ચંડોળા તળાવમાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનો તોડાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-21 11:20:35

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે. 

Operation Chandola Lake: Demolition continues, Bangladeshis who fled  Ahmedabad nabbed in Vadodara | Operation Chandola Lake Demolition continues  Bangladeshis held in Vadodara - Gujarat Samachar

ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ ૨ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સીરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દયિકે , ચંડોળા તળાવમાં નાની મોટી ૯ મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે હવે , તેમને હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરુ થઈ ચુકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે . જેમ કે , શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ શાહઆલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   

Ahmedabad Demolition: Massive Drive Against Illegal Bangladeshi Settlements  | Ahmedabad News - The Times of India

અમદાવાદના ઇતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં ૩૫ હીટાચી મશીન , 15 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી ૮૫૦૦ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા . જોકે ગયિકાલે સતત ગરમીના કારણે હીટાચી મશીન બગાડ્યા હતા તેના કારણે સમય વેડફાયો હતો .વાત કરીએ ચંડોળા તળાવની તો તે બે ભાગમાં વહેંચાયેલું  છે . છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ . છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન . છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર વિસ્તાર આવેલો છે.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.