આજથી ટ્વિટરનો નવો નિયમ લાગુ થયો! અનેક દિગ્ગજ હસ્તીઓના પ્રોફાઈલમાંથી હટી બ્લુ ટીક, એ લોકોને જ બ્લુ ટીક મળશે જેમણે પૈસા ભર્યા હશે!


  • Published By :
  • Published Date : 2023-04-21 09:20:01

જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કે સંભાળી છે ત્યારથી અનેક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લુ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટીક 20 એપ્રિલ બાદ હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ ટ્વિટર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતની અનેક દિગ્ગજ હસ્તીઓના બ્લુ ટીકને હટાવી દેવામાં આવ્યા છે જેમાં બીગ બી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ નો સમાવેશ થાય છે. બ્લુ ટીક માટે પૈસા ભરવા પડશે તે અંગેની સ્પષ્ટતા ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. 






અનેક જાણીતી હસ્તીઓના પ્રોફાઈલમાં હટી બ્લુ ટીક 

પહેલા એવું હતું કે જો તમારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોતું હતું તો જ બ્લુ ટીક આવતું હતું પરંતુ હવેથી કોઈ પણ વ્યક્તિ માસિક ફી ચૂકવી બ્લુ ટીક ખરીદી શકે છે. હવે બ્લુ ટીક માટે જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી હોવાની જરૂર નથી માત્ર વ્યક્તિ પાસે પૈસા હોવાની જરૂર છે. ટ્વિટરે 20 તારીખે રાત્રે બાર વાગ્યે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લુ ટીક હટાવી દીધા હતા. કંપનીએ એ લોકોના બ્લુ ટીક હટાવ્યા છે જેમણે ટ્વિટર બ્લુ ટીક પ્લાન માટે પૈસા નથી ભર્યા. માસિક ફી ન ભરવાને કારણે રાહુલ ગાંધી, અરિવંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત અનેક જાણીતી હસ્તીના નામનો સમાવેશ થાય છે. 


ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા લેવાયો નિર્ણય! 

એલોન મસ્કે આ વાતને લઈ 12 એપ્રિલે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે લીગેસી બ્લુ ટીક ચેકમાર્ક હટાવવામાં આવશે જેની અંતિમ તારીખ 20 એપ્રિલ હશે. જે બાદ 20 તારીખે રાત્રે 12 વાગ્યા બાદ બ્લુ ટીક હટાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે એલોન મસ્કે જ્યારથી ટ્વિરને ખરીદ્યું છે ત્યારથી એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા માટે એલોન મસ્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો બ્લુ ટીક લેવું હશે તો તમારે ફી ચૂકવવી પડશે.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.