"ઉમેશની હત્યાનું કાવતરું જેલમાં ઘડાયું હતું, શાઇસ્તા પણ સામેલ હતી": અતીક અહેમદની કબૂલાત


  • Published By :
  • Published Date : 2023-04-14 20:05:52

ઉમેશ પાલ હત્યાકાંડમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર અતીક અહેમદ પોતાના પુત્ર અસદ અહેમદના એન્કાઉન્ટરથી માનસિક રીતે સંપુર્ણપણે તુટી ગયો છે. અતીકે કબૂલ કરી લીધું છે કે તેણે જ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસના રિમાન્ડ કોપી મુજબ આરોપી અતીક અહેમદે 12 એપ્રીલ 2023ના રોજ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે મેં ઉમેશ પાલ હત્યાનું સંપુર્ણ ષડયંત્ર બેસીને રચ્યું હતું. ગેંગસ્ટરે તે પણ કબુલ્યું કે તેના માટે તેમની પત્ની શાઈસ્તાએ મોબાઈલ અને સિમકાર્ડની વ્યવસ્થા કરી હતી.


શાઇસ્તાએ મદદ કરી હતી


અતીક અહેમદે કહ્યું, "મારી પત્ની મને જેલમાં મળવા આવતી હતી. મેં તેને સમજાવ્યું કે અન્ય વ્યક્તિના નામે બીજું  સિમ મેળવી લો. નવો મોબાઈલ લો. મારા માટે એક મોબાઈલ અને નવું સિમ કાર્ડ મોકલી દે જે. એક મોબાઈલ અને એક સિમ અશરફને પણ મોકલી આપજે." મેં શાઇસ્તાને સાબરમતી જેલમાં મોબાઇલ કયા સરકારી અધિકારી મારફત મોકલવાનો છે તેનું નામ પણ શાઇસ્તાને જણાવ્યું હતું. "મેં શાહિસ્તાને તે પણ જણાવી દીધું હતું કે અશરફને માત્ર જાણ કરી દે જે, તો તે જેલમાં જ પોતાના માણસ મારફતે મોબાઈલ અને સિમ મંગાવી લેશે"


શસ્ત્રો ખરીદવાની અને હત્યાની જવાબદારી શાઇસ્તા પર હતી


અતીક અહેમદે વધુમાં કહ્યું કે, 'રાજુ પાલના સમયમાં પોલીસકર્મીઓને છોડવામાં આવ્યા હતા. આ વખતે પહેલા પોલીસકર્મીઓને મારવામાં આવશે. આ પછી, શાઇસ્તા સાથે તમામ છોકરાઓમાં સંકલન જાળવવા, હથિયારો ગોઠવવા અને છોકરાઓને આપવા અને હત્યા કર્યા પછી, હથિયારો પાછા લેવા અને તેમને સુરક્ષિત રાખવા અને છોકરાઓને ફરાર કરાવવા અંગે ઉંડાણપૂર્વક વાતચીત થઈ હતી. મેં જ શાઇસ્તાને કહ્યું હતું કે શસ્ત્રો ક્યાંથી લાવવા અને કયા છોકરાઓને હત્યામાં સામેલ હશે. હત્યા બાદ છોકરાઓ હથિયાર ક્યાં પાછું રાખશે અને ત્યાંથી હથિયાર કાઢીને ફરીથી ક્યાં રાખશે. મેં તે જગ્યા શાઇસ્તાને પણ જણાવી હતી. અશરફને પણ એ જગ્યા વિશે ખબર હતી. હત્યા વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી થશે તે પણ જણાવવામાં આવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.