આજથી ટ્વિટરનો નવો નિયમ લાગુ થયો! અનેક દિગ્ગજ હસ્તીઓના પ્રોફાઈલમાંથી હટી બ્લુ ટીક, એ લોકોને જ બ્લુ ટીક મળશે જેમણે પૈસા ભર્યા હશે!


  • Published By :
  • Published Date : 2023-04-21 09:20:01

જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કે સંભાળી છે ત્યારથી અનેક મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બ્લુ સબ્સક્રિપ્શન ન લીધું હોય તેમના એકાઉન્ટ પરથી બ્લુ ટીક 20 એપ્રિલ બાદ હટાવી દેવામાં આવશે તેવી જાહેરાત એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ ટ્વિટર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતની અનેક દિગ્ગજ હસ્તીઓના બ્લુ ટીકને હટાવી દેવામાં આવ્યા છે જેમાં બીગ બી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અરવિંદ કેજરીવાલ નો સમાવેશ થાય છે. બ્લુ ટીક માટે પૈસા ભરવા પડશે તે અંગેની સ્પષ્ટતા ટ્વિટર દ્વારા કરવામાં આવી હતી. 






અનેક જાણીતી હસ્તીઓના પ્રોફાઈલમાં હટી બ્લુ ટીક 

પહેલા એવું હતું કે જો તમારૂ એકાઉન્ટ વેરિફાઈડ હોતું હતું તો જ બ્લુ ટીક આવતું હતું પરંતુ હવેથી કોઈ પણ વ્યક્તિ માસિક ફી ચૂકવી બ્લુ ટીક ખરીદી શકે છે. હવે બ્લુ ટીક માટે જાહેર વ્યક્તિ કે સેલિબ્રિટી હોવાની જરૂર નથી માત્ર વ્યક્તિ પાસે પૈસા હોવાની જરૂર છે. ટ્વિટરે 20 તારીખે રાત્રે બાર વાગ્યે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લુ ટીક હટાવી દીધા હતા. કંપનીએ એ લોકોના બ્લુ ટીક હટાવ્યા છે જેમણે ટ્વિટર બ્લુ ટીક પ્લાન માટે પૈસા નથી ભર્યા. માસિક ફી ન ભરવાને કારણે રાહુલ ગાંધી, અરિવંદ કેજરીવાલ, યોગી આદિત્યનાથ, સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત અનેક જાણીતી હસ્તીના નામનો સમાવેશ થાય છે. 


ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા લેવાયો નિર્ણય! 

એલોન મસ્કે આ વાતને લઈ 12 એપ્રિલે ટ્વિટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું કે લીગેસી બ્લુ ટીક ચેકમાર્ક હટાવવામાં આવશે જેની અંતિમ તારીખ 20 એપ્રિલ હશે. જે બાદ 20 તારીખે રાત્રે 12 વાગ્યા બાદ બ્લુ ટીક હટાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે એલોન મસ્કે જ્યારથી ટ્વિરને ખરીદ્યું છે ત્યારથી એવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. ટ્વિટરને ફાઈનાન્શીયલ મજબૂત કરવા માટે એલોન મસ્ક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો બ્લુ ટીક લેવું હશે તો તમારે ફી ચૂકવવી પડશે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.