ભારત સૌથી ખરાબ ડ્રાઈવરોવાળો દુનિયાનો ચોથો દેશ, ઉબેર ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-02-22 19:03:18

ભારતના રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે અને 2022ના આંકડા મુજબ દેશમાં લગભગ 14 થી 15 કરોડ કાર છે. દેશમાં કારની વધતી સંખ્યા સાથે, માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે જેમાં મોટાભાગના અકસ્માતો ખરાબ ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ ન પહેરવાને કારણે થાય છે. પરંતુ તાજેતરના રિપોર્ટ મુજબ, ભારત વિશ્વમાં સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશની યાદીમાં ભારત ચોથા નંબર પર છે.


ઉબેરના ટ્રાવેલ ઇન્ડેક્સ રિપોર્ટમાં ખુલાસો


ઉબેરે તેનો વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે જેને કંપનીએ રાઇડિંગ વિથ ઇન્ટરસિટી નામ આપ્યું છે. આ વાર્ષિક ટ્રાવેલ ઈન્ડેક્સ રિપોર્ટમાં, સંસ્થા વિશ્વના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ડ્રાઈવરોની યાદી તૈયાર કરવા માટે 50થી વધુ દેશોમાં ડ્રાઈવરોનો અભ્યાસ કરે છે.


આ માપદંડોના આધારે તૈયાર થયો રિપોર્ટ


ઉબેર વાર્ષિક ટ્રાવેસ ઈન્ડેક્સમાં જે બાબતો પર ફોકસ રાખીને એનાલિસીસ કરવામાં આવ્યું તેને ટ્રાફિક જાગૃતી અને ટ્રાફિક સંબંધીત ચિંતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ડ્રાઇવિંગ ક્ષમતા માપવી મુશ્કેલ છે. આ ઉપરાંત, રસ્તાની સ્થિતિ, ગતિ મર્યાદા, લીગ બ્લડ આલ્કોહોલનું લેવલ જેવી અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.


થાઈલેન્ડના ડ્રાઈવરો સૌથી ખરાબ


ઉબેર વાર્ષિક ટ્રાવેલ ઇન્ડેક્સ અનુસાર, થાઇલેન્ડ વિશ્વના સૌથી ખરાબ ડ્રાઇવરો અને વિશ્વમાં સૌથી ખરાબ ટ્રાફિક ધરાવતા દેશોની યાદીમાં ટોચ પર છે. સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોમાં પેરુ બીજા નંબરે અને લેબનોન ત્રીજા નંબરે છે.


ભારતને ચોથું સ્થાન મળ્યું  


ભારતને 2.34ના સ્કોર સાથે સૌથી ખરાબ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથું સ્થાન મળ્યું છે. ભારતને મળેલા આ રેન્કિંગનું કારણ અહીંના નિયમો અને અમલીકરણની શિથિલતા મુખ્ય કારણ છે.


જાપાનના ડ્રાઇવરો સૌથી શ્રેષ્ઠ 


સર્વશ્રેષ્ઠ ડ્રાઈવરો ધરાવતા દેશોની યાદીમાં જાપાન 4.57ના સ્કોર સાથે ટોચ પર છે. બીજા નંબરે નેધરલેન્ડ, ત્રીજા નંબરે નોર્વે, ચોથા નંબરે એસ્ટોનિયા અને પાંચમા નંબરે સ્વીડન છે.



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.