હાર્ટ એટેકને કારણે સુરતમાં થયા બે લોકોના મોત, જ્યારે છત્તીસગઢમાં પણ મામાનું મોત થતા ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:35:05

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાને કારણે બે લોકોના મોત થયા છે. 25 વર્ષનો યુવાન અને 43 વર્ષની મહિલાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અચાનક પરિવારજનોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. સુરત ઉપરાંત આવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. લગ્નની ઉજવણી દરમિયાન દુલ્હનના મામા ડાન્સ કરતા હતા તે વખતે જમીન પર પડી ગયા અને તેમનું મોત થઈ ગયું હતું. 


સુરતમાં હાર્ટ એટેકને કારણે થયા બે લોકોના મોત!

અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેકનો શિકાર મોટી ઉંમરના લોકો બનતા હોય છે. પરંતુ કોરોના બાદ નાની ઉંમરના લોકોના જીવ હાર્ટ એટેકને કારણે જઈ રહ્યા છે. સુરતથી બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકનો ભોગ એક પુરૂષ અને એક મહિલા બન્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ગયો છે. એક ઘટનામાં ટીવી જોતા જોતા મહિલાને હાર્ટ એટેક આવ્યો જ્યારે બીજી ઘટનામાં જમીન પર બેઠેલો માણસ અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.   


છત્તીસગઢમાં પણ ભાણીના લગ્નમાં આવેલા મામાનું થયું મોત! 

તે સિવાય હાર્ટ એટેક આવવાની ઘટના છત્તીસગઢના ડોંગરગઢમાં લગ્નની ઉજવણી દરમિયાન બની છે. લગ્નમાં દુલ્હનના મામા ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયા અને ફરી ઉભા ન થઈ શક્યા. મામાનું અચાનક મોત થવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમનું મોત થયું છે તેમનું નામ દિલીપ રાઉઝકર હતું જે સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજરનું કામ કરતા હતા. અચાનક ઢળી જતાં ત્યાં ઉપસ્થિત લોકોને આઘાત લાગ્યો હતો. ત્યાંના લોકોએ કહ્યું કે દિલીપભાઈ એકદમ ખુશ મિઝાઝના હતા. ઢળી પડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


વધતા હાર્ટ એટેક ચિંતાજનક!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં હસતા રમતા દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ યોગા કરતી વખતે મોતને ભેટે છે તો કોઈ રમતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની છે. ત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે ત્યારે હૃદય ઝડપી કામ કરે છે જેને કારણે વધારે ચરબી જમા થાય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી આનું કારણ તણાવ હોય છે. રોજે વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક છે. ત્યારે આપણે આપણા શરીરની કાળજી લેવી જોઈએ.          



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.