'યે રિસ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી, સ્યુસાઈડ નોટ પણ મળી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:31:11

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને વૈશાલીઠક્કરે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે.


વૈશાલી ઠક્કરે લખેલી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ તથા સસુરાલ સિમરન કા સહિતની અનેક જાણીતી ટીવી સિરિયલમાં પણ તેણે અભિનય કર્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ઈન્દોરમાં નિવાસ કરતી હતી. તેના મોતના સમાચારથી ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.


મોતનું રહસ્ય અકબંધ


ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશનમાં વૈશાલીની આત્મહત્યાની ફરિયાદ નોંધાઈ છે. વૈશાલી ઠક્કરે શા માટે આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. જો કે તેની લાશ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ પર આત્મહત્યાનું કારણ જાણી શકાશે. 



વૈશાલી ઠક્કર સગાઈ કરી હતી


વૈશાલી ઠક્કર ટૂંક સમયમાં લગ્ન કરવાની હતી. તેણીએ થોડા વર્ષો પહેલા ડેન્ટલ સર્જન અભિનંદન સિંહ હુંદલ સાથે સગાઈ કરી હતી. તેના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોરોના મહામારીને કારણે તેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. તે લગ્ન બાદ એક્ટિંગ છોડવા માંગતી હતી. જોકે, હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે