ટ્રેન અકસ્માતમાં બે પગ અને એક હાથ કપાઈ ગયો પરંતુ મજબૂત મનોબળથી પાસ કરી યુપીએસસી પરીક્ષા! જાણો સૂરજ તિવારીના સંઘર્ષની કહાણી


  • Published By :
  • Published Date : 2023-05-25 16:55:35

કહેવાય છે કે કઈ પણ કામ કરવા માટે ઈચ્છા શક્તિની જરૂર હોય છે. જેનો ઈરાદો મક્કમ હોય તેને કોઈ પણ મુશ્કેલી રોકી શકતી નથી. એટલે જ કહેવાયું છે કે 'ઈરાદે રોજ બનતે હૈ ઔર, રોજ તૂટ જાતે હૈ, પૂરે ઉનકે હોતે હૈ જો અમની જીદ પર અડ જાતે હૈ'. આ વાતને સાર્થક યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર સૂરજ તિવારીએ કરી બતાવી છે. યુપીએસસી 2022ની પરીક્ષામાં ભલે તેમનો રેંક 917 આવ્યો હોય પરંતુ તેમના સંઘર્ષની કહાણી અનેક ઉમેદવારો તેમજ લોકો માટે પ્રેરણા રૂપ બનશે.  

Image

933 ઉમેદવારોના સપના થયા પૂરા! 

મંગળવારે UPSCના પરિણામની જાહેરાત થઈ. 933 ઉમેદવારોની પસંદગી થઈ છે. મહત્વનું છે કે 1011 પદો માટે ભરતી બહાર પડી હતી. અનેક ઉમેદવારોએ યુપીએસસીની પરીક્ષા આપી હતી. દેશના ખૂણે ખૂણેથી તૈયારી કરતા અભ્યાર્થીઓના સપના પૂરા થયા છે. પોતાના સપનાને પૂરા કરવા રાતો જાગીને મહેનત કરી તે લેખે લાગી છે અને જે પરિણામમાં તે પોતાના નામની શોધમાં હતા તે તેમને દેખાયું છે. પરિણામ આવ્યા બાદ યુપીએસસી પાસ થયેલા અભ્યાર્થીઓની જ ચર્ચા ચાલી રહી છે. પણ તેમાંથી સૌથી વધારે જે નામની ચર્ચા થઈ રહી છે તે મૈનપુરીના સુરજ તિવારીની છે. તેમણે હમણા જ અકસ્માતમાં એક હાથ અને બીજા હાથની આંગળીઓ ગુમાવી દીધી હતી.  


સૂરજ તિવારીએ અકસ્માત બાદ પણ ન માની હાર! 

સૂરજ તિવારી ઉત્તરપ્રદેશના મૈનપુરીના રહીશ છે. તેમના બંને પગ નથી, એક હાથ પણ નથી અને બીજા હાથમાં ખાલી ત્રણ જ આંગળીઓ છે. છ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં તેણે પોતાના શરીરના આ અંગ ગુમાવી દીધા હતા. પણ તેમની ઈચ્છા શક્તિને અકસ્માત ના આંચકી શક્યો. આ દુર્ઘટનાના થોડા સમય બાદ તેમના ભાઈ ગુજરી ગયા. તો ઘરની પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ. સુરજના પપ્પા કુરાવલી ગામમાં સીવણકામનો ધંધો કરે છે. આ ઘટનાઓએ સુરજના મનોબળને ડગાવી ના શકી. તેમણે યુપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. મન લગાવીને તૈયારીમાં પરોવાઈ ગયા. પોતાના સપનાને સાકાર કરવા દિવસમાં ચાર કે પાંચ કલાક જ સૂતા હતા અને 18થી 20 કલાક વાંચતા હતા. પરિસ્થિતિ એવી હતી કે કોચિંગ કરવા માટે તેમની પાસે પૈસા ના હતા. પણ તેમની પરિસ્થિતિઓને સ્વીકારી અને કોચિંગ વગર યુપીએસસી ક્લિયર કરી લીધી. 


સારવાર દરમિયાન મળી યુપીએસસી પરીક્ષા આપવાની પ્રેરણા!

સુરજ સાથેની ટ્રેન દુર્ઘટનાની વાત કરીએ તો 2017માં કોઈ બાળક કે કોઈ વ્યક્તિએ તેમને ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેના હાથ પગ ટ્રેન નીચે કપાઈ ગયા હતા. અકસ્માત બાદ દિલ્હીના એઈમ્સમાં ચાર મહિના તેમની સારવાર ચાલી હતી. જ્યાં તેમને યુપીએસસી દેવાનો નિર્ણય લીધો. સારવાર સમયે સુરજની મુલાકાત એક છોકરા સાથે થઈ. તેણે સુરજને ભણવામાં મદદ કરી. પછી સરકારે પણ તેમને ભણવામાં મદદ કરી. સરકારે સુરજના ભણતરનો પૂરો ખર્ચો ઉઠાવ્યો. જ્યારે સમાચાર આવ્યા કે સુરજે યુપીએસસી ફોડી લીધી છે ત્યારે ગામના બધા લોકો ખુશ થઈ ગયા હતા.


અખીલાએ પણ ડર પર જીત કરી હાંસલ!  

આ તો થઈ સુરજ તિવારીની વાત. પરંતુ આવા અનેક ઉમેદવારો છે જેમણે પોતાના મનોબળથી પોતાની કમી પર જીત હાંસલ કરી છે. અખીલા નામની ઉમેદવારે પણ પોતાની મહેનતથી 760મો ક્રમાંક હાંસલ કર્યો છે. અકસ્માતમાં તેમણે પણ પોતાનો હાથ ગુમાવી દીધો હતો. અકસ્માતે ભલે તેમનો હાથ જતો રહ્યો પરંતુ તેમના સપનાને કોઈ રોકી ન શક્યું.


આ કોચિંગ એકેડમીમાંથી પાસ થયા આટલા ઉમેદવાર!

આ વર્ષના પરિણામની વાત કરીએ તો છોકરીઓએ કમાલ બતાવ્યો છે. ટોપ પાંચમાં છોકરીઓએ સ્થાન હાંસલ કર્યું છે. ઈશિતા કિશોરે યુપીએસસી ટોપ કર્યું છે. બીજા નંબર પર ગરિમા લોહિયા આવ્યા છે. જ્યારે ત્રીજા ક્રમે ઉમા હરથી છે અને ચોથા ક્રમે સ્મૃતિ મિશ્રા આવી છે. મહત્વું છે કે રેજિડેંશિયલ કોચિંગ એકેડમીમાંથી 23 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.           



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.