જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-23 08:38:22

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં  મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF   નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે. 

Blood on the valley's trails: Pahalgam terror attack rekindles Jammu and  Kashmir's darkest memories - The Times of India400 × 236

આપણા ભારતનો તાજ એવું જમ્મુ કાશ્મીર રાજ્ય જ્યાં આખા દેશમાંથી પર્યટકો ફરવા જતા હોય છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામના બાઇસારન ઘાટીમાં TRF નામના આતંવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો આ ઘાટીમાં જયારે ઘોડેસવારી કરતા હતા ત્યારે આ હુમલો નોંધાયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૬ જેટલા પર્યટકોના મૃત્યુના સમાચાર છે. જેવા જ  આ હુમલાના સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીર પોલીસ , સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળોને ત્યાં ખડકી દેવામાં આવ્યા છે સાથેજ યાત્રીઓને આ જગ્યા પરથી ખાલી કરાવી આતંકવાદીઓને ટ્રેસ કરવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે.  પહલગામનું બાઇસારન ઘાટી એક એવી જગ્યા છે જ્યાં માત્ર ચાલીને જ જઈ શકાય છે. આ વિસ્તારમાં ખુબ જ પ્રસ્સિદ્ધ જગ્યા છે. સાથે જ તે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.  એક પર્યટક જે આ હુમલા વખતે હાજર હતા તેમણે કહ્યું હતું કે , આ હુમલો બે ત્રણ આતંકવાદીઓ દ્વારા ખુબ જ ક્લોઝ રેન્જથી કરવામાં આવ્યો છે . તેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની યાત્રા પર છે પરંતુ તેમણે આ હુમલાને લઇને ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે સાથે જ શક્ય હોય તે બધા જ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. 

Amit Shah reaches Kashmir Valley, NIA likely to take over probe into  Pahalgam attack | Latest News India - Hindustan Times

આ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબ મુફ્તીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે , હું આ હુમલાને વખોડું છું સાથે જ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ પછી જમ્મુ કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે , જે પણ આ હુમલા પાછળ જવાબદાર છે તેમણે છોડવામાં નઈ આવે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું છે કે , હું આઘાતમાં છું . પર્યટકો પર આવો હુમલાની નિંદા કરું છું. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે તે પશુઓ કરતા પણ બદતર છે.  આ હુમલાને વખોડવા શબ્દો પૂરતા નથી . હું હુમલામાં પીડિત પરિવારોને મારી સાંત્વના પાઠવું છું . મેં મારા સાથીઓ સાથે વાત કરી છે. ગયા વર્ષે ૨૦૨૪માં પણ જમ્મુ કાશ્મીરના ગગનગીર નામની એક બાંધકામની જગ્યાએ આંતકવાદી હુમલાં ૧ ડોક્ટર અને ૬ મજૂરોના મોત થયા હતા .  ગયા વર્ષે મેં મહિનામાં પહલગામમાં જ યાત્રિકો પર હુમલો કરવામાં આવ્યો હતો .

Raj Bhavan, Government of Jammu & Kashmir




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.