એક્ટિવા પર સાત બાળકો સાથે કરી મુસાફરી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી, જાણો ક્યાની છે ઘટના ?


  • Published By :
  • Published Date : 2023-06-27 16:56:02

સામાન્ય રીતે ટુ વ્હીલર પર બે જ વ્યક્તિઓ બેસી શકે છે. જો તમે ત્રિપલ સવારી પણ કરશો તો તમે કાયદો તોડ્યો કહેવાશે. અનેક એવા વ્યક્તિઓ હોય છે જે ત્રિપલ સવારી કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટિવા પર સાત છોકરાઓને લઈ એક વ્યક્તિ જઈ રહ્યો છે. આ મુસાફરીનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી દીધો. પોલીસને આ અંગે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી અને મળતી માહિતી અનુસાર તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.

  



એક નાનો બાળક એક્ટિવાની પાછળ ઉભો છે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો સ્ટંટ કરી જીવનને જોખમમાં મૂકતા હોય છે. કોઈ ખુલ્લા હાથે વ્હીકલ ચલાવતા હોય છે, તો કોઈ બાઈક પર ઉભા રહી વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં નથી તો સ્ટંટ કે નથી તો લાઈક મેળવવાની હાય. પરંતુ તે વીડિયોમાં એક વ્યક્તિ  બાળકો સાથે સફર કરી રહ્યો છે. એક નાનો બાળક તો એક્ટિવાના પાછળના ભાગ પર ઉભો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યા છે પરંતુ સાત લોકોને એક્ટિવા પર બેસાડીને. વીડિયોને જોતા લાગે છે કે વ્યક્તિ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. 


પોલીસે કરી વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી

એક અનુમાન પ્રમાણે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 21 જૂનથી 24 જૂન વચ્ચેનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ એક્ટિવા પર બાળકોને બેસાડી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી. જે બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ મુનવ્વર શાહ છે અને તે નારિયેળની દુકાન ચલાવે છે. સાત બાળકોમાંથી ત્રણ બાળક પાડોસીના છે. તે બાળકોને ટ્યુશન છોડવા જઈ રહ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ઘટના તારદેવ પોલીસ સ્ટેશનની છે. તે પહેલા મુંબઈ પોલીસે બાઈક પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.