Twitter બાદ હવે Facebook પણ હજારો કર્મચારીઓની છટણી કરશે, કંપનીના શેર 73 ટકા ઘટ્યા


  • Published By :
  • Published Date : 2022-11-07 15:50:47

ટ્વિટર બાદ હવે અન્ય એક દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Facebookની પેરન્ટ કંપની Meta Platforms Inc. હજારો કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. બુધવારથી શરૂ થઈ રહી છે. કંપની વિશ્વભરમાં 12,000 કર્મચારીઓની છટણી કરી શકે છે. META હાલમાં લગભગ 87,000 કર્મચારીઓને રોજગારી આપે છે. આ પહેલા શુક્રવારે ટ્વિટરે વિશ્વભરમાં 3700 કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. આ પછી કંપનીના કર્મચારીઓની સંખ્યા અડધી થઈ ગઈ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ઓક્ટોબરના અંતમાં ટ્વિટર ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો હતો. જે બાદ કંપનીએ અડધા કર્મચારીઓને કાઢી મૂક્યા છે.


તીવ્ર સ્પર્ધાથી કંપનીની આવક ઘટી


મસ્ક બાદ મેટા પ્લેટફોર્મના સીઈઓ માર્ક ઝકરબર્ગ પણ મોટાપાયે છટણીની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે કંપનીના શેરમાં 73 ટકાનો ઘટાડો થયો છે. ફેસબુક (હવે મેટા પ્લેટફોર્મ)ને ટિકટોક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મથી સખત સ્પર્ધા મળી રહી છે. આ 18 વર્ષ જૂની કંપનીમાંથી યુઝર્સ ટિકટોક અને યુટ્યુબ તરફ વળ્યા છે. જેના કારણે કંપનીની આવક પર ખરાબ અસર પડી છે. આ વર્ષે કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો છે. કંપનીએ પહેલેથી જ નવી ભરતી પર રોક લગાવી દીધી હતી અને હવે તે મોટાપાયે છટણી કરવા જઈ રહી છે.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?