ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકાર, મેઘાલયમાં ત્રિશંકુ, એક્ઝિટ પોલના રિઝલ્ટ શું કહે છે?


  • Published By :
  • Published Date : 2023-02-27 21:50:46

પૂર્વ ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં માં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 2 માર્ચના દિવસે પરિણામો પરથી સ્પષ્ટ થશે કે કઈ પાર્ટી સરકાર બનાવશે. જો કે વાસ્તવિક પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. તે પરિણામો ચૂંટણીની દિશા વિશે મોટો સંકેત આપી રહ્યા છે.


નાગાલેન્ડમાં ગઠબંધન સરકાર  


નાગાલેન્ડ ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જણાવી રહ્યા છે કે ફરી એકવાર NDPP અને BJPની ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. પ્રચંડ બહુમતી સાથે પરત ફરવાના સંકેતો છે. ભાજપ ગઠબંધનને 38થી 48, કોંગ્રેસને 1થી 2, જ્યારે NPFને 3થી 8 બેઠકો મળી શકે છે.


મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા


મેઘાલયના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. આ વખતે કોઈ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી. NPPને 18થી 24, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળી શકે છે. એટલે કે કોઈ પાર્ટીને બહુમતી મળી શકે તેમ નથી.


ત્રિપુરામાં ફરી ભાજપની સરકાર


ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીને લઈને  Axis My India અને આજતકના   એક્ઝીટ પોલમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનાં સંકેતો જોવા મળી રહ્યાં છે. ભાજપને 36થી 45 સીટો મળી શકે છે. જ્યારે ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધનને 9થી 11 સીટે મળી શકે છે. ત્રિપુરામાં TMP ડાબેરીથી પણ સારું પ્રદર્શન કરતી જણાય છે. એક્ઝીટ પોલ અનુસાર TMPને 9થી 16 સીટો મળી શકે છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.