તુર્કીમાં થયું ઘમાસાણ , રાષ્ટ્રપ્રમુખ એરદોગનની સલ્તનત ખતરામાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-22 18:18:08

સમગ્ર દુનિયામાં હાલમાં ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે . જેમ કે રશિયા - યુક્રેનનું યુદ્ધ , ગાઝામાં યુદ્ધ , વગેરે . તો બીજી તરફ દુનિયાભરની વિવિધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો સામેની નારાજગી વધી રહી છે. તેનું તાજું ઉદાહરણ તુર્કી છે . તુર્કી જેનું  શહેર છે ઇસ્તમબુલ જ્યાં દેખાવકારો અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ હતી .  દેખાવકારો કેમ આટલા આક્રમકઃ બન્યા હતા કેમ કે , ઇસ્તમબુલના મેયર ઈક્રેમ ઇમામોગલુંની ધરપકડ કરવામાં આવી છે. તો આવો જાણીએ કેમ તુર્કીની સરકાર આટલા આક્રમક  દેખાવોનો સામનો કરી રહી છે. 

પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જેનું નામ છે તુર્કી . ત્યાંનું પ્રખ્યાત શહેર ઇસ્તમબુલ . આ શહેરના મેયર ઇક્રેમ ઇમામોગલું છે કે જે  તુર્કીમાં વિરોધી રાજકીય પક્ષના નેતા છે . તેમની ધરપકડ કરવામાં આવતા ઇસ્તમબુલમાં બે દિવસથી રસ્તા પર દેખાવો થઈ રહ્યા છે. જોકે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ દેખાવકારોને ખુબ કડક ચેતવણી આપી છે કે , કોઈ પણ પ્રકારના હિંસક દેખાવોને સાંખી નઈ લેવાય . જોકે હવે આ વિરોધ તુર્કીના બીજા ભાગોમાં પણ ફેલાયો છે.  જેવી જ મેયર ઇમામોગલુની બુધવારના દિવસે ધરપકડ થઈ તે પછી ઇસ્તમબુલ શહેરમાં હજારો આંદોલનકારીઓ ત્યાંની  ઐતિહાસિક જગ્યાએ ભેગા થયા હતા . જ્યાં તેમણે પોલીસના બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી . આ પછી સુરક્ષા દળોએ પીપર સ્પ્રે , ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ આ દેખાવકારોને વિખેરવા કર્યો હતો . જોકે આ પછી દેખાવકારોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો . સામે પોલીસે તો એન્ટી રાયટ રાઇફલનો ઉપયોગ આ દેખાવકારોની સામે કર્યો હતો . હવે આવા જ દેખાવો તુર્કીના બીજા ભાગો તેની રાજધાની અંકારા અને તુર્કીના અન્ય એક શહેર ઇઝમીરમાં પણ થયા હતા . તુર્કીના બીજા શહેરોમાં પણ હજારો લોકોએ આ ધરપકડની વિરુદ્ધમાં કૂચ કરી હતી . આખા દેશમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ , ઇસ્તમબુલના મેયર ઇમામોગલુની તો , તેમના ઘરે એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી . આ પછી ઓથોરિટીઓએ તેમની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે સાથે જ તેમની પર આતંકવાદી સંગઠન સાથે જોડાણના પણ આરોપ લગાવ્યા છે . મેયર ઇમામોગલુની સાથે બીજા બે શહેરના મેયરની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. મેયર ઇમામોગલુ એ ૨૦૨૮માં તુર્કીમાં થનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ એરદોગનના સ્પર્ધક મનાય છે. જોકે તુર્કી સરકારના સૂત્રોએ આ તમામ વાત નકારી નાખી છે.   

તો આ બાજુ તુર્કીના મુખ્ય વિરોધ પક્ષના નેતા ઓઝગુર ઓઝેલે નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની અપીલ કરી છે. તેમણે ઇસ્તમબુલ સિટી હોલની બહાર એક રેલીને સંબોધન કર્યું હતું . જેમાં તેમણે રાષ્ટ્રપતિ એરદોગન પર આરોપ લગાવતા કહ્યું છે કે  તેઓ ન્યાયપાલિકાનો વિરોધપક્ષની વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ તમામ આરોપો નકારી નાખ્યા છે . તેમણે આ દેખાવોને દેશને અસ્થિર બનાવવાની સાજીશ કહી છે . સાથે જ આવા હિંસક દેખાવો કોઈ પણ ભોગે સાંખી નઈ લેવાયની વાત કરી છે. વાત કરીએ તુર્કીની તો , રાષ્ટ્રપતિ એરદોગનના નેતૃત્વમાં તે સંપૂર્ણ ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ એરદોગને ફેબ્રુઆરી ૨૦૨૫માં જમ્મુ અને કશ્મીરના મુદ્દે UN ડાયલોગની વાત કરી હતી . ત્યારે ભારત સરકારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . તુર્કીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નું સભ્ય દેશ છે . વર્તમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ NATOમાંથી બહાર નીકળી શકે છે. જો એવું થાય તો , તુર્કી NATO દેશોમાં સૌથી તાકાતવર બની જશે . હમણાં જ સીરિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં , જે રીતે બશર અલ - અસદનો તખ્તો પલટાયો તેમાં પણ તુર્કીની મુખ્ય ભૂમિકા હતી . 

તો હવે જોઈએ પશ્ચિમ એશિયામાં તુર્કી ક્યા સુધી તેનો પ્રભાવ જાળવી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.