જાપાનના એરપોર્ટ પર ફરી અથડાયા બે વિમાન, 289 પેસેન્જરોનો થયો આબાદ બચાવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 19:34:53

જાપાનમાં ફરી એક વખત બે વિમાન એકબીજા સાથે ટકરાયા છે. આ ટક્કર કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના વિમાનો વચ્ચે થઈ છે. જાપાની મીડિયાએ કહ્યું કે કોઈ પણ વિમાનમાં કોઈ પેસેન્જર ઘાયલ થયા હોવાના સમાચાર નથી. આ અકસ્માત જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર થયો હતો. એરલાઈન્સના એક અધિકારીઓ જણાવ્યું કે કોરિયન એરની ઉડાનમાં 289 પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા. 


હોક્કાઈડોના એરપોર્ટ થયો અકસ્માત


કોરિયન એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના બે વિમાનોની પાંખો ઉત્તરના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર એકબીજા સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ એરપોર્ટના રનવે પર જામેલો બરફ હોવાનું માનવામાં આવે છે. જાપાની મીડિયાના રિપોર્ટમાં કેથે પેસેફિક વિમાનમાં પેસેન્જરો હતો કે નહીં તે અંગે પરસ્પર વિરોધી જાણકારી સામે આવી રહી છે. કેથે પેસેફિક એરવેઝે દુર્ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


કોરિયન એરવેઝના અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ટોઈંગ કાર ટેક ઓફથી પહેલા કોરિયન એરના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી. આ દરમિયાન તે જમીન પર બરફના કારણે ફસડાઈ ગઈ, તેથી વિમાનની પાંખો કેથે પેસેફિક વિમાનના જમણી બાજુની પાંખો સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .