જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-23 08:38:22

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં  મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF   નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે. 

Blood on the valley's trails: Pahalgam terror attack rekindles Jammu and  Kashmir's darkest memories - The Times of India400 × 236

આપણા ભારતનો તાજ એવું જમ્મુ કાશ્મીર રાજ્ય જ્યાં આખા દેશમાંથી પર્યટકો ફરવા જતા હોય છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામના બાઇસારન ઘાટીમાં TRF નામના આતંવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પર્યટકો આ ઘાટીમાં જયારે ઘોડેસવારી કરતા હતા ત્યારે આ હુમલો નોંધાયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૬ જેટલા પર્યટકોના મૃત્યુના સમાચાર છે. જેવા જ  આ હુમલાના સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીર પોલીસ , સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળોને ત્યાં ખડકી દેવામાં આવ્યા છે સાથેજ યાત્રીઓને આ જગ્યા પરથી ખાલી કરાવી આતંકવાદીઓને ટ્રેસ કરવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે.  પહલગામનું બાઇસારન ઘાટી એક એવી જગ્યા છે જ્યાં માત્ર ચાલીને જ જઈ શકાય છે. આ વિસ્તારમાં ખુબ જ પ્રસ્સિદ્ધ જગ્યા છે. સાથે જ તે ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે.  એક પર્યટક જે આ હુમલા વખતે હાજર હતા તેમણે કહ્યું હતું કે , આ હુમલો બે ત્રણ આતંકવાદીઓ દ્વારા ખુબ જ ક્લોઝ રેન્જથી કરવામાં આવ્યો છે . તેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની યાત્રા પર છે પરંતુ તેમણે આ હુમલાને લઇને ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી છે સાથે જ શક્ય હોય તે બધા જ પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. 

Amit Shah reaches Kashmir Valley, NIA likely to take over probe into  Pahalgam attack | Latest News India - Hindustan Times

આ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબ મુફ્તીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું છે કે , હું આ હુમલાને વખોડું છું સાથે જ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ પછી જમ્મુ કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે , જે પણ આ હુમલા પાછળ જવાબદાર છે તેમણે છોડવામાં નઈ આવે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું છે કે , હું આઘાતમાં છું . પર્યટકો પર આવો હુમલાની નિંદા કરું છું. જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે તે પશુઓ કરતા પણ બદતર છે.  આ હુમલાને વખોડવા શબ્દો પૂરતા નથી . હું હુમલામાં પીડિત પરિવારોને મારી સાંત્વના પાઠવું છું . મેં મારા સાથીઓ સાથે વાત કરી છે. ગયા વર્ષે ૨૦૨૪માં પણ જમ્મુ કાશ્મીરના ગગનગીર નામની એક બાંધકામની જગ્યાએ આંતકવાદી હુમલાં ૧ ડોક્ટર અને ૬ મજૂરોના મોત થયા હતા .  ગયા વર્ષે મેં મહિનામાં પહલગામમાં જ યાત્રિકો પર હુમલો કરવામાં આવ્યો હતો .

Raj Bhavan, Government of Jammu & Kashmir




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.