ચૂંટણી ચિહ્ન મામલે ઉદ્ધવ-શિંદે આમને સામને, ઉદ્ધવ પાસે દસ્તાવેજ રજૂ કરવા કાલે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:35:21

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. એકનાથ શિંદેના ગ્રુપે અંધેરીની વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ધનુષ અને તીર પર દાવો કર્યો છે. સમગ્ર મામલે શિંદે જૂથે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને આવેદનમાં ધનુષ અને બાણની ફાળવણીની માગ કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને સમગ્ર મામલે પોતાનું પક્ષ રાખવા માટે કાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને જણાવ્યું છે કે જો કાલ બપોર સુધી તમારી પાસે કોઈ જવાબ નહીં હોય તો ચૂંટણી પંચ આ મામલે ઉચીત કાર્યવાહી કરશે. 


ઉદ્ધવ ગ્રુપે પોતાના દસ્તાવેજ આપવામાં અસમર્થ

અગાઉ ચૂંટણી પંચે બંને પક્ષને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથે દસ્તાવેજ જમા નહોતા કરાવ્યા. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકનાથ શિંદેની માગ છે કે પાર્ટીના ચૂંટણીના ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. અંધેરી પૂર્વ વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે નામાંકન કરવાનું છે જેથી ઉદ્ધવ ગ્રુપને ઈમેઈલ મારફતે જાણ કરવામાં આવી છે. 




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.