Twitter Blue Tick Relaunchને અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 10:41:29

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી અલગ અલગ નિયમો તેવો લાવી રહ્યા છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ટ્વિટરની આવક વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત તેમના નિર્ણયોને કારણે વિવાદ પણ થયા છે. જે અંતર્ગત ટ્વિટર બ્લુ સેવા શરૂ કરવાની હતી. આ સેવામાં કોઈ પણ વ્યક્તિ મહિના દીઠ 8 ડોલરનો ખર્ચ કરી બ્લુ ટિક મેળવી શકશે. પરંતુ એલોન મસ્કે ટ્વિટરની પેઈડ વેરિફાઈડ બ્લુ ટિક સર્વિસ હાલ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.


પૈસા આપી કોઈ પણ કરાઈ શકતું હતું એકાઉન્ટ વેરિફાય

એલોન મસ્કે જાહેરાત કરતા કહ્યું કે આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અને જ્યાં સુધી ફેક એકાઉન્ટ વાળી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાંથી આ સેવા શરૂ કરવામાં નહીં આવે. એલોન મસ્કે જ્યારે 8 ડોલર વાળી સુવિધા શરૂ કરી તે બાદ અનેક ફેક એકાઉન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. 

29 નવેમ્બરના રોજ રિ-લોન્ય થવાની હતી આ સેવા 

જ્યાં સુધી ફેક એકાઉન્ટની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સુવિધા સ્થાપિત કરવામાં નહીં આવે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંસ્થાઓ માટે અને વ્યક્તિઓ માટે અલગ અલગ કલરના ટિક આપવામાં આવશે. આ સેવા 29 નવેમ્બરના રોજ લોન્ચ થવાની હતી. એલોન મસ્કે તારીખની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ આ સેવા દ્વારા ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.