ગ્રીસમાં બે ટ્રેન વચ્ચે થઈ ટક્કર, દુર્ઘટનામાં થયા 26 જેટલા લોકોના મોત જ્યારે અનેક લોકોનું કરાયું રેસ્ક્યુ


  • Published By :
  • Published Date : 2023-03-01 11:01:27

ગ્રીસમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે જેમાં 26 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 85થી વધુ લોકો ઘાયલ થયા છે. બે ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. આ બંને ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેને કારણે પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત બાદ ટ્રેનમાં આગ લાગી હતી. હાલ મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે પરંતુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

एरियल व्यू में टक्कर के बाद ट्रेन के डिब्बे पटरी से उतरे नजर आ रहे हैं।

हादसे के बाद ट्रेन में आग लग गई, जिसके बाद धूआं उठता नजर आया।

અકસ્માતમાં થયા 26 જેટલા લોકોના મોત 

અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. મુખ્યત્વે રોડ અકસ્માતના કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. પરંતુ ગ્રીસમાં ટ્રેનો વચ્ચે અકસ્માત થયો છે જેમાં 26 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 85 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મંગળવારે મોડી રાત્રે અકસ્માત થયો છે જેમાં પેસેન્જર ટ્રેન અને માલ ગાડી વચ્ચે ટક્કર થઈ છે. અકસ્માત સેંટ્રલ ગ્રીસના લારિસા શહેર નજીક બન્યો છે. પેસેન્જર ટ્રેન એથેસથી થેસાલોનિકી જઈ રહી હતી. જ્યારે માલ ગાડી થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. પેસેન્જર ટ્રેનમાં 350થી વધારે લોકો સવાર હતા જેમાંથી 250 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

हादसे के बाद ट्रेन में फंसे 250 लोगों को सुरक्षित बाहर निकाल लिया गया है।

तस्वीर में फायर ब्रिगेड के कर्मचारी स्पाइनल स्टेबलाइजिंग स्ट्रेचर ले जाते नजर आ रहे हैं।

અકસ્માત બાદ ટ્રેનમાં લાગી હતી આગ 

અકસ્માત થતા પેસેન્જર ટ્રેનના આગળના ડબ્બાઓ પાટા પરથી નીચે ઉતરી આવ્યા હતા જ્યારે બે ડબ્બાઓ નષ્ટ થઈ ગયા હતા. ટ્રેનો અથડાતા ટ્રેનમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટ્રેનનો આગળનો ભાગ  નષ્ટ થઈ ગયો હતો. આગ લાગવાને કારણે ચારેય તરફ ધૂમાડો ફેલાઈ ગયો હતો. જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તકલીફ પડી હતી. ટ્રેનમાં સવાર અનેક લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. આ અકસ્માત કોની ભૂલને કારણે સર્જાયો તે જાણી શકાયું નથી. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .