"ઉમેશની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હતું, શાઇસ્તા પણ સામેલ હતી": અતીક અહેમદની કબૂલાત


  • Published By :
  • Published Date : 2023-04-14 20:05:52

ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પોતાના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરથી માનસિક રીતે સંપુર્ણપણે તુટી ગયો છે. અતીકે કબૂલ કરી લીધું છે કે તેણે જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસના રિમાન્ડ કોપી મુજબ આરોપી અતીક અહેમદે 12 એપ્રીલ 2023ના રોજ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં ઉમેશ પાલ હત્યાનું સંપુર્ણ ષડયંત્ર બેસીને રચ્યું હતું. ગેંગસ્ટરે તે પણ કબુલ્યું કે તેના માટે તેમની પત્ની શાઈસ્તાએ મોબાઈલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી હતી.


શાઇસ્તાએ મદદ કરી હતી


અતીક અહેમદે કહ્યું, "મારી પત્ની મને જેલમાં મળવા આવતી હતી. મેં તેને સમજાવ્યું કે અન્ય વ્યક્તિના નામે બીજું  સિમ મેળવી લો. નવો મોબાઈલ લો. મારા માટે એક મોબાઈલ અને નવું સિમ કાર્ડ મોકલી દે જે. એક મોબાઈલ અને એક સિમ અશરફને પણ મોકલી આપજે." મેં શાઇસ્તાને સાબરમતી જેલમાં મોબાઇલ કયા સરકારી અધિકારી મારફત મોકલવાનો છે તેનું નામ પણ શાઇસ્તાને જણાવ્યું હતું. "મેં શાહિસ્તાને તે પણ જણાવી દીધું હતું કે અશરફને માત્ર જાણ કરી દે જે, તો તે જેલમાં જ પોતાના માણસ મારફતે મોબાઈલ અને સિમ મંગાવી લેશે"


શસ્ત્રો ખરીદવાની અને હત્યાની જવાબદારી શાઇસ્તા પર હતી


અતીક અહેમદે વધુમાં કહ્યું કે, 'રાજુ પાલના સમયમાં પોલીસકર્મીઓને છોડવામાં આવ્યા હતા. આ વખતે પહેલા પોલીસકર્મીઓને મારવામાં આવશે. આ પછી, શાઇસ્તા સાથે તમામ છોકરાઓમાં સંકલન જાળવવા, હથિયારો ગોઠવવા અને છોકરાઓને આપવા અને હત્યા કર્યા પછી, હથિયારો પાછા લેવા અને તેમને સુરક્ષિત રાખવા અને છોકરાઓને ફરાર કરાવવા અંગે ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. મેં જ શાઇસ્તાને કહ્યું હતું કે શસ્ત્રો ક્યાંથી લાવવા અને કયા છોકરાઓને હત્યામાં સામેલ હશે. હત્યા બાદ છોકરાઓ હથિયાર ક્યાં પાછું રાખશે અને ત્યાંથી હથિયાર કાઢીને ફરીથી ક્યાં રાખશે. મેં તે જગ્યા શાઇસ્તાને પણ જણાવી હતી. અશરફને પણ એ જગ્યા વિશે ખબર હતી. હત્યા વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.