'જય શ્રી રામ'ના નારા સાથે રિલીઝ થયું ફિલ્મ આદિપુરુષનું ટ્રેલર, પ્રભાસ અને કૃતિ સેનન ફિલ્મના છે સ્ટાર કાસ્ટ! શું તમે જોયું ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર!


  • Published By :
  • Published Date : 2023-05-09 19:04:28

પ્રભાસની મોસ્ટ વોન્ટેડ ફિલ્મ આદિપૂરુષનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ અને કૃતિ સેનન આ વર્ષની  Most awaited ફિલ્મ છે જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળવાના છે, જ્યારે કૃતિ સેનન સીતાના રોલમાં જોવા મળવાની છે. જ્યારે રાવણનું પાત્ર સૈફ અલી ખાન ભજવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર જ્યારથી જાહેર થયું હતું ત્યારથી વિવાદમાં ઘેરાઈ ગઈ હતી. ત્યારે આ ફિલ્મનું ભવ્ય ટ્રેલર રિલીઝ થયું છે.

 

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે આદિપૂરુષનું ટ્રેલર!

ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરની શરૂઆત પવન પુત્ર હનુમાનથી થાય છે. નિર્માતાઓએ પીવીઆર જુહુ ખાતે ટ્રેલર લોન્ચ કરવા માટે ઈવેન્ટનું આયોજન કર્યું હતું. ટ્રેલરને જોતા લાગે છે વીએફએસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. અનેક સીનમાં પણ બદલાવ કરાયા છે. ટ્રેલર લોન્ચ થતાં સોશિયલ મીડિયા પર આદિપૂરુષ ટ્રેન્ડ થઈ રહ્યું છે.      

 

રામ ચરિત માનસની ચોપાઈથી શરૂ થાય છે ટ્રેલર

આદિપૂરૂષ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હનુમાનજીના નામથી ટ્રેલર રિલીઝ થયું છે. પાછળ રામચરિત માનસની ચોપાઈ સંભળાય છે. તે પછી એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામના મહિમાનો ગુણગાન કરવામાં આવે છે. વીઓમાં સંભળાય છે કે આ કહાની છે મારા ભગવાન શ્રીરામની. જે માનવમાંથી ભગવાન બની ગયા. જેમનું જીવન મર્યાદા અને ઉત્સવ અને નામ હતું રાઘવ. અને પછી એન્ટ્રી થાય છે ભગવાનના વેશમાં આવેલા પ્રભાસની. 


16 જૂનના રોજ આટલી ભાષામાં ફિલ્મ થવાની છે રિલીઝ!

આ ફિલ્મમાં મેકર્સ શું નવું લઈને આવશે તેવી વાત દરેકના મનમાં હતી કારણ કે રામાયણની કથા લગભગ બધાને ખબર છે. આદિપૂરુષ ફિલ્મ હનુમાનજીની દ્રષ્ટિએ બનાવવામાં આવી છે. હનુમાનજી આ ફિલ્મના મુખ્યસૂત્રધાર છે. ફિલ્મમાં હનુમાનજીનો રોલ દેવદત્ત નાગએ નિભાવ્યો છે. આ ફિલ્મ માત્ર હિંદીમાં નહીં પરંતુ અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે. તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. 16 જૂનના રોજ સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે. મહત્વનું છે કે વિવાદ થવાને કારણે ટ્રેલરમાં ફેરફાર કરવામાં આવ્યા છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.