યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોદી સરકારને AAPનું મળ્યું સમર્થન, જાણો શું કહ્યું પાર્ટીના નેતા સંદીપ પાઠકે


  • Published By :
  • Published Date : 2023-06-28 16:38:09

દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. જો કે વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આને લઈ સમર્થન વ્યક્ત કર્યુ છે. આપ નેતા સંદીપ પાઠકે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાની સાથે એ સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પાર્ટીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક કરી સર્વ સંમતી બનાવવી જોઈએ. 


ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ


આપ નેતા સંદીપ પાઠકે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છિએ. બંધારણની કલમ 44 પણ તેનું સમર્થન કરે છે કે દેશમાં યૂસીસી લાગુ થવી જોઈએ. જો કે આ એક એવો મુદ્દો છે કે જે તમામ ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ.  


સત્તાવાદી વલણ યોગ્ય નથી 


AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે  વધુમાં કહ્યું કે તમામ ધર્મ, સંપ્રદાય અને રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા થવી જોઈએ. કેટલાક મુદ્દા એવા હોય છે કે તેને આગામી સમયમાં પલટી શકાય નહીં. કેટલાક એવા મુદ્દા પણ હોય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવા મુળભુત મુદ્દાઓ પર સત્તાવાદી વલણ યોગ્ય નથી, વાઈડર કન્સલ્ટેશનની જરૂર છે. તમામ લોકો સાથે ચર્ચા કરીને સર્વ સંમતી બનાવવી જોઈએ તેવું મારૂં માનવું છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.