'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ પણ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:31:11

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને વૈશાલીઠક્કરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.


વૈશાલી ઠક્કરે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ તથા સસુરાલ સિમરન કા સહિતની અનેક જાણીતી ટીવી સિરિયલમાં પણ તેણે અભિનય કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં નિવાસ કરતી હતી. તેના મોતના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.


મોતનું રહસ્ય અકબંધ


ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં વૈશાલીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. વૈશાલી ઠક્કરે શા માટે આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે તેની લાશ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર આત્મહત્યાનું કારણ જાણી શકાશે. 



વૈશાલી ઠક્કર સગાઈ કરી હતી


વૈશાલી ઠક્કર ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. તેણીએ થોડા વર્ષો પહેલા ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ હુંદલ સાથે સગાઈ કરી હતી. તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તે લગ્ન બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. જોકે, હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.