ટ્વિટરનું સર્વર ડાઉન, ફેસબુક-ઇન્સ્ટા-યુટ્યુબ પર પણ મુશ્કેલી, લાખો યુઝર્સે કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-09 12:31:23

દુનિયાના અનેક દેશોમાં ટ્વિટર સર્વર  થઈ ગયું છે. ઘણા યુઝર્સ તેમના એકાઉન્ટને લોગિન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. Tweetdeck પણ કામ કરતું નથી. વપરાશકર્તાઓ ટ્વીટ ડેક પર લૉગિન કરવામાં અસમર્થ છે. આ સિવાય ઘણા યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર વિશે પણ ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું છે કે યુટ્યુબમાં સમસ્યા છે. જો કે, હવે ધીમે ધીમે આ સમસ્યાને ઠીક કરવામાં આવી રહી છે. 


ટ્વિટરે ખેદ વ્યક્ત કર્યો


આ દરમિયાન ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ટ્વિટર પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કંપની આ માટે ખેદ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું વહેલી તકે સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હજારો યુઝર્સે તેમને ટ્વીટ કરીને સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી ત્યારે આવી છે જ્યારે સીઈઓ એલોન મસ્કે અમેરિકામાં તેના યુઝર્સને 4 હજાર શબ્દો સુધી ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.


ટ્વિટર એક્સેસ મદ્દે યુઝર્સ પરેશાન


ઘણા યુઝર્સે કહ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ તેમને આ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ મેસેજ સિવાય યુઝર્સે ટ્વિટરને જણાવ્યું કે યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, અન્ય એકાઉન્ટને ફોલો કરવામાં અને ઓછા સમયમાં તેમની સામગ્રી પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


ઈલોન મસ્કેના કાર્યકાળમાં સર્વિસ કથળી


ઈલોન મસ્કે ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યું ત્યાર બાદ આ પહેલીવાર બન્યું છે, જ્યારે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી, ટ્વિટરે તેના બે તૃતીયાંશ કર્મચારીઓને કાઢી મૂક્યા, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .