ભાજપ Vs કોંગ્રેસનું ટ્વિટર વોર! રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન સામે ભાજપ સાંસદના પત્ર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-09 10:43:37

ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકો છોડતી નથી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ભાજપ પર કોંગ્રેસ શાબ્દિક પ્રહાર કરે છે. તો ભાજપ પણ ઘણી વખત કોંગ્રેસના સમયે લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરે છે. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ ભાજપ આક્રામક દેખાય છે. રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતમાં ચાલતી રાજનીતિ તેમજ સરકારની નિતીઓને લઈ વાત કરી હતી અને તીખા બોલોનો ઉપયોગ કર્યો હતો. મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. મળતી માહિતી અનુસાર આ પત્ર ભાજપના રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.


રાહુલ ગાંધીને ભાજપના સાંસદોએ લખ્યો પત્ર!

કોંગ્રેસ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત મહોબ્બત કી દુકાન અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. ઘણી વખત રાહુલ ગાંધી કહેતા હોય છે કે તે પ્રેમ ફેલાવવા આવ્યા છે. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ અનેક વખત તેમણે મહોબ્બત કી દુકાનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમની આ મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના સાંસદોએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો કે રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન વિશે સાંભળીને આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારૂં થાત, પરંતુ અફસોસ કોંગ્રેસની કથની અને કરનીમાં ઘણો ફરક છે. 

ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી - પત્રમાં ઉલ્લેખ!

ભાજપના સાંસદોએ ન માત્ર રાહુલ ગાંધી પર પરંતુ ગાંધી પરિવાર પર પત્રમાં પ્રહાર કર્યા હતા. વધુમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા હાંસલ કરી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે. 

પત્રમાં ભાજપના સાંસદોએ કર્યા આ દાવા! 

પત્રમાં ભાજપના સાંસદે દાવા કર્યા છે કે કોંગ્રેસના શાસનમાં વધુ રમખાણો થયા છે અને નફરતની દુકાનો સજાવવામાં આવી. કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા રમખાણોનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. તે સિવાય બીજો દાવો એવો કરવામાં આવ્યો છે કે નહેરૂ ગાંધી પરિવારે કોંગ્રેસના નેતાઓ સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું છે. સાંસદોએ પત્રમાં લખ્યું છે કે તમારી કોંગ્રેસ પાર્ટીની શરૂઆતથી જ પરંપરા રહી છે કે તે પોતાના વરિષ્ઠ નેતાઓને પણ છોડતી નથી. ન જાણે નેહરુના દિલમાં એવો કેવો પ્રેમ હતો કે તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં ન જવાની સલાહ આપી.


સ્મૃતિ ઈરાનીએ પણ કર્યો હતો કટાક્ષ!

તે સિવાય એવો દાવો કરવામાં આવ્યો કે ગાંધી પરિવારે પોતાના જ સ્વજનો સાથે અમાનવીય વ્યવહાર કર્યો. ચોથા વાયદામાં ભાજપના સાંસદો દાવો કર્યો કે દેશની મહાન હસ્તીઓ પ્રત્યે ગાંધી પરિવારની નફરત આજે પણ પ્રગટ થાય છે. ભાજપના સાંસદો સિવાય અનેક વખત મહોબ્બત કી દુકાન વિશે ભાજપના નેતાઓએ ટિપ્પણી કરી છે. થોડા દિવસ પહેલા આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાત કરી હતી. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.