જાપાનમાં ભૂકંપ બાદ સુનામીનો ખતરો, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા, ભારતીય દુતાવાસે જાહેર કર્યા નંબર


  • Published By :
  • Published Date : 2024-01-01 16:52:44

જાપાનમાં ભૂકંપના જોરદાર ઝટકા બાદ  સુનામી આવી છે, સુનામીની હજું પણ 1.3 ફિટ ઉંચી છે. લહેરો હજું પણ ઉંચી જવાની શક્યતા છે. ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપની (TEPCO)એ શુક્રવારે કહ્યું કે જાપાનના નિગાટા પ્રાંતમાં દુનિયાના સૌથી મોટા પરમાણું ઉર્જા રિએક્ટર કાશીવાજાકી-કારીવા નજીક 1.3 ફિટ ઉંચી સુનામી નોંધાઈ હતી. ફુકુઈ પ્રીફેક્ચપ સુરક્ષા સમિતિએ કહ્યું કે રિએક્ટરની પરમાણું સુવિધાઓમાં કોઈ ઈમર્જન્સિ સ્થિતિ નોંધવામાં આવી નથી.   


કોક્કાઈડોથી ક્યૂશૂ સુધી ખતરો


એજન્સીની રિપોર્ટ મુજબ જાપાનના ઉત્તરી ટાપુ હોક્કાઈડોથી લઈને દક્ષિણના ટાપુ ક્યૂશૂ સુધી સમગ્ર પશ્ચિમી તટ પર સુનામીની એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ઈશિકાવા પ્રાંતમાં અનેક ભૂકંપો બાદ મોટી સુનામીનો ખતરો જાહેર કરવામાં આવ્યો છે. સ્થાનિક  સમયાનુસાર 16:06 (07:06 GMT)થી શરૂ થઈને ઈશિકાવા અને નિગાટા પ્રાંતના ક્ષેત્રમાં 4.3થી 7.6 તીવ્રતાવાળા 9 ભૂકંપ આવ્યા છે. 


5 મીટર ઉંચી લહેરો 


જાપાનમાં ભૂકંપના 21 ઝટકા અનુભવાયા હતા, સતત ધરતીકંપ બાદ 34 હજાર ઘરોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. અનેક રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા. જાપાનની સરકારી ચેનલ એનએચકે ટીવીએ ચેતવણી આપી છે કે સમુદ્રમાં 5 મીટર સુધી લહેરો ઉંચી ઉઠી શકે છે. સરકારે લોકોને તાત્કાલિક ઉંચા સ્થાનો કે નજીકની ઈમારતો પર ચઢી જવાનો આગ્રહ કર્યો છે.ભૂકંપથી કોઈ મોટી જાનહાનીના સમાચાર નથી.


ભારતીય દુતાવાસે ઈમર્જન્સિ કોન્ટેક્ટ નંબરોની યાદી કરી જાહેર

 

ભારતના ટોકિયો સ્થિત દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમર્જન્સિ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબરોની યાદી જાહેર કરી છે. દૂતાવાસે 1 જાન્યુઆરી, 2024 ના રોજ ભૂકંપ અને સુનામીના સંબંધમાં કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવા માટે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. નીચેના ઇમરજન્સી નંબરો અને ઈ-મેઇલ ID પર કોઈ પણ જાતની મદદ માટે સંપર્ક કરી શકાય છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.