ટ્વિટર બ્લૂટિક સબ્સક્રિપ્સનની જાહેરાત, વેબ યુઝર માટે 8 અને આઈફોનવાળા માટે 11 ડોલરનો ચાર્જ


  • Published By :
  • Published Date : 2022-12-12 13:01:58

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર યુઝર માટે નવા ચાર્જની જાહેરાત કરી દીધી છે. જો તમે લેપટોપ પર ટ્વિટર યુઝ કરો છો અને  બ્લૂટિક લેવા માંગો છો તો તમારે માસિક 8 ડોલરનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે એપલના આઈફોનમાં ટ્વિટર યુઝ કરનારા લોકો માટે 11 ડોલરનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટ્વિટર બ્લૂના આ અભિયાન આ સપ્તાહથી શરૂ થશે. સોશિયલ મીડિયાની અગ્રણી કંપનીએ જાહેરાત કરી છે કે જે લોકોને ટ્વિટર બ્લૂટિક મળશે તે પોતાના ટ્વિટને એડિટ કરી શકશે. ટ્વિટર સબસ્ક્રાઈબર્સ લેનારા લોકોને એડિટ ટ્વીટ્સ ઓપ્સન, 1080P વીડિયો અપલોડ, રીડર મોડ અને એક બ્લૂ ચેકમાર્ક નો લાભ મળશે. તે ઉપરાંત બિઝનેશ એકાઉન્ટટ્સ માટે ગોલ્ડન ઓફિસિયલ લેબલ અને સરકારી એકાઉન્ટ માટે અલગ વેરિફિકેશન માર્ક મળશે.


12 ડિસેમ્બરથી સબ્સક્રિપ્સનની શરૂઆત 


એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે 12 ડિસેમ્બરથી ટ્વિટર પર બ્લૂટિક સબ્સક્રિપ્સનની શરૂઆત કરી છે, એપલ 30 ટકા કમાણી આઈઓએસ એપથી મેળવે છે, ટ્વિટર બિઝનેશ એકાઉન્ટ અને સરકારી એકાઉન્ટ માટે અલગથી ચેક માર્ક લાવવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ ઓફિસિયલ લેવલને ગોલ્ડ ચેક માર્કથી રિપ્લેસ કરવા જઈ રહ્યું છે. તે સાથે જ સરકારી ઓફિસ અને મલ્ટીલેટરલ એકાઉન્ટસ માટે ગ્રે ચેક માર્ક લાગુ કરવામાં આવશે.


એલન મસ્ક બન્યા ટ્વિટરના નવા માલિક 


અમેરિકાના અપજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કએ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. સોશિયલ મીડિયાની અગ્રણી કંપની ટ્વિટરની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી, અને  તેનું હેડક્વાર્ટર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં છે. ટ્વિટરને ખરીદ્યા બાદથી જ એલન મસ્કે કંપનીના રોજબરોજના કામકાજમાં ધરમૂળથી બદલાવ કર્યો અને કંપનીના અનેક સિનિયર એક્ઝિક્યુટિવની હકાલપટ્ટીથી હકાલપટ્ટી કરી છે. ટ્વિટર અત્યાર સુધી બે તૃતિયાંશ સ્ટાફની છટણી કરી ચુક્યું છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .