈ સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. પરબત્તાના ભાજપના ધારાસભ્ય ડો. સંજીવ કુમારે કહ્યું કે જે રીતે બ્રિજ તૂટી પડ્યો છે, આનાથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો શું હોઈ શકે? બ્રિજ બનાવવાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. ગયા વર્ષે જ્યારે પુલનો એક ભાગ તૂટી પડ્યો ત્યારે મેં વિધાનસભામાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.