યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોદી સરકારને AAPનું મળ્યું સમર્થન, જાણો શું કહ્યું પાર્ટીના નેતા સંદીપ પાઠકે


  • Published By :
  • Published Date : 2023-06-28 16:38:09

દેશમાં હાલ યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી રહી છે. જો કે વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતાનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આને લઈ સમર્થન વ્યક્ત કર્યુ છે. આપ નેતા સંદીપ પાઠકે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન આપવાની સાથે એ સલાહ પણ આપી છે કે તમામ ધર્મો, સંપ્રદાયો અને રાજકીય પાર્ટીઓ સાથે ઉચ્ચ સ્તરે બેઠક કરી સર્વ સંમતી બનાવવી જોઈએ. 


ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ


આપ નેતા સંદીપ પાઠકે મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છિએ. બંધારણની કલમ 44 પણ તેનું સમર્થન કરે છે કે દેશમાં યૂસીસી લાગુ થવી જોઈએ. જો કે આ એક એવો મુદ્દો છે કે જે તમામ ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ઉચ્ચ સ્તરે ચર્ચા થવી જોઈએ.  


સત્તાવાદી વલણ યોગ્ય નથી 


AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે  વધુમાં કહ્યું કે તમામ ધર્મ, સંપ્રદાય અને રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા થવી જોઈએ. કેટલાક મુદ્દા એવા હોય છે કે તેને આગામી સમયમાં પલટી શકાય નહીં. કેટલાક એવા મુદ્દા પણ હોય છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આવા મુળભુત મુદ્દાઓ પર સત્તાવાદી વલણ યોગ્ય નથી, વાઈડર કન્સલ્ટેશનની જરૂર છે. તમામ લોકો સાથે ચર્ચા કરીને સર્વ સંમતી બનાવવી જોઈએ તેવું મારૂં માનવું છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.