જાપાનના એરપોર્ટ પર ફરી અથડાયા બે વિમાન, 289 પેસેન્જરોનો થયો આબાદ બચાવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 19:34:53

જાપાનમાં ફરી એક વખત બે વિમાન એકબીજા સાથે ટકરાયા છે. આ ટક્કર કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના વિમાનો વચ્ચે થઈ છે. જાપાની મીડિયાએ કહ્યું કે કોઈ પણ વિમાનમાં કોઈ પેસેન્જર ઘાયલ થયા હોવાના સમાચાર નથી. આ અકસ્માત જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર થયો હતો. એરલાઈન્સના એક અધિકારીઓ જણાવ્યું કે કોરિયન એરની ઉડાનમાં 289 પેસેન્જર અને ક્રૂ મેમ્બર સવાર હતા. 


હોક્કાઈડોના એરપોર્ટ થયો અકસ્માત


કોરિયન એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે કોરિયન એર લાઈન્સ અને કેથે પેસેફિક એરવેઝના બે વિમાનોની પાંખો ઉત્તરના ટાપુ હોક્કાઈડોના ન્યૂ ચિટોસ એરપોર્ટ પર એકબીજા સાથે ટકરાઈ હતી. આ દુર્ઘટનાનું મુખ્ય કારણ એરપોર્ટના રનવે પર જામેલો બરફ હોવાનું માનવામાં આવે છે. જાપાની મીડિયાના રિપોર્ટમાં કેથે પેસેફિક વિમાનમાં પેસેન્જરો હતો કે નહીં તે અંગે પરસ્પર વિરોધી જાણકારી સામે આવી રહી છે. કેથે પેસેફિક એરવેઝે દુર્ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી. 


કઈ રીતે સર્જાયો અકસ્માત?


કોરિયન એરવેઝના અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે સર્જાઈ જ્યારે ટોઈંગ કાર ટેક ઓફથી પહેલા કોરિયન એરના વિમાનને પાછળની તરફ ધકેલી રહી હતી. આ દરમિયાન તે જમીન પર બરફના કારણે ફસડાઈ ગઈ, તેથી વિમાનની પાંખો કેથે પેસેફિક વિમાનના જમણી બાજુની પાંખો સાથે ટકરાઈ ગઈ હતી. આ દુર્ઘટના બાદ વિમાનને તાત્કાલિક તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.