ચંડોળા તળાવમાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનો તોડાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-21 11:20:35

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે. 

Operation Chandola Lake: Demolition continues, Bangladeshis who fled  Ahmedabad nabbed in Vadodara | Operation Chandola Lake Demolition continues  Bangladeshis held in Vadodara - Gujarat Samachar

ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ ૨ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સીરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દયિકે , ચંડોળા તળાવમાં નાની મોટી ૯ મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે હવે , તેમને હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરુ થઈ ચુકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે . જેમ કે , શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ શાહઆલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   

Ahmedabad Demolition: Massive Drive Against Illegal Bangladeshi Settlements  | Ahmedabad News - The Times of India

અમદાવાદના ઇતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં ૩૫ હીટાચી મશીન , 15 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી ૮૫૦૦ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા . જોકે ગયિકાલે સતત ગરમીના કારણે હીટાચી મશીન બગાડ્યા હતા તેના કારણે સમય વેડફાયો હતો .વાત કરીએ ચંડોળા તળાવની તો તે બે ભાગમાં વહેંચાયેલું  છે . છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ . છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન . છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર વિસ્તાર આવેલો છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.