ભારત સૌથી ખરાબ ડ્રાઈવરોવાળો દુનિયાનો ચોથો દેશ, ઉબેર ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-02-22 19:03:18

ભારતના રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને 2022ના આંકડા મુજબ દેશમાં લગભગ 14 થી 15 કરોડ કાર છે. દેશમાં કારની વધતી સંખ્યા સાથે, માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે જેમાં મોટાભાગના અકસ્માતો ખરાબ ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થાય છે. પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત વિશ્વમાં સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશની યાદીમાં ભારત ચોથા નંબર પર છે.


ઉબેરના ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં ખુલાસો


ઉબેરે તેનો વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે જેને કંપનીએ રાઇડિંગ વિથ ઇન્ટરસિટી નામ આપ્યું છે. આ વાર્ષિક ટ્રાવેલ ઈન્ડેક્સ રિપોર્ટમાં, સંસ્થા વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ડ્રાઈવરોની યાદી તૈયાર કરવા માટે 50થી વધુ દેશોમાં ડ્રાઈવરોનો અભ્યાસ કરે છે.


આ માપદંડોના આધારે તૈયાર થયો રિપોર્ટ


ઉબેર વાર્ષિક ટ્રાવેસ ઈન્ડેક્સમાં જે બાબતો પર ફોકસ રાખીને એનાલિસીસ કરવામાં આવ્યું તેને ટ્રાફિક જાગૃતી અને ટ્રાફિક સંબંધીત ચિંતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ડ્રાઇવિંગ ક્ષમતા માપવી મુશ્કેલ છે. આ ઉપરાંત, રસ્તાની સ્થિતિ, ગતિ મર્યાદા, લીગ બ્લડ આલ્કોહોલનું લેવલ જેવી અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.


થાઈલેન્ડના ડ્રાઈવરો સૌથી ખરાબ


ઉબેર વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ અનુસાર, થાઇલેન્ડ વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવરો અને વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા દેશોની યાદીમાં ટોચ પર છે. સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોમાં પેરુ બીજા નંબરે અને લેબનોન ત્રીજા નંબરે છે.


ભારતને ચોથું સ્થાન મળ્યું  


ભારતને 2.34ના સ્કોર સાથે સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથું સ્થાન મળ્યું છે. ભારતને મળેલા આ રેન્કિંગનું કારણ અહીંના નિયમો અને અમલીકરણની શિથિલતા મુખ્ય કારણ છે.


જાપાનના ડ્રાઇવરો સૌથી શ્રેષ્ઠ 


સર્વશ્રેષ્ઠ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં જાપાન 4.57ના સ્કોર સાથે ટોચ પર છે. બીજા નંબરે નેધરલેન્ડ, ત્રીજા નંબરે નોર્વે, ચોથા નંબરે એસ્ટોનિયા અને પાંચમા નંબરે સ્વીડન છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.