"ઉમેશની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હતું, શાઇસ્તા પણ સામેલ હતી": અતીક અહેમદની કબૂલાત


  • Published By :
  • Published Date : 2023-04-14 20:05:52

ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પોતાના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરથી માનસિક રીતે સંપુર્ણપણે તુટી ગયો છે. અતીકે કબૂલ કરી લીધું છે કે તેણે જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસના રિમાન્ડ કોપી મુજબ આરોપી અતીક અહેમદે 12 એપ્રીલ 2023ના રોજ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં ઉમેશ પાલ હત્યાનું સંપુર્ણ ષડયંત્ર બેસીને રચ્યું હતું. ગેંગસ્ટરે તે પણ કબુલ્યું કે તેના માટે તેમની પત્ની શાઈસ્તાએ મોબાઈલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી હતી.


શાઇસ્તાએ મદદ કરી હતી


અતીક અહેમદે કહ્યું, "મારી પત્ની મને જેલમાં મળવા આવતી હતી. મેં તેને સમજાવ્યું કે અન્ય વ્યક્તિના નામે બીજું  સિમ મેળવી લો. નવો મોબાઈલ લો. મારા માટે એક મોબાઈલ અને નવું સિમ કાર્ડ મોકલી દે જે. એક મોબાઈલ અને એક સિમ અશરફને પણ મોકલી આપજે." મેં શાઇસ્તાને સાબરમતી જેલમાં મોબાઇલ કયા સરકારી અધિકારી મારફત મોકલવાનો છે તેનું નામ પણ શાઇસ્તાને જણાવ્યું હતું. "મેં શાહિસ્તાને તે પણ જણાવી દીધું હતું કે અશરફને માત્ર જાણ કરી દે જે, તો તે જેલમાં જ પોતાના માણસ મારફતે મોબાઈલ અને સિમ મંગાવી લેશે"


શસ્ત્રો ખરીદવાની અને હત્યાની જવાબદારી શાઇસ્તા પર હતી


અતીક અહેમદે વધુમાં કહ્યું કે, 'રાજુ પાલના સમયમાં પોલીસકર્મીઓને છોડવામાં આવ્યા હતા. આ વખતે પહેલા પોલીસકર્મીઓને મારવામાં આવશે. આ પછી, શાઇસ્તા સાથે તમામ છોકરાઓમાં સંકલન જાળવવા, હથિયારો ગોઠવવા અને છોકરાઓને આપવા અને હત્યા કર્યા પછી, હથિયારો પાછા લેવા અને તેમને સુરક્ષિત રાખવા અને છોકરાઓને ફરાર કરાવવા અંગે ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. મેં જ શાઇસ્તાને કહ્યું હતું કે શસ્ત્રો ક્યાંથી લાવવા અને કયા છોકરાઓને હત્યામાં સામેલ હશે. હત્યા બાદ છોકરાઓ હથિયાર ક્યાં પાછું રાખશે અને ત્યાંથી હથિયાર કાઢીને ફરીથી ક્યાં રાખશે. મેં તે જગ્યા શાઇસ્તાને પણ જણાવી હતી. અશરફને પણ એ જગ્યા વિશે ખબર હતી. હત્યા વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.