ટ્વિટર બ્લૂટિક સબ્સક્રિપ્સનની જાહેરાત, વેબ યુઝર માટે 8 અને આઈફોનવાળા માટે 11 ડોલરનો ચાર્જ


  • Published By :
  • Published Date : 2022-12-12 13:01:58

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર યુઝર માટે નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. જો તમે લેપટોપ પર ટ્વિટર યુઝ કરો છો અને  બ્લૂટિક લેવા માંગો છો તો તમારે માસિક 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે એપલના આઈફોનમાં ટ્વિટર યુઝ કરનારા લોકો માટે 11 ડોલરનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટ્વિટર બ્લૂના આ અભિયાન આ સપ્તાહથી શરૂ થશે. સોશિયલ મીડિયાની અગ્રણી કંપનીએ જાહેરાત કરી છે કે જે લોકોને ટ્વિટર બ્લૂટિક મળશે તે પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. ટ્વિટર સબસ્ક્રાઈબર્સ લેનારા લોકોને એડિટ ટ્વીટ્સ ઓપ્સન, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને એક બ્લૂ ચેકમાર્ક નો લાભ મળશે. તે ઉપરાંત બિઝનેશ એકાઉન્ટટ્સ માટે ગોલ્ડન ઓફિસિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ માટે અલગ વેરિફિકેશન માર્ક મળશે.


12 ડિસેમ્બરથી સબ્સક્રિપ્સનની શરૂઆત 


એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે 12 ડિસેમ્બરથી ટ્વિટર પર બ્લૂટિક સબ્સક્રિપ્સનની શરૂઆત કરી છે, એપલ 30 ટકા કમાણી આઈઓએસ એપથી મેળવે છે, ટ્વિટર બિઝનેશ એકાઉન્ટ અને સરકારી એકાઉન્ટ માટે અલગથી ચેક માર્ક લાવવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ ઓફિસિયલ લેવલને ગોલ્ડ ચેક માર્કથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તે સાથે જ સરકારી ઓફિસ અને મલ્ટીલેટરલ એકાઉન્ટસ માટે ગ્રે ચેક માર્ક લાગુ કરવામાં આવશે.


એલન મસ્ક બન્યા ટ્વિટરના નવા માલિક 


અમેરિકાના અપજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી, અને  તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. ટ્વિટરને ખરીદ્યા બાદથી જ એલન મસ્કે કંપનીના રોજબરોજના કામકાજમાં ધરમૂળથી બદલાવ કર્યો અને કંપનીના અનેક સિનિયર એક્ઝિક્યુટિવની હકાલપટ્ટીથી હકાલપટ્ટી કરી છે. ટ્વિટર અત્યાર સુધી બે તૃતિયાંશ સ્ટાફની છટણી કરી ચુક્યું છે.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?