એલન મસ્ક Twitterના 3700 કર્મચારીઓની છટણી કરશે, 12 કલાકની ડ્યુટી ફરજીયાત


  • Published By :
  • Published Date : 2022-11-03 21:06:22


Twitterની કમાન સંભાળતા જ એલન મસ્ક આકરા નિર્ણયો લેવા લાગ્યા છે. ટ્વિટરના માલિક બન્યા બાદ તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને દરવાજો બતાવ્યો હતો. હવે તેમણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટીની યોજના બનાવી છે. 



એલન મસ્કની યોજના શું છે?


દુનિયાના સૌથી સમૃધ્ધ વ્યક્તિ એલન મસ્ક કંપનીના જુના કર્મચારીઓથી ઘણા નારાજ છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ કર્મચારીઓની આ સપ્તાહે હકાલપટ્ટી કરવામાં આવશે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે તેમણે તેમણે ટ્વીટરના કર્મચારીઓ માટે સપ્તાહમાં 12 કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે