લ્યો બોલો! દેશની બેંકોમાં જમા રૂ.35000 કરોડની રકમ છે નધણિયાત, SBI ખાતામાં સૌથી વધુ ડિપોઝિટ બિનવારસી


  • Published By :
  • Published Date : 2023-05-10 18:01:43

બેંકોમાં બિનવારસી પડેલી જંગી રકમને લઈને સરકાર મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. FSDCની બેઠકમાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં દાવો ન કરાયેલી રકમ સંબંધિત લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે બેંકોમાં આવી 35,000 રૂપિયાની દાવા વગરની રકમ જમા છે, જેના માટે કોઈ દાવેદાર આગળ આવ્યો નથી. દેશમાં 10.24 કરોડ લોકો એવા છે જેમના પૈસા સરકાર પાસે પડ્યા છે, તેઓ આ રકમ અંગે ભૂલી ગયા છે અને તે અંગે દાવો પણ નથી કર્યો.


નાણામંત્રીની બેઠકમાં લેવાયો આ નિર્ણય


નાણામંત્રી નિર્મલા સીતારમણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની તાજેતરની બેઠકમાં નિયમનકારો(રેગ્યુલેટર્સે)એ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્સ્યોરન્સ વગેરેના રૂપમાં દાવો ન કરેલી રકમની પતાવટ માટે એક વિશેષ અભિયાન શરૂ કરવા જણાવ્યું હતું.


કઈ બેંકના ખાતામાં કેટલી રકમ બિનવારસી


બિનવારસી રકમ મામલે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોચ પર છે, SBIના ખાતામાં 8,086 કરોડની ડિપોઝીટ પડી છે, ત્યારબાદ પંજાબ નેશનલ બેંક રૂ. 5,340 કરોડ, કેનેરા બેંક રૂ. 4,558 કરોડ, અને બેંક ઓફ બરોડાના ખાતામાં રૂ. 3,904 કરોડની રકમ જમા છે.


બિનવારસી રકમ કોને કહેવાય?


બેંકોમાં જમા કરાવેલી ડિપોઝીટ 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે અને તેના પર કોઈ દાવો ન કરે તેવી રકમને બિનવારસી કહેવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે બેંકના ખાતાધારકનું મોત થઈ ગયું હોય કે પછી તેઓ વિદેશમાં સ્થાયી થયેલા લોકોની રકમના કોઈ દાવેદાર હોતા નથી. કેટલાક કેસમાં નોમિની કે કાયદેસરનો કોઈ વારસદાર ન હોવાથી પણ બેંકો પણ સાચા દાવેદારને શોધી શકતી નથી. આ કારણે અંતે દેશની તમામ બેંકોના ખાતામાં જમા 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમને આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંકો દ્વારા રિઝર્વ બેંક (RBI)ને સુપ્રત કરવામાં આવી હતી.



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.