ચૂંટણી ચિહ્ન મામલે ઉદ્ધવ-શિંદે આમને સામને, ઉદ્ધવ પાસે દસ્તાવેજ રજૂ કરવા કાલે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:35:21

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. એકનાથ શિંદેના ગ્રુપે અંધેરીની વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ધનુષ અને તીર પર દાવો કર્યો છે. સમગ્ર મામલે શિંદે જૂથે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને આવેદનમાં ધનુષ અને બાણની ફાળવણીની માગ કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને સમગ્ર મામલે પોતાનું પક્ષ રાખવા માટે કાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને જણાવ્યું છે કે જો કાલ બપોર સુધી તમારી પાસે કોઈ જવાબ નહીં હોય તો ચૂંટણી પંચ આ મામલે ઉચીત કાર્યવાહી કરશે. 


ઉદ્ધવ ગ્રુપે પોતાના દસ્તાવેજ આપવામાં અસમર્થ

અગાઉ ચૂંટણી પંચે બંને પક્ષને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથે દસ્તાવેજ જમા નહોતા કરાવ્યા. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકનાથ શિંદેની માગ છે કે પાર્ટીના ચૂંટણીના ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. અંધેરી પૂર્વ વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે નામાંકન કરવાનું છે જેથી ઉદ્ધવ ગ્રુપને ઈમેઈલ મારફતે જાણ કરવામાં આવી છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે