તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આવ્યો વળાંક, શીઝાન ખાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા ખુલાસા


  • Published By :
  • Published Date : 2023-01-02 15:14:06

24 ડિસેમ્બરના રોજ ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ સીરિયલના સેટ પર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટનાને કારણે ટીવી ઈન્ટસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં તેમના કો-સ્ટાર અને પૂર્વ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને લઈ અનેક વખત તુનિષાની માતાએ વાતો કરી છે ત્યારે આ વખતે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી છે. શીઝાનના પરિવારે તુનિષાની માતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.


તુનિષા શર્માની માતા પર લગાવ્યા આરોપ 

તુનિષા શર્માએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. તુનિષા શર્મા કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. તુનિષા શર્માની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી કો-સ્ટાર અને પૂર્વ બોયફેન્ડ શીઝાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ લગાવતા તેમણે કહ્યું કે શીઝાનને તેમની પૂત્રીને આત્મહત્યા કરવા પ્રેરી હતી. શીઝાન હાલ પોલીસની ગિરફ્તમાં છે. ત્યારે આજે શીઝાનના પરિવારે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પરિવારે તુનિષાની માતા પર આરોપ લગાવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના વકીલ પણ હાજર હતા અને દાવો કર્યો હતો કે તુનિષાની માતાએ અભિનેત્રીનો ફોન તોડી નાખ્યો હતો ઉપરાંત ગળું પણ દબાવ્યું હતું. 


શીઝાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યા અનેક ખુલાસા 

શીઝાનના પરિવાર દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનની બે બહેનો ફલક નાઝ અને શફાક નાઝ તેમજ તેમની માતા હાજર હતા. માતા અને બહેનોએ મળી તુનિષાની માતા વનિતા શર્મા વિશે વાતો કરી. આ અગાઉ તુનિષાની માતાએ શીઝાનના પરિવાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેના પરિવારના સભ્યો તુનિષાને હિજાબ પહેરવા દબાણ કરતા હતા. શીઝાનની બહેને કહ્યું કે તેના અને તુનિષા વચ્ચે બહેન જેવા સંબંધો હતા અને બંને વચ્ચે સારો બોન્ડ હતો.               



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.