બ્રિટનના પ્રથમ હિંદુ PM ઋષિ સુનક ગુરૂવારે ઉપવાસ શા માટે રાખે છે?, સાસુ સુધા મૂર્તિ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-04-17 21:12:15

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હંમેશા પોતાને ગૌરવપુર્વક હિંદુ ગણાવ્યા છે. તેઓ બ્રિટનના પહેલા પીએમ છે જે હિન્દુ છે. વર્ષ 2015માં જ્યારે તેઓ પહેલીવાર સાંસદ બન્યા હતા. આ પછી જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારે તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. હવે તેમના વિશે એક નવી વાત તેમના સાસુ સુધા મૂર્તિએ જાહેર કરી છે કે તેઓ દર ગુરુવારે ઉપવાસ શા માટે રાખે છે? સુધા મૂર્તિનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે તેમના જમાઈ બ્રિટિશ પીએમ સુનકે ગુરુવારથી ઉપવાસ શરૂ કર્યા છે. સુનક સુધા મૂર્તિની પુત્રી અક્ષતાનો પતિ છે.


સુધા મૂર્તિએ શું કહ્યું?


સુધા મૂર્તિના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેમણે સુનકના ગુરુવારના ઉપવાસનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું, મારા ઘરે દરેક કાર્યક્રમ ગુરુવારે થાય છે. ઈન્ફોસિસ પણ ગુરુવારે જ લોન્ચ કરવામાં આવી હતી. મારા જમાઈ જે પંજાબી છે, જ્યારે તેમને ખબર પડી કે અમે રાઘવેન્દ્ર સ્વામીના ભક્ત છીએ, તેમણે પણ હવે ગુરુવારના ઉપવાસ શરૂ કર્યા છે. નારાયણ મૂર્તિ પણ 11 પ્રદક્ષિણા અને 88 નમસ્કાર કર્યા પછી જ કોફી પીવે છે. આ વિડિયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી. પરંતુ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.