ગ્રીસમાં બે ટ્રેન વચ્ચે થઈ ટક્કર, દુર્ઘટનામાં થયા 26 જેટલા લોકોના મોત જ્યારે અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-03-01 11:01:27

ગ્રીસમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે જેમાં 26 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 85થી વધુ લોકો ઘાયલ થયા છે. બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. આ બંને ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેને કારણે પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનમાં આગ લાગી હતી. હાલ મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે પરંતુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

एरियल व्यू में टक्कर के बाद ट्रेन के डिब्बे पटरी से उतरे नजर आ रहे हैं।

हादसे के बाद ट्रेन में आग लग गई, जिसके बाद धूआं उठता नजर आया।

અકસ્માતમાં થયા 26 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. મુખ્યત્વે રોડ અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. પરંતુ ગ્રીસમાં ટ્રેનો વચ્ચે અકસ્માત થયો છે જેમાં 26 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 85 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો છે જેમાં પેસેન્જર ટ્રેન અને માલ ગાડી વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત સેંટ્રલ ગ્રીસના લારિસા શહેર નજીક બન્યો છે. પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. પેસેન્જર ટ્રેનમાં 350થી વધારે લોકો સવાર હતા જેમાંથી 250 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

हादसे के बाद ट्रेन में फंसे 250 लोगों को सुरक्षित बाहर निकाल लिया गया है।

तस्वीर में फायर ब्रिगेड के कर्मचारी स्पाइनल स्टेबलाइजिंग स्ट्रेचर ले जाते नजर आ रहे हैं।

અકસ્માત બાદ ટ્રેનમાં લાગી હતી આગ 

અકસ્માત થતા પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી આવ્યા હતા જ્યારે બે ડબ્બાઓ નષ્ટ થઈ ગયા હતા. ટ્રેનો અથડાતા ટ્રેનમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટ્રેનનો આગળનો ભાગ  નષ્ટ થઈ ગયો હતો. આગ લાગવાને કારણે ચારેય તરફ ધૂમાડો ફેલાઈ ગયો હતો. જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ પડી હતી. ટ્રેનમાં સવાર અનેક લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આ અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો તે જાણી શકાયું નથી. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.