જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-23 08:38:22

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં  મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF   નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે. 

Blood on the valley's trails: Pahalgam terror attack rekindles Jammu and  Kashmir's darkest memories - The Times of India400 × 236

આપણા ભારતનો તાજ એવું જમ્મુ કાશ્મીર રાજ્ય જ્યાં આખા દેશમાંથી પર્યટકો ફરવા જતા હોય છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામના બાઇસારન ઘાટીમાં TRF નામના આતંવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો આ ઘાટીમાં જયારે ઘોડેસવારી કરતા હતા ત્યારે આ હુમલો નોંધાયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૬ જેટલા પર્યટકોના મૃત્યુના સમાચાર છે. જેવા જ  આ હુમલાના સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીર પોલીસ , સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળોને ત્યાં ખડકી દેવામાં આવ્યા છે સાથેજ યાત્રીઓને આ જગ્યા પરથી ખાલી કરાવી આતંકવાદીઓને ટ્રેસ કરવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે.  પહલગામનું બાઇસારન ઘાટી એક એવી જગ્યા છે જ્યાં માત્ર ચાલીને જ જઈ શકાય છે. આ વિસ્તારમાં ખુબ જ પ્રસ્સિદ્ધ જગ્યા છે. સાથે જ તે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.  એક પર્યટક જે આ હુમલા વખતે હાજર હતા તેમણે કહ્યું હતું કે , આ હુમલો બે ત્રણ આતંકવાદીઓ દ્વારા ખુબ જ ક્લોઝ રેન્જથી કરવામાં આવ્યો છે . તેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની યાત્રા પર છે પરંતુ તેમણે આ હુમલાને લઇને ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે સાથે જ શક્ય હોય તે બધા જ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. 

Amit Shah reaches Kashmir Valley, NIA likely to take over probe into  Pahalgam attack | Latest News India - Hindustan Times

આ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબ મુફ્તીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે , હું આ હુમલાને વખોડું છું સાથે જ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ પછી જમ્મુ કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે , જે પણ આ હુમલા પાછળ જવાબદાર છે તેમણે છોડવામાં નઈ આવે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું છે કે , હું આઘાતમાં છું . પર્યટકો પર આવો હુમલાની નિંદા કરું છું. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે તે પશુઓ કરતા પણ બદતર છે.  આ હુમલાને વખોડવા શબ્દો પૂરતા નથી . હું હુમલામાં પીડિત પરિવારોને મારી સાંત્વના પાઠવું છું . મેં મારા સાથીઓ સાથે વાત કરી છે. ગયા વર્ષે ૨૦૨૪માં પણ જમ્મુ કાશ્મીરના ગગનગીર નામની એક બાંધકામની જગ્યાએ આંતકવાદી હુમલાં ૧ ડોક્ટર અને ૬ મજૂરોના મોત થયા હતા .  ગયા વર્ષે મેં મહિનામાં પહલગામમાં જ યાત્રિકો પર હુમલો કરવામાં આવ્યો હતો .

Raj Bhavan, Government of Jammu & Kashmir




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.