Twitter Blue Tick Relaunchને અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 10:41:29

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી અલગ અલગ નિયમો તેવો લાવી રહ્યા છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ટ્વિટરની આવક વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત તેમના નિર્ણયોને કારણે વિવાદ પણ થયા છે. જે અંતર્ગત ટ્વિટર બ્લુ સેવા શરૂ કરવાની હતી. આ સેવામાં કોઈ પણ વ્યક્તિ મહિના દીઠ 8 ડોલરનો ખર્ચ કરી બ્લુ ટિક મેળવી શકશે. પરંતુ એલોન મસ્કે ટ્વિટરની પેઈડ વેરિફાઈડ બ્લુ ટિક સર્વિસ હાલ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.


પૈસા આપી કોઈ પણ કરાઈ શકતું હતું એકાઉન્ટ વેરિફાય

એલોન મસ્કે જાહેરાત કરતા કહ્યું કે આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અને જ્યાં સુધી ફેક એકાઉન્ટ વાળી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાંથી આ સેવા શરૂ કરવામાં નહીં આવે. એલોન મસ્કે જ્યારે 8 ડોલર વાળી સુવિધા શરૂ કરી તે બાદ અનેક ફેક એકાઉન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. 

29 નવેમ્બરના રોજ રિ-લોન્ય થવાની હતી આ સેવા 

જ્યાં સુધી ફેક એકાઉન્ટની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સુવિધા સ્થાપિત કરવામાં નહીં આવે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંસ્થાઓ માટે અને વ્યક્તિઓ માટે અલગ અલગ કલરના ટિક આપવામાં આવશે. આ સેવા 29 નવેમ્બરના રોજ લોન્ચ થવાની હતી. એલોન મસ્કે તારીખની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ આ સેવા દ્વારા ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.