હાર્ટ એટેકને કારણે સુરતમાં થયા બે લોકોના મોત, જ્યારે છત્તીસગઢમાં પણ મામાનું મોત થતા ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:35:05

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાને કારણે બે લોકોના મોત થયા છે. 25 વર્ષનો યુવાન અને 43 વર્ષની મહિલાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અચાનક પરિવારજનોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. સુરત ઉપરાંત આવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. લગ્નની ઉજવણી દરમિયાન દુલ્હનના મામા ડાન્સ કરતા હતા તે વખતે જમીન પર પડી ગયા અને તેમનું મોત થઈ ગયું હતું. 


સુરતમાં હાર્ટ એટેકને કારણે થયા બે લોકોના મોત!

અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેકનો શિકાર મોટી ઉંમરના લોકો બનતા હોય છે. પરંતુ કોરોના બાદ નાની ઉંમરના લોકોના જીવ હાર્ટ એટેકને કારણે જઈ રહ્યા છે. સુરતથી બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકનો ભોગ એક પુરૂષ અને એક મહિલા બન્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ગયો છે. એક ઘટનામાં ટીવી જોતા જોતા મહિલાને હાર્ટ એટેક આવ્યો જ્યારે બીજી ઘટનામાં જમીન પર બેઠેલો માણસ અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.   


છત્તીસગઢમાં પણ ભાણીના લગ્નમાં આવેલા મામાનું થયું મોત! 

તે સિવાય હાર્ટ એટેક આવવાની ઘટના છત્તીસગઢના ડોંગરગઢમાં લગ્નની ઉજવણી દરમિયાન બની છે. લગ્નમાં દુલ્હનના મામા ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયા અને ફરી ઉભા ન થઈ શક્યા. મામાનું અચાનક મોત થવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમનું મોત થયું છે તેમનું નામ દિલીપ રાઉઝકર હતું જે સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજરનું કામ કરતા હતા. અચાનક ઢળી જતાં ત્યાં ઉપસ્થિત લોકોને આઘાત લાગ્યો હતો. ત્યાંના લોકોએ કહ્યું કે દિલીપભાઈ એકદમ ખુશ મિઝાઝના હતા. ઢળી પડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


વધતા હાર્ટ એટેક ચિંતાજનક!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં હસતા રમતા દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ યોગા કરતી વખતે મોતને ભેટે છે તો કોઈ રમતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની છે. ત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે ત્યારે હૃદય ઝડપી કામ કરે છે જેને કારણે વધારે ચરબી જમા થાય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી આનું કારણ તણાવ હોય છે. રોજે વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક છે. ત્યારે આપણે આપણા શરીરની કાળજી લેવી જોઈએ.          



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.