ટ્વિટરનું સર્વર ડાઉન, ફેસબુક-ઇન્સ્ટા-યુટ્યુબ પર પણ મુશ્કેલી, લાખો યુઝર્સે કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-09 12:31:23

દુનિયાના અનેક દેશોમાં ટ્વિટર સર્વર  થઈ ગયું છે. ઘણા યુઝર્સ તેમના એકાઉન્ટને લોગિન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. Tweetdeck પણ કામ કરતું નથી. વપરાશકર્તાઓ ટ્વીટ ડેક પર લૉગિન કરવામાં અસમર્થ છે. આ સિવાય ઘણા યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર વિશે પણ ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું છે કે યુટ્યુબમાં સમસ્યા છે. જો કે, હવે ધીમે ધીમે આ સમસ્યાને ઠીક કરવામાં આવી રહી છે. 


ટ્વિટરે ખેદ વ્યક્ત કર્યો


આ દરમિયાન ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ટ્વિટર પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કંપની આ માટે ખેદ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું વહેલી તકે સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હજારો યુઝર્સે તેમને ટ્વીટ કરીને સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી ત્યારે આવી છે જ્યારે સીઈઓ એલોન મસ્કે અમેરિકામાં તેના યુઝર્સને 4 હજાર શબ્દો સુધી ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.


ટ્વિટર એક્સેસ મદ્દે યુઝર્સ પરેશાન


ઘણા યુઝર્સે કહ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ તેમને આ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ મેસેજ સિવાય યુઝર્સે ટ્વિટરને જણાવ્યું કે યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, અન્ય એકાઉન્ટને ફોલો કરવામાં અને ઓછા સમયમાં તેમની સામગ્રી પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


ઈલોન મસ્કેના કાર્યકાળમાં સર્વિસ કથળી


ઈલોન મસ્કે ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યું ત્યાર બાદ આ પહેલીવાર બન્યું છે, જ્યારે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી, ટ્વિટરે તેના બે તૃતીયાંશ કર્મચારીઓને કાઢી મૂક્યા, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..