આજથી ટ્વિટરનો નવો નિયમ લાગુ થયો! અનેક દિગ્ગજ હસ્તીઓના પ્રોફાઈલમાંથી હટી બ્લુ ટીક, એ લોકોને જ બ્લુ ટીક મળશે જેમણે પૈસા ભર્યા હશે!


  • Published By :
  • Published Date : 2023-04-21 09:20:01

જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કે સંભાળી છે ત્યારથી અનેક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લુ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટીક 20 એપ્રિલ બાદ હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ ટ્વિટર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતની અનેક દિગ્ગજ હસ્તીઓના બ્લુ ટીકને હટાવી દેવામાં આવ્યા છે જેમાં બીગ બી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ નો સમાવેશ થાય છે. બ્લુ ટીક માટે પૈસા ભરવા પડશે તે અંગેની સ્પષ્ટતા ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. 






અનેક જાણીતી હસ્તીઓના પ્રોફાઈલમાં હટી બ્લુ ટીક 

પહેલા એવું હતું કે જો તમારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોતું હતું તો જ બ્લુ ટીક આવતું હતું પરંતુ હવેથી કોઈ પણ વ્યક્તિ માસિક ફી ચૂકવી બ્લુ ટીક ખરીદી શકે છે. હવે બ્લુ ટીક માટે જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી હોવાની જરૂર નથી માત્ર વ્યક્તિ પાસે પૈસા હોવાની જરૂર છે. ટ્વિટરે 20 તારીખે રાત્રે બાર વાગ્યે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લુ ટીક હટાવી દીધા હતા. કંપનીએ એ લોકોના બ્લુ ટીક હટાવ્યા છે જેમણે ટ્વિટર બ્લુ ટીક પ્લાન માટે પૈસા નથી ભર્યા. માસિક ફી ન ભરવાને કારણે રાહુલ ગાંધી, અરિવંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત અનેક જાણીતી હસ્તીના નામનો સમાવેશ થાય છે. 


ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા લેવાયો નિર્ણય! 

એલોન મસ્કે આ વાતને લઈ 12 એપ્રિલે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે લીગેસી બ્લુ ટીક ચેકમાર્ક હટાવવામાં આવશે જેની અંતિમ તારીખ 20 એપ્રિલ હશે. જે બાદ 20 તારીખે રાત્રે 12 વાગ્યા બાદ બ્લુ ટીક હટાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે એલોન મસ્કે જ્યારથી ટ્વિરને ખરીદ્યું છે ત્યારથી એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા માટે એલોન મસ્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો બ્લુ ટીક લેવું હશે તો તમારે ફી ચૂકવવી પડશે.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.