ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર યુદ્ધ છેડાયું છે.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 12:18:13

કન્યાકુમારથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. યાત્રા શરૂ થયાના થોડા દિવસો બાદ કોંગ્રેસે ટ્વિટર પર RSSના યુનિફોર્મ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પોતાની પોસ્ટમાં ખાખી હાફપેન્ટના એક ભાગને સગળતો બતાવ્યો હતો. જેના જવાબમાં આસામના સીએમએ વળતો જવાબ આપતા ટ્વિટ કરી જવાહરલાલ નહેરૂએ પહેરેલા હાફપેન્ટનો ફોટો પોસ્ટ કરી મુદ્દાને ફરી ગરમાયો હતો.

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ

2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ હમણાંથી જ મેદાનમાં ઉતરી ગઈ છે. ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પર તેમજ તેમની આ યાત્રા પર અનેક ભાજપે અનેક પ્રશ્ન ઉઠાવ્યા હતા ત્યારે ભાજપનું પીઠબળ ગણાતા RSS વિરૂદ્ધ કોંગ્રસે ટ્વિટ કરી હતી. જેમાં ખાખી હાફ પેન્ટને એક બાજૂથી સળગતું બતાવામાં આવ્યું હતું.


કોંગ્રેસના આ ટ્વિટ પર ભારે રાજનીતિ થઈ હતી, ત્યારે આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ તેનો જવાબ આપ્યો હતો. ટ્વિટમાં તેમણે એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં નેહરુ હાફપેન્ટમાં દેખાતા હતા. સાથે જ તેમણે લખ્યું કે શું તમે આને પણ બાળી નાખશો?

અનેક વખત ઉઠ્યા છે રાહુલની યાત્રા પર પ્રહાર

આ અગાઉ રાહુલની ટી-શર્ટને લઈ અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ પણ ભારત જોડો યાત્રા પર કટાક્ષ કર્યો હતો. 



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.