ટ્રેન અકસ્માતમાં બે પગ અને એક હાથ કપાઈ ગયો પરંતુ મજબૂત મનોબળથી પાસ કરી યુપીએસસી પરીક્ષા! જાણો સૂરજ તિવારીના સંઘર્ષની કહાણી


  • Published By :
  • Published Date : 2023-05-25 16:55:35

કહેવાય છે કે કઈ પણ કામ કરવા માટે ઈચ્છા શક્તિની જરૂર હોય છે. જેનો ઈરાદો મક્કમ હોય તેને કોઈ પણ મુશ્કેલી રોકી શકતી નથી. એટલે જ કહેવાયું છે કે 'ઈરાદે રોજ બનતે હૈ ઔર, રોજ તૂટ જાતે હૈ, પૂરે ઉનકે હોતે હૈ જો અમની જીદ પર અડ જાતે હૈ'. આ વાતને સાર્થક યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર સૂરજ તિવારીએ કરી બતાવી છે. યુપીએસસી 2022ની પરીક્ષામાં ભલે તેમનો રેંક 917 આવ્યો હોય પરંતુ તેમના સંઘર્ષની કહાણી અનેક ઉમેદવારો તેમજ લોકો માટે પ્રેરણા રૂપ બનશે.  

Image

933 ઉમેદવારોના સપના થયા પૂરા! 

મંગળવારે UPSCના પરિણામની જાહેરાત થઈ. 933 ઉમેદવારોની પસંદગી થઈ છે. મહત્વનું છે કે 1011 પદો માટે ભરતી બહાર પડી હતી. અનેક ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી. દેશના ખૂણે ખૂણેથી તૈયારી કરતા અભ્યાર્થીઓના સપના પૂરા થયા છે. પોતાના સપનાને પૂરા કરવા રાતો જાગીને મહેનત કરી તે લેખે લાગી છે અને જે પરિણામમાં તે પોતાના નામની શોધમાં હતા તે તેમને દેખાયું છે. પરિણામ આવ્યા બાદ યુપીએસસી પાસ થયેલા અભ્યાર્થીઓની જ ચર્ચા ચાલી રહી છે. પણ તેમાંથી સૌથી વધારે જે નામની ચર્ચા થઈ રહી છે તે મૈનપુરીના સુરજ તિવારીની છે. તેમણે હમણા જ અકસ્માતમાં એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી.  


સૂરજ તિવારીએ અકસ્માત બાદ પણ ન માની હાર! 

સૂરજ તિવારી ઉત્તરપ્રદેશના મૈનપુરીના રહીશ છે. તેમના બંને પગ નથી, એક હાથ પણ નથી અને બીજા હાથમાં ખાલી ત્રણ જ આંગળીઓ છે. છ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં તેણે પોતાના શરીરના આ અંગ ગુમાવી દીધા હતા. પણ તેમની ઈચ્છા શક્તિને અકસ્માત ના આંચકી શક્યો. આ દુર્ઘટનાના થોડા સમય બાદ તેમના ભાઈ ગુજરી ગયા. તો ઘરની પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ. સુરજના પપ્પા કુરાવલી ગામમાં સીવણકામનો ધંધો કરે છે. આ ઘટનાઓએ સુરજના મનોબળને ડગાવી ના શકી. તેમણે યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. મન લગાવીને તૈયારીમાં પરોવાઈ ગયા. પોતાના સપનાને સાકાર કરવા દિવસમાં ચાર કે પાંચ કલાક જ સૂતા હતા અને 18થી 20 કલાક વાંચતા હતા. પરિસ્થિતિ એવી હતી કે કોચિંગ કરવા માટે તેમની પાસે પૈસા ના હતા. પણ તેમની પરિસ્થિતિઓને સ્વીકારી અને કોચિંગ વગર યુપીએસસી ક્લિયર કરી લીધી. 


સારવાર દરમિયાન મળી યુપીએસસી પરીક્ષા આપવાની પ્રેરણા!

સુરજ સાથેની ટ્રેન દુર્ઘટનાની વાત કરીએ તો 2017માં કોઈ બાળક કે કોઈ વ્યક્તિએ તેમને ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેના હાથ પગ ટ્રેન નીચે કપાઈ ગયા હતા. અકસ્માત બાદ દિલ્હીના એઈમ્સમાં ચાર મહિના તેમની સારવાર ચાલી હતી. જ્યાં તેમને યુપીએસસી દેવાનો નિર્ણય લીધો. સારવાર સમયે સુરજની મુલાકાત એક છોકરા સાથે થઈ. તેણે સુરજને ભણવામાં મદદ કરી. પછી સરકારે પણ તેમને ભણવામાં મદદ કરી. સરકારે સુરજના ભણતરનો પૂરો ખર્ચો ઉઠાવ્યો. જ્યારે સમાચાર આવ્યા કે સુરજે યુપીએસસી ફોડી લીધી છે ત્યારે ગામના બધા લોકો ખુશ થઈ ગયા હતા.


અખીલાએ પણ ડર પર જીત કરી હાંસલ!  

આ તો થઈ સુરજ તિવારીની વાત. પરંતુ આવા અનેક ઉમેદવારો છે જેમણે પોતાના મનોબળથી પોતાની કમી પર જીત હાંસલ કરી છે. અખીલા નામની ઉમેદવારે પણ પોતાની મહેનતથી 760મો ક્રમાંક હાંસલ કર્યો છે. અકસ્માતમાં તેમણે પણ પોતાનો હાથ ગુમાવી દીધો હતો. અકસ્માતે ભલે તેમનો હાથ જતો રહ્યો પરંતુ તેમના સપનાને કોઈ રોકી ન શક્યું.


આ કોચિંગ એકેડમીમાંથી પાસ થયા આટલા ઉમેદવાર!

આ વર્ષના પરિણામની વાત કરીએ તો છોકરીઓએ કમાલ બતાવ્યો છે. ટોપ પાંચમાં છોકરીઓએ સ્થાન હાંસલ કર્યું છે. ઈશિતા કિશોરે યુપીએસસી ટોપ કર્યું છે. બીજા નંબર પર ગરિમા લોહિયા આવ્યા છે. જ્યારે ત્રીજા ક્રમે ઉમા હરથી છે અને ચોથા ક્રમે સ્મૃતિ મિશ્રા આવી છે. મહત્વું છે કે રેજિડેંશિયલ કોચિંગ એકેડમીમાંથી 23 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.