યુક્રેનના ડેપ્યુટી મિનિસ્ટરે રશિયાની કેદમાંથી મુક્ત થઈ ઘરે પરત ફરેલી સૈનિક માતાનો હૃદય સ્પર્શી વિડીયો કર્યો શેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:19:43

યુક્રેનના વિદેશી બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે શુક્રવારે એઝોવસ્ટલ ડિફેન્ડરનો ઘરે પરત ફરતા હૃદયસ્પર્શી વિડિઓ શેર કર્યો. મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.

Ukrain War

ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના વિદેશ બાબતોના પ્રથમ નાયબ પ્રધાન એમિન ઝેપ્પરે રશિયાની કેદમાંથી 5 મહિના બાદ ઘરે પરત ફરેલા એઝોવસ્ટલ ડિફેન્ડરનો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. ઝેપ્પરે એક વિડીયો ક્લિપ રજૂ કરી છે, જેમાં યુક્રેનના ફાઈટર ઝોરિયાના રેપેટ્સ્કા અને તેના બાળકોની હૃદય દ્રાવક ક્ષણો રજૂ કરવામાં આવી છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


પ્રધાન એમિન ઝેપ્પરે ટ્વીટમાં કહ્યું કે જુઓ કેવી રીતે એઝોવસ્ટલ ડિફેન્ડર ઝોરિયાના રેપેટ્સ્કા રશિયાની કેદમાં 5 મહિના રહ્યા પછી તેના પરિવારને મળે છે. તેની પુત્રીઓ સાથે સહઃહર્ષ આંખોમાં આસુ સાથે પુનઃમિલન થાય છે, બાળકો તેની માતાની ખૂબ રાહ જોઈ રહી હતી. વિડિઓમાં તે જોઈ શકાય છે કે રેપેટ્સકાની પુત્રી તેમની માતાની રાહ જોઈ રહી હતી, જ્યારે નાની દીકરી એક ફૂલનો ગુલદસ્તો (બૂકે) પકડી રહી હતી. માતાના પ્રવેશ કરતાની સાથે જ દીકરીઓએ અશ્રુભીની આંખો સાથે તેમની માતાને ગળે લગાવવા દોડે છે.


મે મહિનામાં રશિયન સૈન્યએ યુક્રેનિયના સૈનિકો સહિત મહિલાઓને યુદ્ધ કેદીઓ તરીકે કબજમાં લીધેલા, કારણ કે તેમને એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સમાં સામનો કરતાં તેમને દૂર કરવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ પ્રમાણે POWsને ક્રેમલિન-નિયંત્રિત પ્રદેશમાં જૂના સુધારક શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા.


આ ઉપરાંત કિવના અધિકારીઓએ અગાઉ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે એઝોવસ્ટલ સ્ટીલવર્ક્સના કેદીઓ માટે રશિયન POWsના આદાન-પ્રદાન થઈ શકે છે. મેરીયુપોલ સિટી કાઉન્સિલના સભ્યોએ યુક્રેનિયન વિદેશ મંત્રાલયને આક્રમણકારી રશિયન દળો દ્વારા પકડાયેલા યુક્રેનિયન ડિફેન્ડર્સને મુક્ત કરવા તમામ ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

દરમિયાન તાજેતરમાં જ યુક્રેને અન્ય કેદીઓના આદાન-પ્રદાનને સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું, અને યુક્રેનના 20 સૈનિકોને રશિયન કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.