Twitter Blue Tick Relaunchને અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ, એલોન મસ્કે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 10:41:29

એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી અલગ અલગ નિયમો તેવો લાવી રહ્યા છે. ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ ટ્વિટરની આવક વધારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત તેમના નિર્ણયોને કારણે વિવાદ પણ થયા છે. જે અંતર્ગત ટ્વિટર બ્લુ સેવા શરૂ કરવાની હતી. આ સેવામાં કોઈ પણ વ્યક્તિ મહિના દીઠ 8 ડોલરનો ખર્ચ કરી બ્લુ ટિક મેળવી શકશે. પરંતુ એલોન મસ્કે ટ્વિટરની પેઈડ વેરિફાઈડ બ્લુ ટિક સર્વિસ હાલ માટે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.


પૈસા આપી કોઈ પણ કરાઈ શકતું હતું એકાઉન્ટ વેરિફાય

એલોન મસ્કે જાહેરાત કરતા કહ્યું કે આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અને જ્યાં સુધી ફેક એકાઉન્ટ વાળી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાંથી આ સેવા શરૂ કરવામાં નહીં આવે. એલોન મસ્કે જ્યારે 8 ડોલર વાળી સુવિધા શરૂ કરી તે બાદ અનેક ફેક એકાઉન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. 

29 નવેમ્બરના રોજ રિ-લોન્ય થવાની હતી આ સેવા 

જ્યાં સુધી ફેક એકાઉન્ટની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સુવિધા સ્થાપિત કરવામાં નહીં આવે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સંસ્થાઓ માટે અને વ્યક્તિઓ માટે અલગ અલગ કલરના ટિક આપવામાં આવશે. આ સેવા 29 નવેમ્બરના રોજ લોન્ચ થવાની હતી. એલોન મસ્કે તારીખની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ આ સેવા દ્વારા ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ સેવાને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.