ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:18:13

કન્યાકુમારથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. યાત્રા શરૂ થયાના થોડા દિવસો બાદ કોંગ્રેસે ટ્વિટર પર RSSના યુનિફોર્મ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં ખાખી હાફપેન્ટના એક ભાગને સગળતો બતાવ્યો હતો. જેના જવાબમાં આસામના સીએમએ વળતો જવાબ આપતા ટ્વિટ કરી જવાહરલાલ નહેરૂએ પહેરેલા હાફપેન્ટનો ફોટો પોસ્ટ કરી મુદ્દાને ફરી ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ હમણાંથી જ મેદાનમાં ઉતરી ગઈ છે. ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર તેમજ તેમની આ યાત્રા પર અનેક ભાજપે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે ભાજપનું પીઠબળ ગણાતા RSS વિરૂદ્ધ કોંગ્રસે ટ્વિટ કરી હતી. જેમાં ખાખી હાફ પેન્ટને એક બાજૂથી સળગતું બતાવામાં આવ્યું હતું.


કોંગ્રેસના આ ટ્વિટ પર ભારે રાજનીતિ થઈ હતી, ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેનો જવાબ આપ્યો હતો. ટ્વિટમાં તેમણે એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં દેખાતા હતા. સાથે જ તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો?

અનેક વખત ઉઠ્યા છે રાહુલની યાત્રા પર પ્રહાર

આ અગાઉ રાહુલની ટી-શર્ટને લઈ અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.