એક્ટિવા પર સાત બાળકો સાથે કરી મુસાફરી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી, જાણો ક્યાની છે ઘટના ?


  • Published By :
  • Published Date : 2023-06-27 16:56:02

સામાન્ય રીતે ટુ વ્હીલર પર બે જ વ્યક્તિઓ બેસી શકે છે. જો તમે ત્રિપલ સવારી પણ કરશો તો તમે કાયદો તોડ્યો કહેવાશે. અનેક એવા વ્યક્તિઓ હોય છે જે ત્રિપલ સવારી કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટિવા પર સાત છોકરાઓને લઈ એક વ્યક્તિ જઈ રહ્યો છે. આ મુસાફરીનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી દીધો. પોલીસને આ અંગે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી અને મળતી માહિતી અનુસાર તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.

  



એક નાનો બાળક એક્ટિવાની પાછળ ઉભો છે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો સ્ટંટ કરી જીવનને જોખમમાં મૂકતા હોય છે. કોઈ ખુલ્લા હાથે વ્હીકલ ચલાવતા હોય છે, તો કોઈ બાઈક પર ઉભા રહી વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં નથી તો સ્ટંટ કે નથી તો લાઈક મેળવવાની હાય. પરંતુ તે વીડિયોમાં એક વ્યક્તિ  બાળકો સાથે સફર કરી રહ્યો છે. એક નાનો બાળક તો એક્ટિવાના પાછળના ભાગ પર ઉભો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યા છે પરંતુ સાત લોકોને એક્ટિવા પર બેસાડીને. વીડિયોને જોતા લાગે છે કે વ્યક્તિ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. 


પોલીસે કરી વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી

એક અનુમાન પ્રમાણે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 21 જૂનથી 24 જૂન વચ્ચેનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ એક્ટિવા પર બાળકોને બેસાડી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી. જે બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ મુનવ્વર શાહ છે અને તે નારિયેળની દુકાન ચલાવે છે. સાત બાળકોમાંથી ત્રણ બાળક પાડોસીના છે. તે બાળકોને ટ્યુશન છોડવા જઈ રહ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ઘટના તારદેવ પોલીસ સ્ટેશનની છે. તે પહેલા મુંબઈ પોલીસે બાઈક પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરી હતી. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.