Facebook અને Instaની ફ્રી સર્વિસ બંધ, બ્લૂ ટિક માટે હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા


  • Published By :
  • Published Date : 2023-02-20 16:22:18

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ હવે આવક વધારવા માટે ટ્વિટરનો માર્ગ અપનાવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના બ્લૂ ટિક વેરિફિકેશન માટે પણ હવે રૂપિયા ચૂકવવા પડશે. ફેશબુકની પેરેન્ટ કંપની Meta Platforms Inc.એ તેની સબ્સક્રિપ્શન સર્વિસને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની Meta Verified સર્વિસમાં યુઝર્સને અનેક વધારાના ફિચર્સ મળશે. સબ્સક્રાઈબર્સને એકાઉન્ટ વેરિફિકેશન બેઝ પણ મળશે. 


ઝકરબર્ગે કરી જાહેરાત


Metaના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે રવિવારે મોડી રાતે ફેસબુક પોસ્ટ દ્વારા સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરવાની જાણકારી આપી હતી. ઝકરબર્ગે લખ્યું, આ અઠવાડિયે અમે મેટા વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છે. આ એક સબસ્ક્રિપ્શન સર્વિસ છે. જેમાં સરકારી ઓળખપત્ર દ્વારા તમને બ્લૂ ટિક મળી જશે અને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશો. અકાઉન્ટને એકસ્ટ્રા પ્રોટેક્શન મળી શકશે. આ નવી સર્વિસ પ્રામાણિકતા અને સુરક્ષા વધારવા માટે છે.


ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રારંભ


Meta Platforms Inc.એ તેની સબસ્ક્રિપ્શન સર્વિસનો પ્રારંભ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કરવાની જાહેરાત કરી છે. ઝકરબર્ગે જણાવ્યું, ‘અમે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સર્વિસ શરૂ કરીશું. તે પછી જલદી જ અન્ય દેશોમાં પણ રોલ આઉટ કરીશું. તેના માટે યૂઝરને વેબ માટે દર મહિને 11.99 ડોલર એટલે લગભગ 1000 રૂપિયા અને iOS ધરાવતા લોકોને $14.99 એટલે કે 1,200થી વધારે ચૂકવવા પડશે.’ભારતમાં આ સર્વિસ ક્યારે લાગુ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.