Facebook અને Instaની ફ્રી સર્વિસ બંધ, બ્લૂ ટિક માટે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-20 16:22:18

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ હવે આવક વધારવા માટે ટ્વિટરનો માર્ગ અપનાવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પણ હવે રૂપિયા ચૂકવવા પડશે. ફેશબુકની પેરેન્ટ કંપની Meta Platforms Inc.એ તેની સબ્સક્રિપ્શન સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની Meta Verified સર્વિસમાં યુઝર્સને અનેક વધારાના ફિચર્સ મળશે. સબ્સક્રાઈબર્સને એકાઉન્ટ વેરિફિકેશન બેઝ પણ મળશે. 


ઝકરબર્ગે કરી જાહેરાત


Metaના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ઝકરબર્ગે લખ્યું, આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છે. આ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. જેમાં સરકારી ઓળખપત્ર દ્વારા તમને બ્લૂ ટિક મળી જશે અને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશો. અકાઉન્ટને એકસ્ટ્રા પ્રોટેક્શન મળી શકશે. આ નવી સર્વિસ પ્રામાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ


Meta Platforms Inc.એ તેની સબસ્ક્રિપ્શન સર્વિસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવાની જાહેરાત કરી છે. ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યૂઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1,200થી વધારે ચૂકવવા પડશે.’ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .