યુક્રેનના ડેપ્યુટી મિનિસ્ટરે રશિયાની કેદમાંથી મુક્ત થઈ ઘરે પરત ફરેલી સૈનિક માતાનો હૃદય સ્પર્શી વિડીયો કર્યો શેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:19:43

યુક્રેનના વિદેશી બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે શુક્રવારે એઝોવસ્ટલ ડિફેન્ડરનો ઘરે પરત ફરતા હૃદયસ્પર્શી વિડિઓ શેર કર્યો. મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.

Ukrain War

ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે રશિયાની કેદમાંથી 5 મહિના બાદ ઘરે પરત ફરેલા એઝોવસ્ટલ ડિફેન્ડરનો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. ઝેપ્પરે એક વિડીયો ક્લિપ રજૂ કરી છે, જેમાં યુક્રેનના ફાઈટર ઝોરિયાના રેપેટ્સ્કા અને તેના બાળકોની હૃદય દ્રાવક ક્ષણો રજૂ કરવામાં આવી છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


પ્રધાન એમિન ઝેપ્પરે ટ્વીટમાં કહ્યું કે જુઓ કેવી રીતે એઝોવસ્ટલ ડિફેન્ડર ઝોરિયાના રેપેટ્સ્કા રશિયાની કેદમાં 5 મહિના રહ્યા પછી તેના પરિવારને મળે છે. તેની પુત્રીઓ સાથે સહઃહર્ષ આંખોમાં આસુ સાથે પુનઃમિલન થાય છે, બાળકો તેની માતાની ખૂબ રાહ જોઈ રહી હતી. વિડિઓમાં તે જોઈ શકાય છે કે રેપેટ્સકાની પુત્રી તેમની માતાની રાહ જોઈ રહી હતી, જ્યારે નાની દીકરી એક ફૂલનો ગુલદસ્તો (બૂકે) પકડી રહી હતી. માતાના પ્રવેશ કરતાની સાથે જ દીકરીઓએ અશ્રુભીની આંખો સાથે તેમની માતાને ગળે લગાવવા દોડે છે.


મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.


આ ઉપરાંત કિવના અધિકારીઓએ અગાઉ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સના કેદીઓ માટે રશિયન POWsના આદાન-પ્રદાન થઈ શકે છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલના સભ્યોએ યુક્રેનિયન વિદેશ મંત્રાલયને આક્રમણકારી રશિયન દળો દ્વારા પકડાયેલા યુક્રેનિયન ડિફેન્ડર્સને મુક્ત કરવા તમામ ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

દરમિયાન તાજેતરમાં જ યુક્રેને અન્ય કેદીઓના આદાન-પ્રદાનને સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું, અને યુક્રેનના 20 સૈનિકોને રશિયન કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.