હાર્ટ એટેકને કારણે સુરતમાં થયા બે લોકોના મોત, જ્યારે છત્તીસગઢમાં પણ મામાનું મોત થતા ખુશીનો માહોલ ફેરવાયો માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:35:05

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેક આવવાને કારણે બે લોકોના મોત થયા છે. 25 વર્ષનો યુવાન અને 43 વર્ષની મહિલાનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અચાનક પરિવારજનોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી છે. સુરત ઉપરાંત આવી જ ઘટના છત્તીસગઢમાં બની છે. લગ્નની ઉજવણી દરમિયાન દુલ્હનના મામા ડાન્સ કરતા હતા તે વખતે જમીન પર પડી ગયા અને તેમનું મોત થઈ ગયું હતું. 


સુરતમાં હાર્ટ એટેકને કારણે થયા બે લોકોના મોત!

અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેકનો શિકાર મોટી ઉંમરના લોકો બનતા હોય છે. પરંતુ કોરોના બાદ નાની ઉંમરના લોકોના જીવ હાર્ટ એટેકને કારણે જઈ રહ્યા છે. સુરતથી બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં હાર્ટ એટેકનો ભોગ એક પુરૂષ અને એક મહિલા બન્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા લોકોમાં ડર વ્યાપી ગયો છે. એક ઘટનામાં ટીવી જોતા જોતા મહિલાને હાર્ટ એટેક આવ્યો જ્યારે બીજી ઘટનામાં જમીન પર બેઠેલો માણસ અચાનક બેભાન થઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલ જ્યારે ખસેડવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.   


છત્તીસગઢમાં પણ ભાણીના લગ્નમાં આવેલા મામાનું થયું મોત! 

તે સિવાય હાર્ટ એટેક આવવાની ઘટના છત્તીસગઢના ડોંગરગઢમાં લગ્નની ઉજવણી દરમિયાન બની છે. લગ્નમાં દુલ્હનના મામા ડાન્સ કરતી વખતે જમીન પર પડી ગયા અને ફરી ઉભા ન થઈ શક્યા. મામાનું અચાનક મોત થવાથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જેમનું મોત થયું છે તેમનું નામ દિલીપ રાઉઝકર હતું જે સ્ટીલ પ્લાન્ટમાં આસિસ્ટન્ટ મેનેજરનું કામ કરતા હતા. અચાનક ઢળી જતાં ત્યાં ઉપસ્થિત લોકોને આઘાત લાગ્યો હતો. ત્યાંના લોકોએ કહ્યું કે દિલીપભાઈ એકદમ ખુશ મિઝાઝના હતા. ઢળી પડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


વધતા હાર્ટ એટેક ચિંતાજનક!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યાં હસતા રમતા દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ યોગા કરતી વખતે મોતને ભેટે છે તો કોઈ રમતા રમતા હાર્ટ એટેકનો શિકાર બની છે. ત્યારે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે શરીરને વધુ લોહીની જરૂર પડે ત્યારે હૃદય ઝડપી કામ કરે છે જેને કારણે વધારે ચરબી જમા થાય છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ પ્રોપર થતું નથી આનું કારણ તણાવ હોય છે. રોજે વધતા હાર્ટ એટેકના કેસ ચિંતાજનક છે. ત્યારે આપણે આપણા શરીરની કાળજી લેવી જોઈએ.          



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.