Facebook અને Instaની ફ્રી સર્વિસ બંધ, બ્લૂ ટિક માટે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-20 16:22:18

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ હવે આવક વધારવા માટે ટ્વિટરનો માર્ગ અપનાવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પણ હવે રૂપિયા ચૂકવવા પડશે. ફેશબુકની પેરેન્ટ કંપની Meta Platforms Inc.એ તેની સબ્સક્રિપ્શન સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની Meta Verified સર્વિસમાં યુઝર્સને અનેક વધારાના ફિચર્સ મળશે. સબ્સક્રાઈબર્સને એકાઉન્ટ વેરિફિકેશન બેઝ પણ મળશે. 


ઝકરબર્ગે કરી જાહેરાત


Metaના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ઝકરબર્ગે લખ્યું, આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છે. આ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. જેમાં સરકારી ઓળખપત્ર દ્વારા તમને બ્લૂ ટિક મળી જશે અને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશો. અકાઉન્ટને એકસ્ટ્રા પ્રોટેક્શન મળી શકશે. આ નવી સર્વિસ પ્રામાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ


Meta Platforms Inc.એ તેની સબસ્ક્રિપ્શન સર્વિસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવાની જાહેરાત કરી છે. ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યૂઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1,200થી વધારે ચૂકવવા પડશે.’ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.