લ્યો બોલો! દેશની બેંકોમાં જમા રૂ.35000 કરોડની રકમ છે નધણિયાત, SBI ખાતામાં સૌથી વધુ ડિપોઝિટ બિનવારસી


  • Published By :
  • Published Date : 2023-05-10 18:01:43

બેંકોમાં બિનવારસી પડેલી જંગી રકમને લઈને સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. FSDCની બેઠકમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલી રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંકોમાં આવી 35,000 રૂપિયાની દાવા વગરની રકમ જમા છે, જેના માટે કોઈ દાવેદાર આગળ આવ્યો નથી. દેશમાં 10.24 કરોડ લોકો એવા છે જેમના પૈસા સરકાર પાસે પડ્યા છે, તેઓ આ રકમ અંગે ભૂલી ગયા છે અને તે અંગે દાવો પણ નથી કર્યો.


નાણામંત્રીની બેઠકમાં લેવાયો આ નિર્ણય


નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની તાજેતરની બેઠકમાં નિયમનકારો(રેગ્યુલેટર્સે)એ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્સ્યોરન્સ વગેરેના રૂપમાં દાવો ન કરેલી રકમની પતાવટ માટે એક વિશેષ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.


કઈ બેંકના ખાતામાં કેટલી રકમ બિનવારસી


બિનવારસી રકમ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચ પર છે, SBIના ખાતામાં 8,086 કરોડની ડિપોઝીટ પડી છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક રૂ. 5,340 કરોડ, કેનેરા બેંક રૂ. 4,558 કરોડ, અને બેંક ઓફ બરોડાના ખાતામાં રૂ. 3,904 કરોડની રકમ જમા છે.


બિનવારસી રકમ કોને કહેવાય?


બેંકોમાં જમા કરાવેલી ડિપોઝીટ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે અને તેના પર કોઈ દાવો ન કરે તેવી રકમને બિનવારસી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે બેંકના ખાતાધારકનું મોત થઈ ગયું હોય કે પછી તેઓ વિદેશમાં સ્થાયી થયેલા લોકોની રકમના કોઈ દાવેદાર હોતા નથી. કેટલાક કેસમાં નોમિની કે કાયદેસરનો કોઈ વારસદાર ન હોવાથી પણ બેંકો પણ સાચા દાવેદારને શોધી શકતી નથી. આ કારણે અંતે દેશની તમામ બેંકોના ખાતામાં જમા 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમને આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંકો દ્વારા રિઝર્વ બેંક (RBI)ને સુપ્રત કરવામાં આવી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.