ટ્વિટરનું સર્વર ડાઉન, ફેસબુક-ઇન્સ્ટા-યુટ્યુબ પર પણ મુશ્કેલી, લાખો યુઝર્સે કરી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-02-09 12:31:23

દુનિયાના અનેક દેશોમાં ટ્વિટર સર્વર  થઈ ગયું છે. ઘણા યુઝર્સ તેમના એકાઉન્ટને લોગિન કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. Tweetdeck પણ કામ કરતું નથી. વપરાશકર્તાઓ ટ્વીટ ડેક પર લૉગિન કરવામાં અસમર્થ છે. આ સિવાય ઘણા યુઝર્સે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર વિશે પણ ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું છે કે યુટ્યુબમાં સમસ્યા છે. જો કે, હવે ધીમે ધીમે આ સમસ્યાને ઠીક કરવામાં આવી રહી છે. 


ટ્વિટરે ખેદ વ્યક્ત કર્યો


આ દરમિયાન ટ્વિટર પર કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો ટ્વિટર પર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કંપની આ માટે ખેદ વ્યક્ત કર્યો છે, તેણે કહ્યું વહેલી તકે સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર સપોર્ટે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમની તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હજારો યુઝર્સે તેમને ટ્વીટ કરીને સેવાઓનો ઉપયોગ કરી શકતા ન હોવાની માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટરમાં આ ખામી ત્યારે આવી છે જ્યારે સીઈઓ એલોન મસ્કે અમેરિકામાં તેના યુઝર્સને 4 હજાર શબ્દો સુધી ટ્વિટ કરવાની સુવિધા શરૂ કરી છે.


ટ્વિટર એક્સેસ મદ્દે યુઝર્સ પરેશાન


ઘણા યુઝર્સે કહ્યું કે તેમને ટ્વીટ કર્યા બાદ તેમને આ મેસેજ મળી રહ્યો છે કે તમારી ટ્વીટ કરવાની લિમિટ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે તમે ટ્વીટ કરવાની મર્યાદા વટાવી દીધી છે. આ મેસેજ સિવાય યુઝર્સે ટ્વિટરને જણાવ્યું કે યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં, અન્ય એકાઉન્ટને ફોલો કરવામાં અને ઓછા સમયમાં તેમની સામગ્રી પોસ્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


ઈલોન મસ્કેના કાર્યકાળમાં સર્વિસ કથળી


ઈલોન મસ્કે ટ્વિટર પર નિયંત્રણ મેળવ્યું ત્યાર બાદ આ પહેલીવાર બન્યું છે, જ્યારે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ગયા વર્ષે કંપનીનો કબજો સંભાળ્યા પછી, ટ્વિટરે તેના બે તૃતીયાંશ કર્મચારીઓને કાઢી મૂક્યા, જેનાથી લોકોને આશ્ચર્ય થયું કે કંપની આટલા ઓછા કર્મચારીઓ સાથે કેવી રીતે સરળતાથી કામ કરી શકે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.