તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં આવ્યો વળાંક, પોલીસે કરી કો-સ્ટાર શીજાન ખાનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-12-25 13:22:06

શનિવાર સાંજે ટીવી ઈન્ડસ્ટ્રિની અદાકારા તુનિષા શર્માએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તુનિષા શર્મા સોની સબ પર આવતી સીરિયલ અલીબાબા-દાસ્તાન-એ-કાબુલની મુખ્ય અભિનેત્રી છે. અભિનેત્રીએ સીરિયલના સેટ પર જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  અચાનક આત્મહત્યાના સમાચાર આવતા તેમના ચાહકોને આઘાત લાગ્યો હતો. આપઘાત કયા કારણોસર કર્યું તે જાણવાની કોશિશ પોલીસ કરી રહી છે. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી લીધી છે.

  

આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસ કરશે તપાસ 

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. આત્મહત્યાના થોડા કલાકો પહેલા તુનિષા શર્માએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે જે લોકો પોતાના જુસ્સાથી આગળ વધે છે તે અટકતા નથી. તુનિષા શર્માએ કયા કારણોસર આપઘાત કર્યો તે કારણ હજી જાણી નથી શકાયું. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસને સુસાઈટ નોટ પણ નથી મળી. પોલીસે પ્રાથમિક તપાસ કરી કો-સ્ટાર શીઝાન મોહમ્મદની ધરપકડ કરી લીધી છે. તુનિષા શર્માએ શીઝાનના મેકએપ રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસે તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાને આત્મહત્યા કરવા ઉશ્કેરી હતી.પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધી શીઝાનની ધરપકડ કરી છે. આ હત્યા આત્મહત્યા છે કે પછી હત્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટ મોર્ટમ પણ કરવામાં આવ્યું છે.  


તુનિષા શર્માનું કરિયર   

તુનિષા શર્માએ 20 વર્ષની નાની ઉંમરે ઘણી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. શર્માએ 6થી વધુ સિરીયલમાં અભિનય કર્યો છે ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ બાર બાર દેખો, કહાણી 2, દુર્ગા રાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવનાર સમયમાં તુનિષા શર્મા એક્ટર શિવિન નારંગ સાથે મ્યુઝિક આલ્બમ પણ શૂટ કરવાની હતી.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.