યુક્રેનના ડેપ્યુટી મિનિસ્ટરે રશિયાની કેદમાંથી મુક્ત થઈ ઘરે પરત ફરેલી સૈનિક માતાનો હૃદય સ્પર્શી વિડીયો કર્યો શેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:19:43

યુક્રેનના વિદેશી બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે શુક્રવારે એઝોવસ્ટલ ડિફેન્ડરનો ઘરે પરત ફરતા હૃદયસ્પર્શી વિડિઓ શેર કર્યો. મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.

Ukrain War

ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે રશિયાની કેદમાંથી 5 મહિના બાદ ઘરે પરત ફરેલા એઝોવસ્ટલ ડિફેન્ડરનો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. ઝેપ્પરે એક વિડીયો ક્લિપ રજૂ કરી છે, જેમાં યુક્રેનના ફાઈટર ઝોરિયાના રેપેટ્સ્કા અને તેના બાળકોની હૃદય દ્રાવક ક્ષણો રજૂ કરવામાં આવી છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


પ્રધાન એમિન ઝેપ્પરે ટ્વીટમાં કહ્યું કે જુઓ કેવી રીતે એઝોવસ્ટલ ડિફેન્ડર ઝોરિયાના રેપેટ્સ્કા રશિયાની કેદમાં 5 મહિના રહ્યા પછી તેના પરિવારને મળે છે. તેની પુત્રીઓ સાથે સહઃહર્ષ આંખોમાં આસુ સાથે પુનઃમિલન થાય છે, બાળકો તેની માતાની ખૂબ રાહ જોઈ રહી હતી. વિડિઓમાં તે જોઈ શકાય છે કે રેપેટ્સકાની પુત્રી તેમની માતાની રાહ જોઈ રહી હતી, જ્યારે નાની દીકરી એક ફૂલનો ગુલદસ્તો (બૂકે) પકડી રહી હતી. માતાના પ્રવેશ કરતાની સાથે જ દીકરીઓએ અશ્રુભીની આંખો સાથે તેમની માતાને ગળે લગાવવા દોડે છે.


મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.


આ ઉપરાંત કિવના અધિકારીઓએ અગાઉ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સના કેદીઓ માટે રશિયન POWsના આદાન-પ્રદાન થઈ શકે છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલના સભ્યોએ યુક્રેનિયન વિદેશ મંત્રાલયને આક્રમણકારી રશિયન દળો દ્વારા પકડાયેલા યુક્રેનિયન ડિફેન્ડર્સને મુક્ત કરવા તમામ ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

દરમિયાન તાજેતરમાં જ યુક્રેને અન્ય કેદીઓના આદાન-પ્રદાનને સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું, અને યુક્રેનના 20 સૈનિકોને રશિયન કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?