બ્રિટનના પ્રથમ હિંદુ PM ઋષિ સુનક ગુરૂવારે ઉપવાસ શા માટે રાખે છે?, સાસુ સુધા મૂર્તિ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-17 21:12:15

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હંમેશા પોતાને ગૌરવપુર્વક હિંદુ ગણાવ્યા છે. તેઓ બ્રિટનના પહેલા પીએમ છે જે હિન્દુ છે. વર્ષ 2015માં જ્યારે તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. આ પછી જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. હવે તેમના વિશે એક નવી વાત તેમના સાસુ સુધા મૂર્તિએ જાહેર કરી છે કે તેઓ દર ગુરુવારે ઉપવાસ શા માટે રાખે છે? સુધા મૂર્તિનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના જમાઈ બ્રિટિશ પીએમ સુનકે ગુરુવારથી ઉપવાસ શરૂ કર્યા છે. સુનક સુધા મૂર્તિની પુત્રી અક્ષતાનો પતિ છે.


સુધા મૂર્તિએ શું કહ્યું?


સુધા મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે સુનકના ગુરુવારના ઉપવાસનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું, મારા ઘરે દરેક કાર્યક્રમ ગુરુવારે થાય છે. ઈન્ફોસિસ પણ ગુરુવારે જ લોન્ચ કરવામાં આવી હતી. મારા જમાઈ જે પંજાબી છે, જ્યારે તેમને ખબર પડી કે અમે રાઘવેન્દ્ર સ્વામીના ભક્ત છીએ, તેમણે પણ હવે ગુરુવારના ઉપવાસ શરૂ કર્યા છે. નારાયણ મૂર્તિ પણ 11 પ્રદક્ષિણા અને 88 નમસ્કાર કર્યા પછી જ કોફી પીવે છે. આ વિડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.