એક્ટિવા પર સાત બાળકો સાથે કરી મુસાફરી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી, જાણો ક્યાની છે ઘટના ?


  • Published By :
  • Published Date : 2023-06-27 16:56:02

સામાન્ય રીતે ટુ વ્હીલર પર બે જ વ્યક્તિઓ બેસી શકે છે. જો તમે ત્રિપલ સવારી પણ કરશો તો તમે કાયદો તોડ્યો કહેવાશે. અનેક એવા વ્યક્તિઓ હોય છે જે ત્રિપલ સવારી કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક્ટિવા પર સાત છોકરાઓને લઈ એક વ્યક્તિ જઈ રહ્યો છે. આ મુસાફરીનો વીડિયો કોઈએ ઉતારી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી દીધો. પોલીસને આ અંગે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી અને મળતી માહિતી અનુસાર તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે.

  



એક નાનો બાળક એક્ટિવાની પાછળ ઉભો છે

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવા અનેક લોકો સ્ટંટ કરી જીવનને જોખમમાં મૂકતા હોય છે. કોઈ ખુલ્લા હાથે વ્હીકલ ચલાવતા હોય છે, તો કોઈ બાઈક પર ઉભા રહી વ્હીકલ ચલાવતા હોય છે. ત્યારે મુંબઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં નથી તો સ્ટંટ કે નથી તો લાઈક મેળવવાની હાય. પરંતુ તે વીડિયોમાં એક વ્યક્તિ  બાળકો સાથે સફર કરી રહ્યો છે. એક નાનો બાળક તો એક્ટિવાના પાછળના ભાગ પર ઉભો છે. જેમાં એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યા છે પરંતુ સાત લોકોને એક્ટિવા પર બેસાડીને. વીડિયોને જોતા લાગે છે કે વ્યક્તિ બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા છે. 


પોલીસે કરી વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી

એક અનુમાન પ્રમાણે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 21 જૂનથી 24 જૂન વચ્ચેનો માનવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિ એક્ટિવા પર બાળકોને બેસાડી મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવી લીધો અને મુંબઈ પોલીસને ટેગ કરી. જે બાદ આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે વ્યક્તિ વિરૂદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો છે. આરોપીનું નામ મુનવ્વર શાહ છે અને તે નારિયેળની દુકાન ચલાવે છે. સાત બાળકોમાંથી ત્રણ બાળક પાડોસીના છે. તે બાળકોને ટ્યુશન છોડવા જઈ રહ્યા હતા. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ ઘટના તારદેવ પોલીસ સ્ટેશનની છે. તે પહેલા મુંબઈ પોલીસે બાઈક પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.