બ્રિટનના પ્રથમ હિંદુ PM ઋષિ સુનક ગુરૂવારે ઉપવાસ શા માટે રાખે છે?, સાસુ સુધા મૂર્તિ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-17 21:12:15

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હંમેશા પોતાને ગૌરવપુર્વક હિંદુ ગણાવ્યા છે. તેઓ બ્રિટનના પહેલા પીએમ છે જે હિન્દુ છે. વર્ષ 2015માં જ્યારે તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. આ પછી જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. હવે તેમના વિશે એક નવી વાત તેમના સાસુ સુધા મૂર્તિએ જાહેર કરી છે કે તેઓ દર ગુરુવારે ઉપવાસ શા માટે રાખે છે? સુધા મૂર્તિનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના જમાઈ બ્રિટિશ પીએમ સુનકે ગુરુવારથી ઉપવાસ શરૂ કર્યા છે. સુનક સુધા મૂર્તિની પુત્રી અક્ષતાનો પતિ છે.


સુધા મૂર્તિએ શું કહ્યું?


સુધા મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે સુનકના ગુરુવારના ઉપવાસનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું, મારા ઘરે દરેક કાર્યક્રમ ગુરુવારે થાય છે. ઈન્ફોસિસ પણ ગુરુવારે જ લોન્ચ કરવામાં આવી હતી. મારા જમાઈ જે પંજાબી છે, જ્યારે તેમને ખબર પડી કે અમે રાઘવેન્દ્ર સ્વામીના ભક્ત છીએ, તેમણે પણ હવે ગુરુવારના ઉપવાસ શરૂ કર્યા છે. નારાયણ મૂર્તિ પણ 11 પ્રદક્ષિણા અને 88 નમસ્કાર કર્યા પછી જ કોફી પીવે છે. આ વિડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.