ચંડોળા તળાવમાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનો તોડાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-21 11:20:35

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે. 

Operation Chandola Lake: Demolition continues, Bangladeshis who fled  Ahmedabad nabbed in Vadodara | Operation Chandola Lake Demolition continues  Bangladeshis held in Vadodara - Gujarat Samachar

ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ ૨ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સીરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દયિકે , ચંડોળા તળાવમાં નાની મોટી ૯ મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે હવે , તેમને હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરુ થઈ ચુકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે . જેમ કે , શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ શાહઆલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   

Ahmedabad Demolition: Massive Drive Against Illegal Bangladeshi Settlements  | Ahmedabad News - The Times of India

અમદાવાદના ઇતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં ૩૫ હીટાચી મશીન , 15 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી ૮૫૦૦ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા . જોકે ગયિકાલે સતત ગરમીના કારણે હીટાચી મશીન બગાડ્યા હતા તેના કારણે સમય વેડફાયો હતો .વાત કરીએ ચંડોળા તળાવની તો તે બે ભાગમાં વહેંચાયેલું  છે . છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ . છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન . છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર વિસ્તાર આવેલો છે.



ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.