ચૂંટણી ચિહ્ન મામલે ઉદ્ધવ-શિંદે આમને સામને, ઉદ્ધવ પાસે દસ્તાવેજ રજૂ કરવા કાલે છેલ્લો દિવસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:35:21

મહારાષ્ટ્રમાં શિવસેના પર અધિકાર મામલે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે આમને સામને આવી ગયા છે. એકનાથ શિંદેના ગ્રુપે અંધેરીની વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા શિવસેનાના ધનુષ અને તીર પર દાવો કર્યો છે. સમગ્ર મામલે શિંદે જૂથે આજે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી. એકનાથ શિંદેએ ચૂંટણી પંચને આવેદનમાં ધનુષ અને બાણની ફાળવણીની માગ કરી છે. ત્યારે ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને સમગ્ર મામલે પોતાનું પક્ષ રાખવા માટે કાલે બપોરે બે વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપને જણાવ્યું છે કે જો કાલ બપોર સુધી તમારી પાસે કોઈ જવાબ નહીં હોય તો ચૂંટણી પંચ આ મામલે ઉચીત કાર્યવાહી કરશે. 


ઉદ્ધવ ગ્રુપે પોતાના દસ્તાવેજ આપવામાં અસમર્થ

અગાઉ ચૂંટણી પંચે બંને પક્ષને 7 ઓક્ટોબર સુધીમાં દસ્તાવેજ જમા કરાવવા માટે કહ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથે દસ્તાવેજ જમા નહોતા કરાવ્યા. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરેને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકનાથ શિંદેની માગ છે કે પાર્ટીના ચૂંટણીના ચિહ્ન શિંદે જૂથને ફાળવવામાં આવે. અંધેરી પૂર્વ વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણી માટે નામાંકન કરવાનું છે જેથી ઉદ્ધવ ગ્રુપને ઈમેઈલ મારફતે જાણ કરવામાં આવી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.