Facebook અને Instaની ફ્રી સર્વિસ બંધ, બ્લૂ ટિક માટે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-20 16:22:18

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ હવે આવક વધારવા માટે ટ્વિટરનો માર્ગ અપનાવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પણ હવે રૂપિયા ચૂકવવા પડશે. ફેશબુકની પેરેન્ટ કંપની Meta Platforms Inc.એ તેની સબ્સક્રિપ્શન સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની Meta Verified સર્વિસમાં યુઝર્સને અનેક વધારાના ફિચર્સ મળશે. સબ્સક્રાઈબર્સને એકાઉન્ટ વેરિફિકેશન બેઝ પણ મળશે. 


ઝકરબર્ગે કરી જાહેરાત


Metaના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ઝકરબર્ગે લખ્યું, આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છે. આ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. જેમાં સરકારી ઓળખપત્ર દ્વારા તમને બ્લૂ ટિક મળી જશે અને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશો. અકાઉન્ટને એકસ્ટ્રા પ્રોટેક્શન મળી શકશે. આ નવી સર્વિસ પ્રામાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ


Meta Platforms Inc.એ તેની સબસ્ક્રિપ્શન સર્વિસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવાની જાહેરાત કરી છે. ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યૂઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1,200થી વધારે ચૂકવવા પડશે.’ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .