તુર્કીમાં થયું ઘમાસાણ , રાષ્ટ્રપ્રમુખ એરદોગનની સલ્તનત ખતરામાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-22 18:18:08

સમગ્ર દુનિયામાં હાલમાં ઘણા યુદ્ધો ચાલી રહ્યા છે . જેમ કે રશિયા - યુક્રેનનું યુદ્ધ , ગાઝામાં યુદ્ધ , વગેરે . તો બીજી તરફ દુનિયાભરની વિવિધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો સામેની નારાજગી વધી રહી છે. તેનું તાજું ઉદાહરણ તુર્કી છે . તુર્કી જેનું  શહેર છે ઇસ્તમબુલ જ્યાં દેખાવકારો અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ હતી .  દેખાવકારો કેમ આટલા આક્રમકઃ બન્યા હતા કેમ કે , ઇસ્તમબુલના મેયર ઈક્રેમ ઇમામોગલુંની ધરપકડ કરવામાં આવી છે. તો આવો જાણીએ કેમ તુર્કીની સરકાર આટલા આક્રમક  દેખાવોનો સામનો કરી રહી છે. 

પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જેનું નામ છે તુર્કી . ત્યાંનું પ્રખ્યાત શહેર ઇસ્તમબુલ . આ શહેરના મેયર ઇક્રેમ ઇમામોગલું છે કે જે  તુર્કીમાં વિરોધી રાજકીય પક્ષના નેતા છે . તેમની ધરપકડ કરવામાં આવતા ઇસ્તમબુલમાં બે દિવસથી રસ્તા પર દેખાવો થઈ રહ્યા છે. જોકે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ દેખાવકારોને ખુબ કડક ચેતવણી આપી છે કે , કોઈ પણ પ્રકારના હિંસક દેખાવોને સાંખી નઈ લેવાય . જોકે હવે આ વિરોધ તુર્કીના બીજા ભાગોમાં પણ ફેલાયો છે.  જેવી જ મેયર ઇમામોગલુની બુધવારના દિવસે ધરપકડ થઈ તે પછી ઇસ્તમબુલ શહેરમાં હજારો આંદોલનકારીઓ ત્યાંની  ઐતિહાસિક જગ્યાએ ભેગા થયા હતા . જ્યાં તેમણે પોલીસના બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી . આ પછી સુરક્ષા દળોએ પીપર સ્પ્રે , ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ આ દેખાવકારોને વિખેરવા કર્યો હતો . જોકે આ પછી દેખાવકારોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો . સામે પોલીસે તો એન્ટી રાયટ રાઇફલનો ઉપયોગ આ દેખાવકારોની સામે કર્યો હતો . હવે આવા જ દેખાવો તુર્કીના બીજા ભાગો તેની રાજધાની અંકારા અને તુર્કીના અન્ય એક શહેર ઇઝમીરમાં પણ થયા હતા . તુર્કીના બીજા શહેરોમાં પણ હજારો લોકોએ આ ધરપકડની વિરુદ્ધમાં કૂચ કરી હતી . આખા દેશમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ , ઇસ્તમબુલના મેયર ઇમામોગલુની તો , તેમના ઘરે એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી . આ પછી ઓથોરિટીઓએ તેમની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે સાથે જ તેમની પર આતંકવાદી સંગઠન સાથે જોડાણના પણ આરોપ લગાવ્યા છે . મેયર ઇમામોગલુની સાથે બીજા બે શહેરના મેયરની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. મેયર ઇમામોગલુ એ ૨૦૨૮માં તુર્કીમાં થનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ એરદોગનના સ્પર્ધક મનાય છે. જોકે તુર્કી સરકારના સૂત્રોએ આ તમામ વાત નકારી નાખી છે.   

તો આ બાજુ તુર્કીના મુખ્ય વિરોધ પક્ષના નેતા ઓઝગુર ઓઝેલે નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની અપીલ કરી છે. તેમણે ઇસ્તમબુલ સિટી હોલની બહાર એક રેલીને સંબોધન કર્યું હતું . જેમાં તેમણે રાષ્ટ્રપતિ એરદોગન પર આરોપ લગાવતા કહ્યું છે કે  તેઓ ન્યાયપાલિકાનો વિરોધપક્ષની વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ તમામ આરોપો નકારી નાખ્યા છે . તેમણે આ દેખાવોને દેશને અસ્થિર બનાવવાની સાજીશ કહી છે . સાથે જ આવા હિંસક દેખાવો કોઈ પણ ભોગે સાંખી નઈ લેવાયની વાત કરી છે. વાત કરીએ તુર્કીની તો , રાષ્ટ્રપતિ એરદોગનના નેતૃત્વમાં તે સંપૂર્ણ ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ એરદોગને ફેબ્રુઆરી ૨૦૨૫માં જમ્મુ અને કશ્મીરના મુદ્દે UN ડાયલોગની વાત કરી હતી . ત્યારે ભારત સરકારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . તુર્કીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નું સભ્ય દેશ છે . વર્તમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ NATOમાંથી બહાર નીકળી શકે છે. જો એવું થાય તો , તુર્કી NATO દેશોમાં સૌથી તાકાતવર બની જશે . હમણાં જ સીરિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં , જે રીતે બશર અલ - અસદનો તખ્તો પલટાયો તેમાં પણ તુર્કીની મુખ્ય ભૂમિકા હતી . 

તો હવે જોઈએ પશ્ચિમ એશિયામાં તુર્કી ક્યા સુધી તેનો પ્રભાવ જાળવી શકે છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."