'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ પણ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:31:11

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને વૈશાલીઠક્કરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.


વૈશાલી ઠક્કરે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ તથા સસુરાલ સિમરન કા સહિતની અનેક જાણીતી ટીવી સિરિયલમાં પણ તેણે અભિનય કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં નિવાસ કરતી હતી. તેના મોતના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.


મોતનું રહસ્ય અકબંધ


ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં વૈશાલીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. વૈશાલી ઠક્કરે શા માટે આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે તેની લાશ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર આત્મહત્યાનું કારણ જાણી શકાશે. 



વૈશાલી ઠક્કર સગાઈ કરી હતી


વૈશાલી ઠક્કર ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. તેણીએ થોડા વર્ષો પહેલા ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ હુંદલ સાથે સગાઈ કરી હતી. તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તે લગ્ન બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. જોકે, હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.




સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે