જાપાનમાં ભૂકંપ બાદ સુનામીનો ખતરો, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા, ભારતીય દુતાવાસે જાહેર કર્યા નંબર


  • Published By :
  • Published Date : 2024-01-01 16:52:44

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા બાદ  સુનામી આવી છે, સુનામીની હજું પણ 1.3 ફિટ ઉંચી છે. લહેરો હજું પણ ઉંચી જવાની શક્યતા છે. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપની (TEPCO)એ શુક્રવારે કહ્યું કે જાપાનના નિગાટા પ્રાંતમાં દુનિયાના સૌથી મોટા પરમાણું ઉર્જા રિએક્ટર કાશીવાજાકી-કારીવા નજીક 1.3 ફિટ ઉંચી સુનામી નોંધાઈ હતી. ફુકુઈ પ્રીફેક્ચપ સુરક્ષા સમિતિએ કહ્યું કે રિએક્ટરની પરમાણું સુવિધાઓમાં કોઈ ઈમર્જન્સિ સ્થિતિ નોંધવામાં આવી નથી.   


કોક્કાઈડોથી ક્યૂશૂ સુધી ખતરો


એજન્સીની રિપોર્ટ મુજબ જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઈડોથી લઈને દક્ષિણના ટાપુ ક્યૂશૂ સુધી સમગ્ર પશ્ચિમી તટ પર સુનામીની એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ઈશિકાવા પ્રાંતમાં અનેક ભૂકંપો બાદ મોટી સુનામીનો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક  સમયાનુસાર 16:06 (07:06 GMT)થી શરૂ થઈને ઈશિકાવા અને નિગાટા પ્રાંતના ક્ષેત્રમાં 4.3થી 7.6 તીવ્રતાવાળા 9 ભૂકંપ આવ્યા છે. 


5 મીટર ઉંચી લહેરો 


જાપાનમાં ભૂકંપના 21 ઝટકા અનુભવાયા હતા, સતત ધરતીકંપ બાદ 34 હજાર ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. અનેક રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં 5 મીટર સુધી લહેરો ઉંચી ઉઠી શકે છે. સરકારે લોકોને તાત્કાલિક ઉંચા સ્થાનો કે નજીકની ઈમારતો પર ચઢી જવાનો આગ્રહ કર્યો છે.ભૂકંપથી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.


ભારતીય દુતાવાસે ઈમર્જન્સિ કોન્ટેક્ટ નંબરોની યાદી કરી જાહેર

 

ભારતના ટોકિયો સ્થિત દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમર્જન્સિ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરોની યાદી જાહેર કરી છે. દૂતાવાસે 1 જાન્યુઆરી, 2024 ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઈ-મેઇલ ID પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.