અમેરિકાના ડલાસમાં હવામાં બે જૂના ફાઇટર જેટ અથડાયા, છ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-11-13 09:01:46

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે જૂના ફાઈટર પ્લેન હવામાં અથડાઈ પડ્યા અને આ દુર્ઘટનામાં 6 લોકોના મોતની આશંકા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શો દરમિયાન આ દુર્ઘટના બની હતી.


ચારે બાજુ અફરાતફરી હતી, લોકો બૂમો પાડી રહ્યા હતા

સ્થળ પર હાજર એન્થોની મોન્ટોયાએ બંને વિમાનોને ટકરાતા જોયા હતા. તેણે જોયું કે આકાશમાં બે વિમાનો ટકરાયા હતા. તેણે વધુમાં કહ્યું કે હું સંપૂર્ણ રીતે ચોંકી ગયો હતો અને હું વિશ્વાસ કરી શકતો નથી કે આવી ઘટના બની છે. હું મારા મિત્ર સાથે એર શોમાં ગયો હતો. જ્યારે વિમાનો ટકરાયા ત્યારે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ હતી અને કેટલાક લોકો બૂમો પાડી રહ્યા હતા.


ઘટના બપોરે બની હતી

Two World War II-Era Planes Collide and Crash at Texas Airshow

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન ક્રેશની જાણ થતાં જ ઈમરજન્સી ક્રૂએ તાત્કાલિક ક્રેશ સ્થળ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પ્લેનનો કાટમાળ એક જગ્યાએ પડ્યો છે અને કામદારો કાટમાળ હટાવી રહ્યા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઇંગ B-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા લગભગ 1:20 વાગ્યે (સ્થાનિક સમય) અથડાયા હતા અને ક્રેશ થયા હતા. આ અથડામણ સ્મારક એર ફોર્સ વિંગ્સ ઓવર ડલ્લાસ શો દરમિયાન થઈ હતી.


યુએસ એરફોર્સે એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો


બી-17 એ ચાર એન્જિનનું મોટું બોમ્બર એરક્રાફ્ટ છે. જેનો ઉપયોગ યુએસ એરફોર્સે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. બીજી બાજુ, કિંગકોબ્રા, એક અમેરિકન ફાઇટર એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ મોટાભાગે યુદ્ધ દરમિયાન સોવિયેત દળો સામે કરવામાં આવ્યો હતો. બોઇંગ કંપનીના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વયુદ્ધના અંતે મોટાભાગના B-17 એરક્રાફ્ટને સ્ક્રેપ કરવામાં આવ્યા હતા અને માત્ર થોડા જ બાકી રહ્યા હતા જે એર શો અથવા મ્યુઝિયમોમાં પ્રદર્શિત થાય છે.



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...