લ્યો બોલો! દેશની બેંકોમાં જમા રૂ.35000 કરોડની રકમ છે નધણિયાત, SBI ખાતામાં સૌથી વધુ ડિપોઝિટ બિનવારસી


  • Published By :
  • Published Date : 2023-05-10 18:01:43

બેંકોમાં બિનવારસી પડેલી જંગી રકમને લઈને સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. FSDCની બેઠકમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલી રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંકોમાં આવી 35,000 રૂપિયાની દાવા વગરની રકમ જમા છે, જેના માટે કોઈ દાવેદાર આગળ આવ્યો નથી. દેશમાં 10.24 કરોડ લોકો એવા છે જેમના પૈસા સરકાર પાસે પડ્યા છે, તેઓ આ રકમ અંગે ભૂલી ગયા છે અને તે અંગે દાવો પણ નથી કર્યો.


નાણામંત્રીની બેઠકમાં લેવાયો આ નિર્ણય


નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની તાજેતરની બેઠકમાં નિયમનકારો(રેગ્યુલેટર્સે)એ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્સ્યોરન્સ વગેરેના રૂપમાં દાવો ન કરેલી રકમની પતાવટ માટે એક વિશેષ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.


કઈ બેંકના ખાતામાં કેટલી રકમ બિનવારસી


બિનવારસી રકમ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચ પર છે, SBIના ખાતામાં 8,086 કરોડની ડિપોઝીટ પડી છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક રૂ. 5,340 કરોડ, કેનેરા બેંક રૂ. 4,558 કરોડ, અને બેંક ઓફ બરોડાના ખાતામાં રૂ. 3,904 કરોડની રકમ જમા છે.


બિનવારસી રકમ કોને કહેવાય?


બેંકોમાં જમા કરાવેલી ડિપોઝીટ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે અને તેના પર કોઈ દાવો ન કરે તેવી રકમને બિનવારસી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે બેંકના ખાતાધારકનું મોત થઈ ગયું હોય કે પછી તેઓ વિદેશમાં સ્થાયી થયેલા લોકોની રકમના કોઈ દાવેદાર હોતા નથી. કેટલાક કેસમાં નોમિની કે કાયદેસરનો કોઈ વારસદાર ન હોવાથી પણ બેંકો પણ સાચા દાવેદારને શોધી શકતી નથી. આ કારણે અંતે દેશની તમામ બેંકોના ખાતામાં જમા 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમને આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંકો દ્વારા રિઝર્વ બેંક (RBI)ને સુપ્રત કરવામાં આવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.