ભારત સૌથી ખરાબ ડ્રાઈવરોવાળો દુનિયાનો ચોથો દેશ, ઉબેર ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-02-22 19:03:18

ભારતના રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને 2022ના આંકડા મુજબ દેશમાં લગભગ 14 થી 15 કરોડ કાર છે. દેશમાં કારની વધતી સંખ્યા સાથે, માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે જેમાં મોટાભાગના અકસ્માતો ખરાબ ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થાય છે. પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત વિશ્વમાં સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશની યાદીમાં ભારત ચોથા નંબર પર છે.


ઉબેરના ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં ખુલાસો


ઉબેરે તેનો વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે જેને કંપનીએ રાઇડિંગ વિથ ઇન્ટરસિટી નામ આપ્યું છે. આ વાર્ષિક ટ્રાવેલ ઈન્ડેક્સ રિપોર્ટમાં, સંસ્થા વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ડ્રાઈવરોની યાદી તૈયાર કરવા માટે 50થી વધુ દેશોમાં ડ્રાઈવરોનો અભ્યાસ કરે છે.


આ માપદંડોના આધારે તૈયાર થયો રિપોર્ટ


ઉબેર વાર્ષિક ટ્રાવેસ ઈન્ડેક્સમાં જે બાબતો પર ફોકસ રાખીને એનાલિસીસ કરવામાં આવ્યું તેને ટ્રાફિક જાગૃતી અને ટ્રાફિક સંબંધીત ચિંતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ડ્રાઇવિંગ ક્ષમતા માપવી મુશ્કેલ છે. આ ઉપરાંત, રસ્તાની સ્થિતિ, ગતિ મર્યાદા, લીગ બ્લડ આલ્કોહોલનું લેવલ જેવી અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.


થાઈલેન્ડના ડ્રાઈવરો સૌથી ખરાબ


ઉબેર વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ અનુસાર, થાઇલેન્ડ વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવરો અને વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા દેશોની યાદીમાં ટોચ પર છે. સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોમાં પેરુ બીજા નંબરે અને લેબનોન ત્રીજા નંબરે છે.


ભારતને ચોથું સ્થાન મળ્યું  


ભારતને 2.34ના સ્કોર સાથે સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથું સ્થાન મળ્યું છે. ભારતને મળેલા આ રેન્કિંગનું કારણ અહીંના નિયમો અને અમલીકરણની શિથિલતા મુખ્ય કારણ છે.


જાપાનના ડ્રાઇવરો સૌથી શ્રેષ્ઠ 


સર્વશ્રેષ્ઠ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં જાપાન 4.57ના સ્કોર સાથે ટોચ પર છે. બીજા નંબરે નેધરલેન્ડ, ત્રીજા નંબરે નોર્વે, ચોથા નંબરે એસ્ટોનિયા અને પાંચમા નંબરે સ્વીડન છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.