ટ્વિટર બ્લૂટિક સબ્સક્રિપ્સનની જાહેરાત, વેબ યુઝર માટે 8 અને આઈફોનવાળા માટે 11 ડોલરનો ચાર્જ


  • Published By :
  • Published Date : 2022-12-12 13:01:58

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર યુઝર માટે નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. જો તમે લેપટોપ પર ટ્વિટર યુઝ કરો છો અને  બ્લૂટિક લેવા માંગો છો તો તમારે માસિક 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે એપલના આઈફોનમાં ટ્વિટર યુઝ કરનારા લોકો માટે 11 ડોલરનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટ્વિટર બ્લૂના આ અભિયાન આ સપ્તાહથી શરૂ થશે. સોશિયલ મીડિયાની અગ્રણી કંપનીએ જાહેરાત કરી છે કે જે લોકોને ટ્વિટર બ્લૂટિક મળશે તે પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. ટ્વિટર સબસ્ક્રાઈબર્સ લેનારા લોકોને એડિટ ટ્વીટ્સ ઓપ્સન, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને એક બ્લૂ ચેકમાર્ક નો લાભ મળશે. તે ઉપરાંત બિઝનેશ એકાઉન્ટટ્સ માટે ગોલ્ડન ઓફિસિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ માટે અલગ વેરિફિકેશન માર્ક મળશે.


12 ડિસેમ્બરથી સબ્સક્રિપ્સનની શરૂઆત 


એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે 12 ડિસેમ્બરથી ટ્વિટર પર બ્લૂટિક સબ્સક્રિપ્સનની શરૂઆત કરી છે, એપલ 30 ટકા કમાણી આઈઓએસ એપથી મેળવે છે, ટ્વિટર બિઝનેશ એકાઉન્ટ અને સરકારી એકાઉન્ટ માટે અલગથી ચેક માર્ક લાવવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ ઓફિસિયલ લેવલને ગોલ્ડ ચેક માર્કથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તે સાથે જ સરકારી ઓફિસ અને મલ્ટીલેટરલ એકાઉન્ટસ માટે ગ્રે ચેક માર્ક લાગુ કરવામાં આવશે.


એલન મસ્ક બન્યા ટ્વિટરના નવા માલિક 


અમેરિકાના અપજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી, અને  તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. ટ્વિટરને ખરીદ્યા બાદથી જ એલન મસ્કે કંપનીના રોજબરોજના કામકાજમાં ધરમૂળથી બદલાવ કર્યો અને કંપનીના અનેક સિનિયર એક્ઝિક્યુટિવની હકાલપટ્ટીથી હકાલપટ્ટી કરી છે. ટ્વિટર અત્યાર સુધી બે તૃતિયાંશ સ્ટાફની છટણી કરી ચુક્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.