ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુ, એક્ઝિટ પોલના રિઝલ્ટ શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-02-27 21:50:46

પૂર્વ ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 2 માર્ચના દિવસે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી સરકાર બનાવશે. જો કે વાસ્તવિક પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. તે પરિણામો ચૂંટણીની દિશા વિશે મોટો સંકેત આપી રહ્યા છે.


નાગાલેન્ડમાં ગઠબંધન સરકાર  


નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. ભાજપ ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2, જ્યારે NPFને 3થી 8 બેઠકો મળી શકે છે.


મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા


મેઘાલયના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. NPPને 18થી 24, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળી શકે છે. એટલે કે કોઈ પાર્ટીને બહુમતી મળી શકે તેમ નથી.


ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર


ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને  Axis My India અને આજતકના   એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો જોવા મળી રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનને 9થી 11 સીટે મળી શકે છે. ત્રિપુરામાં TMP ડાબેરીથી પણ સારું પ્રદર્શન કરતી જણાય છે. એક્ઝીટ પોલ અનુસાર TMPને 9થી 16 સીટો મળી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.