ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુ, એક્ઝિટ પોલના રિઝલ્ટ શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-02-27 21:50:46

પૂર્વ ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 2 માર્ચના દિવસે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી સરકાર બનાવશે. જો કે વાસ્તવિક પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. તે પરિણામો ચૂંટણીની દિશા વિશે મોટો સંકેત આપી રહ્યા છે.


નાગાલેન્ડમાં ગઠબંધન સરકાર  


નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. ભાજપ ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2, જ્યારે NPFને 3થી 8 બેઠકો મળી શકે છે.


મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા


મેઘાલયના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. NPPને 18થી 24, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળી શકે છે. એટલે કે કોઈ પાર્ટીને બહુમતી મળી શકે તેમ નથી.


ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર


ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને  Axis My India અને આજતકના   એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો જોવા મળી રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનને 9થી 11 સીટે મળી શકે છે. ત્રિપુરામાં TMP ડાબેરીથી પણ સારું પ્રદર્શન કરતી જણાય છે. એક્ઝીટ પોલ અનુસાર TMPને 9થી 16 સીટો મળી શકે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.