Twitter બાદ હવે Facebook પણ હજારો કર્મચારીઓની છટણી કરશે, કંપનીના શેર 73 ટકા ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-07 15:50:47

ટ્વિટર બાદ હવે અન્ય એક દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Facebookની પેરન્ટ કંપની Meta Platforms Inc. હજારો કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. બુધવારથી શરૂ થઈ રહી છે. કંપની વિશ્વભરમાં 12,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. META હાલમાં લગભગ 87,000 કર્મચારીઓને રોજગારી આપે છે. આ પહેલા શુક્રવારે ટ્વિટરે વિશ્વભરમાં 3700 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. આ પછી કંપનીના કર્મચારીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ઓક્ટોબરના અંતમાં ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો હતો. જે બાદ કંપનીએ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


તીવ્ર સ્પર્ધાથી કંપનીની આવક ઘટી


મસ્ક બાદ મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ મોટાપાયે છટણીની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે કંપનીના શેરમાં 73 ટકાનો ઘટાડો થયો છે. ફેસબુક (હવે મેટા પ્લેટફોર્મ)ને ટિકટોક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મથી સખત સ્પર્ધા મળી રહી છે. આ 18 વર્ષ જૂની કંપનીમાંથી યુઝર્સ ટિકટોક અને યુટ્યુબ તરફ વળ્યા છે. જેના કારણે કંપનીની આવક પર ખરાબ અસર પડી છે. આ વર્ષે કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે. કંપનીએ પહેલેથી જ નવી ભરતી પર રોક લગાવી દીધી હતી અને હવે તે મોટાપાયે છટણી કરવા જઈ રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.