Trump સરકારની મોટી જાહેરાત Americaની નાગરિકતા મેળવવા આપવા પડશે 44 કરોડ! , ભારતીયોને શું ફાયદો શું નુકશાન?


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 19:00:17

અમેરિકા જવા માટે લોકો તલપાપડ થતાં હોય છે અને બાદમાં કઈ કઈ રીતે એ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે એ આપણને ખબર છે પણ હવે એ બધુ કરવાની જરૂર નથી.. અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે 




44 કરોડ આપીને કાયદેસર નાગરિક બની શકાશે! 


રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન નાગરિકતા આપવાના બદલામાં 5 ગણા વધુ પૈસા વસૂલવાના છે ટ્રમ્પ સરકારે 'ગોલ્ડ કાર્ડ' નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી. તેને 5 મિલિયન ડોલર એટલે 44 કરોડ ભારતીય રૂપિયામાં ખરીદી શકાશે.. એટલે જો અમેરિકા જવું છે નાગરિક કાયદેસર બનવું છે 44 કરોડ ખર્ચો 


ગોલ્ડન કાર્ડના ફાયદા શું? 


ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ને EB-5 વિઝા પ્રોગ્રામના વિકલ્પ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભવિષ્યમાં 1 મિલિયન ગોલ્ડ કાર્ડ વેચવામાં આવશે. હાલમાં, EB-5 વિઝા કાર્યક્રમ યુએસ નાગરિકતા મેળવવાનો સૌથી સરળ માર્ગ છે. ટ્રમ્પે કહ્યું કે આ વિઝા કાર્ડ અમેરિકન નાગરિકતાનો માર્ગ ખોલશે. લોકો આ ખરીદશે અને અમેરિકા આવશે અને અહીં ઘણો ટેક્સ ચૂકવશે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહેશે અને રાષ્ટ્રીય દેવું ઝડપથી ચૂકવી શકશે. હવે આટલા પૈસા ખર્ચીને જો ત્યાં જે છે તો એનો ફાયદો શું થસે તો ગોલ્ડ વિઝા કાર્ડ નાગરિકોને ગ્રીન કાર્ડ જેવા વિશેષ અધિકારો આપશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ બે અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. 



ભારતીયોને શું નુકશાન? 

આમ તો USમાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ જરૂરી છે. આ માટે EB-1, EB-2, EB-3, EB-4 વિઝા પ્રોગ્રામ છે, પરંતુ EB-5 વિઝા પ્રોગ્રામ બેસ્ટ છે. તે 1990થી અમલમાં છે. જેના બદલે આ પ્રોગ્રામ ચાલુ થશે  'ટ્રમ્પ વિઝા પ્રોગ્રામ' એવા ભારતીયો માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે જેઓ અમેરિકન નાગરિકતા મેળવવા માટે EB-5 પ્રોગ્રામ પર નિર્ભર હતા. હવે એ બધા પાસે ગોલ્ડન કાર્ડનો વિકલ્પ છે. 




ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .