ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુ, એક્ઝિટ પોલના રિઝલ્ટ શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-02-27 21:50:46

પૂર્વ ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 2 માર્ચના દિવસે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી સરકાર બનાવશે. જો કે વાસ્તવિક પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. તે પરિણામો ચૂંટણીની દિશા વિશે મોટો સંકેત આપી રહ્યા છે.


નાગાલેન્ડમાં ગઠબંધન સરકાર  


નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. ભાજપ ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2, જ્યારે NPFને 3થી 8 બેઠકો મળી શકે છે.


મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા


મેઘાલયના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. NPPને 18થી 24, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળી શકે છે. એટલે કે કોઈ પાર્ટીને બહુમતી મળી શકે તેમ નથી.


ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર


ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને  Axis My India અને આજતકના   એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો જોવા મળી રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનને 9થી 11 સીટે મળી શકે છે. ત્રિપુરામાં TMP ડાબેરીથી પણ સારું પ્રદર્શન કરતી જણાય છે. એક્ઝીટ પોલ અનુસાર TMPને 9થી 16 સીટો મળી શકે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.