તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આવ્યો વળાંક, શીઝાન ખાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:14:06

24 ડિસેમ્બરના રોજ ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને કારણે ટીવી ઈન્ટસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેમના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ અનેક વખત તુનિષાની માતાએ વાતો કરી છે ત્યારે આ વખતે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શીઝાનના પરિવારે તુનિષાની માતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.


તુનિષા શર્માની માતા પર લગાવ્યા આરોપ 

તુનિષા શર્માએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તુનિષા શર્મા કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. તુનિષા શર્માની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી કો-સ્ટાર અને પૂર્વ બોયફેન્ડ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ લગાવતા તેમણે કહ્યું કે શીઝાનને તેમની પૂત્રીને આત્મહત્યા કરવા પ્રેરી હતી. શીઝાન હાલ પોલીસની ગિરફ્તમાં છે. ત્યારે આજે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પરિવારે તુનિષાની માતા પર આરોપ લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના વકીલ પણ હાજર હતા અને દાવો કર્યો હતો કે તુનિષાની માતાએ અભિનેત્રીનો ફોન તોડી નાખ્યો હતો ઉપરાંત ગળું પણ દબાવ્યું હતું. 


શીઝાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા 

શીઝાનના પરિવાર દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનની બે બહેનો ફલક નાઝ અને શફાક નાઝ તેમજ તેમની માતા હાજર હતા. માતા અને બહેનોએ મળી તુનિષાની માતા વનિતા શર્મા વિશે વાતો કરી. આ અગાઉ તુનિષાની માતાએ શીઝાનના પરિવાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તુનિષાને હિજાબ પહેરવા દબાણ કરતા હતા. શીઝાનની બહેને કહ્યું કે તેના અને તુનિષા વચ્ચે બહેન જેવા સંબંધો હતા અને બંને વચ્ચે સારો બોન્ડ હતો.               



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી