યુક્રેનના ડેપ્યુટી મિનિસ્ટરે રશિયાની કેદમાંથી મુક્ત થઈ ઘરે પરત ફરેલી સૈનિક માતાનો હૃદય સ્પર્શી વિડીયો કર્યો શેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:19:43

યુક્રેનના વિદેશી બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે શુક્રવારે એઝોવસ્ટલ ડિફેન્ડરનો ઘરે પરત ફરતા હૃદયસ્પર્શી વિડિઓ શેર કર્યો. મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.

Ukrain War

ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે રશિયાની કેદમાંથી 5 મહિના બાદ ઘરે પરત ફરેલા એઝોવસ્ટલ ડિફેન્ડરનો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. ઝેપ્પરે એક વિડીયો ક્લિપ રજૂ કરી છે, જેમાં યુક્રેનના ફાઈટર ઝોરિયાના રેપેટ્સ્કા અને તેના બાળકોની હૃદય દ્રાવક ક્ષણો રજૂ કરવામાં આવી છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


પ્રધાન એમિન ઝેપ્પરે ટ્વીટમાં કહ્યું કે જુઓ કેવી રીતે એઝોવસ્ટલ ડિફેન્ડર ઝોરિયાના રેપેટ્સ્કા રશિયાની કેદમાં 5 મહિના રહ્યા પછી તેના પરિવારને મળે છે. તેની પુત્રીઓ સાથે સહઃહર્ષ આંખોમાં આસુ સાથે પુનઃમિલન થાય છે, બાળકો તેની માતાની ખૂબ રાહ જોઈ રહી હતી. વિડિઓમાં તે જોઈ શકાય છે કે રેપેટ્સકાની પુત્રી તેમની માતાની રાહ જોઈ રહી હતી, જ્યારે નાની દીકરી એક ફૂલનો ગુલદસ્તો (બૂકે) પકડી રહી હતી. માતાના પ્રવેશ કરતાની સાથે જ દીકરીઓએ અશ્રુભીની આંખો સાથે તેમની માતાને ગળે લગાવવા દોડે છે.


મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.


આ ઉપરાંત કિવના અધિકારીઓએ અગાઉ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સના કેદીઓ માટે રશિયન POWsના આદાન-પ્રદાન થઈ શકે છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલના સભ્યોએ યુક્રેનિયન વિદેશ મંત્રાલયને આક્રમણકારી રશિયન દળો દ્વારા પકડાયેલા યુક્રેનિયન ડિફેન્ડર્સને મુક્ત કરવા તમામ ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

દરમિયાન તાજેતરમાં જ યુક્રેને અન્ય કેદીઓના આદાન-પ્રદાનને સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું, અને યુક્રેનના 20 સૈનિકોને રશિયન કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .