Trump સરકારની મોટી જાહેરાત Americaની નાગરિકતા મેળવવા આપવા પડશે 44 કરોડ! , ભારતીયોને શું ફાયદો શું નુકશાન?


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 19:00:17

અમેરિકા જવા માટે લોકો તલપાપડ થતાં હોય છે અને બાદમાં કઈ કઈ રીતે એ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એ આપણને ખબર છે પણ હવે એ બધુ કરવાની જરૂર નથી.. અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે 




44 કરોડ આપીને કાયદેસર નાગરિક બની શકાશે! 


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાના છે ટ્રમ્પ સરકારે 'ગોલ્ડ કાર્ડ' નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેને 5 મિલિયન ડોલર એટલે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાશે.. એટલે જો અમેરિકા જવું છે નાગરિક કાયદેસર બનવું છે 44 કરોડ ખર્ચો 


ગોલ્ડન કાર્ડના ફાયદા શું? 


ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં, EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકશે. હવે આટલા પૈસા ખર્ચીને જો ત્યાં જે છે તો એનો ફાયદો શું થસે તો ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકારો આપશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ બે અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. 



ભારતીયોને શું નુકશાન? 

આમ તો USમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ બેસ્ટ છે. તે 1990થી અમલમાં છે. જેના બદલે આ પ્રોગ્રામ ચાલુ થશે  'ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ' એવા ભારતીયો માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. હવે એ બધા પાસે ગોલ્ડન કાર્ડનો વિકલ્પ છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.