ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:18:13

કન્યાકુમારથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. યાત્રા શરૂ થયાના થોડા દિવસો બાદ કોંગ્રેસે ટ્વિટર પર RSSના યુનિફોર્મ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં ખાખી હાફપેન્ટના એક ભાગને સગળતો બતાવ્યો હતો. જેના જવાબમાં આસામના સીએમએ વળતો જવાબ આપતા ટ્વિટ કરી જવાહરલાલ નહેરૂએ પહેરેલા હાફપેન્ટનો ફોટો પોસ્ટ કરી મુદ્દાને ફરી ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ હમણાંથી જ મેદાનમાં ઉતરી ગઈ છે. ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર તેમજ તેમની આ યાત્રા પર અનેક ભાજપે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે ભાજપનું પીઠબળ ગણાતા RSS વિરૂદ્ધ કોંગ્રસે ટ્વિટ કરી હતી. જેમાં ખાખી હાફ પેન્ટને એક બાજૂથી સળગતું બતાવામાં આવ્યું હતું.


કોંગ્રેસના આ ટ્વિટ પર ભારે રાજનીતિ થઈ હતી, ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેનો જવાબ આપ્યો હતો. ટ્વિટમાં તેમણે એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં દેખાતા હતા. સાથે જ તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો?

અનેક વખત ઉઠ્યા છે રાહુલની યાત્રા પર પ્રહાર

આ અગાઉ રાહુલની ટી-શર્ટને લઈ અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.