યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોદી સરકારને AAPનું મળ્યું સમર્થન, જાણો શું કહ્યું પાર્ટીના નેતા સંદીપ પાઠકે


  • Published By :
  • Published Date : 2023-06-28 16:38:09

દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. જો કે વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આને લઈ સમર્થન વ્યક્ત કર્યુ છે. આપ નેતા સંદીપ પાઠકે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાની સાથે એ સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પાર્ટીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક કરી સર્વ સંમતી બનાવવી જોઈએ. 


ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ


આપ નેતા સંદીપ પાઠકે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છિએ. બંધારણની કલમ 44 પણ તેનું સમર્થન કરે છે કે દેશમાં યૂસીસી લાગુ થવી જોઈએ. જો કે આ એક એવો મુદ્દો છે કે જે તમામ ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ.  


સત્તાવાદી વલણ યોગ્ય નથી 


AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે  વધુમાં કહ્યું કે તમામ ધર્મ, સંપ્રદાય અને રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા થવી જોઈએ. કેટલાક મુદ્દા એવા હોય છે કે તેને આગામી સમયમાં પલટી શકાય નહીં. કેટલાક એવા મુદ્દા પણ હોય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવા મુળભુત મુદ્દાઓ પર સત્તાવાદી વલણ યોગ્ય નથી, વાઈડર કન્સલ્ટેશનની જરૂર છે. તમામ લોકો સાથે ચર્ચા કરીને સર્વ સંમતી બનાવવી જોઈએ તેવું મારૂં માનવું છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.