એલન મસ્ક Twitterના 3700 કર્મચારીઓની છટણી કરશે, 12 કલાકની ડ્યુટી ફરજીયાત


  • Published By :
  • Published Date : 2022-11-03 21:06:22


Twitterની કમાન સંભાળતા જ એલન મસ્ક આકરા નિર્ણયો લેવા લાગ્યા છે. ટ્વિટરના માલિક બન્યા બાદ તેમણે કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને દરવાજો બતાવ્યો હતો. હવે તેમણે 3700 કર્મચારીઓની હકાલપટ્ટીની યોજના બનાવી છે. 



એલન મસ્કની યોજના શું છે?


દુનિયાના સૌથી સમૃધ્ધ વ્યક્તિ એલન મસ્ક કંપનીના જુના કર્મચારીઓથી ઘણા નારાજ છે. તેમણે અડધાથી વધુ કર્મચારીઓની છટણી કરશે. આ કર્મચારીઓની આ સપ્તાહે હકાલપટ્ટી કરવામાં આવશે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે તેમણે તેમણે ટ્વીટરના કર્મચારીઓ માટે સપ્તાહમાં 12 કલાક કામ કરવાનો નિયમ બનાવ્યો છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.