ભાજપ Vs કોંગ્રેસનું ટ્વિટર વોર! રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન સામે ભાજપ સાંસદના પત્ર! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-06-09 10:43:37

ભાજપ તેમજ કોંગ્રેસ પાર્ટી એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકો છોડતી નથી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધી ભાજપ પર કોંગ્રેસ શાબ્દિક પ્રહાર કરે છે. તો ભાજપ પણ ઘણી વખત કોંગ્રેસના સમયે લેવામાં આવેલા નિર્ણયોની ટીકા કરે છે. તે સિવાય રાહુલ ગાંધીને લઈને પણ ભાજપ આક્રામક દેખાય છે. રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતમાં ચાલતી રાજનીતિ તેમજ સરકારની નિતીઓને લઈ વાત કરી હતી અને તીખા બોલોનો ઉપયોગ કર્યો હતો. મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. મળતી માહિતી અનુસાર આ પત્ર ભાજપના રાજ્યવર્ધન રાઠોડ, પરવેશ સાહિબ સિંહ અને પૂનમ મહાજને લખ્યો છે.


રાહુલ ગાંધીને ભાજપના સાંસદોએ લખ્યો પત્ર!

કોંગ્રેસ દ્વારા તેમજ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત મહોબ્બત કી દુકાન અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. ઘણી વખત રાહુલ ગાંધી કહેતા હોય છે કે તે પ્રેમ ફેલાવવા આવ્યા છે. ત્યારે અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ અનેક વખત તેમણે મહોબ્બત કી દુકાનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે તેમની આ મહોબ્બત કી દુકાનને લઈ ભાજપના સાંસદોએ નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો કે રાહુલ ગાંધીના મહોબ્બત કી દુકાન વિશે સાંભળીને આનંદ થયો. જો તેમનો પક્ષ ખરેખર આ માર્ગે ચાલ્યો હોત તો કેટલું સારૂં થાત, પરંતુ અફસોસ કોંગ્રેસની કથની અને કરનીમાં ઘણો ફરક છે. 

ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી - પત્રમાં ઉલ્લેખ!

ભાજપના સાંસદોએ ન માત્ર રાહુલ ગાંધી પર પરંતુ ગાંધી પરિવાર પર પત્રમાં પ્રહાર કર્યા હતા. વધુમાં લખ્યું છે કે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર માટે નફરત ફેલાવવીએ નવી વાત નથી. તેમણે તેમાં નિપુણતા હાંસલ કરી છે. ગાંધી પરિવારના ઈતિહાસના પાના ફેરવવામાં આવે તો નફરતની અનેક વાર્તાઓ જોવા મળશે. આ પરિવારે દેશમાં નફરતનો મેગા મોલ ખોલ્યો છે. 

પત્રમાં ભાજપના સાંસદોએ કર્યા આ દાવા! 

પત્રમાં ભાજપના સાંસદે દાવા કર્યા છે કે કોંગ્રેસના શાસનમાં વધુ રમખાણો થયા છે અને નફરતની દુકાનો સજાવવામાં આવી. કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા રમખાણોનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. તે સિવાય બીજો દાવો એવો કરવામાં આવ્યો છે કે નહેરૂ ગાંધી પરિવારે કોંગ્રેસના નેતાઓ સાથે કેવી રીતે ગેરવર્તન કર્યું છે. સાંસદોએ પત્રમાં લખ્યું છે કે તમારી કોંગ્રેસ પાર્ટીની શરૂઆતથી જ પરંપરા રહી છે કે તે પોતાના વરિષ્ઠ નેતાઓને પણ છોડતી નથી. ન જાણે નેહરુના દિલમાં એવો કેવો પ્રેમ હતો કે તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કારમાં ન જવાની સલાહ આપી.


સ્મૃતિ ઈરાનીએ પણ કર્યો હતો કટાક્ષ!

તે સિવાય એવો દાવો કરવામાં આવ્યો કે ગાંધી પરિવારે પોતાના જ સ્વજનો સાથે અમાનવીય વ્યવહાર કર્યો. ચોથા વાયદામાં ભાજપના સાંસદો દાવો કર્યો કે દેશની મહાન હસ્તીઓ પ્રત્યે ગાંધી પરિવારની નફરત આજે પણ પ્રગટ થાય છે. ભાજપના સાંસદો સિવાય અનેક વખત મહોબ્બત કી દુકાન વિશે ભાજપના નેતાઓએ ટિપ્પણી કરી છે. થોડા દિવસ પહેલા આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાત કરી હતી. રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.