ટ્વિટર બ્લૂટિક સબ્સક્રિપ્સનની જાહેરાત, વેબ યુઝર માટે 8 અને આઈફોનવાળા માટે 11 ડોલરનો ચાર્જ


  • Published By :
  • Published Date : 2022-12-12 13:01:58

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર યુઝર માટે નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. જો તમે લેપટોપ પર ટ્વિટર યુઝ કરો છો અને  બ્લૂટિક લેવા માંગો છો તો તમારે માસિક 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે એપલના આઈફોનમાં ટ્વિટર યુઝ કરનારા લોકો માટે 11 ડોલરનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટ્વિટર બ્લૂના આ અભિયાન આ સપ્તાહથી શરૂ થશે. સોશિયલ મીડિયાની અગ્રણી કંપનીએ જાહેરાત કરી છે કે જે લોકોને ટ્વિટર બ્લૂટિક મળશે તે પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. ટ્વિટર સબસ્ક્રાઈબર્સ લેનારા લોકોને એડિટ ટ્વીટ્સ ઓપ્સન, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને એક બ્લૂ ચેકમાર્ક નો લાભ મળશે. તે ઉપરાંત બિઝનેશ એકાઉન્ટટ્સ માટે ગોલ્ડન ઓફિસિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ માટે અલગ વેરિફિકેશન માર્ક મળશે.


12 ડિસેમ્બરથી સબ્સક્રિપ્સનની શરૂઆત 


એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે 12 ડિસેમ્બરથી ટ્વિટર પર બ્લૂટિક સબ્સક્રિપ્સનની શરૂઆત કરી છે, એપલ 30 ટકા કમાણી આઈઓએસ એપથી મેળવે છે, ટ્વિટર બિઝનેશ એકાઉન્ટ અને સરકારી એકાઉન્ટ માટે અલગથી ચેક માર્ક લાવવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ ઓફિસિયલ લેવલને ગોલ્ડ ચેક માર્કથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તે સાથે જ સરકારી ઓફિસ અને મલ્ટીલેટરલ એકાઉન્ટસ માટે ગ્રે ચેક માર્ક લાગુ કરવામાં આવશે.


એલન મસ્ક બન્યા ટ્વિટરના નવા માલિક 


અમેરિકાના અપજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી, અને  તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. ટ્વિટરને ખરીદ્યા બાદથી જ એલન મસ્કે કંપનીના રોજબરોજના કામકાજમાં ધરમૂળથી બદલાવ કર્યો અને કંપનીના અનેક સિનિયર એક્ઝિક્યુટિવની હકાલપટ્ટીથી હકાલપટ્ટી કરી છે. ટ્વિટર અત્યાર સુધી બે તૃતિયાંશ સ્ટાફની છટણી કરી ચુક્યું છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.