ચંડોળા તળાવમાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનો તોડાયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-21 11:20:35

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ 2ના મેગા ડિમોલિશન વિશે. 

Operation Chandola Lake: Demolition continues, Bangladeshis who fled  Ahmedabad nabbed in Vadodara | Operation Chandola Lake Demolition continues  Bangladeshis held in Vadodara - Gujarat Samachar

ચંડોળા તળાવ કે જ્યાં ફેઝ ૨ની ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. હવે આજે ડિમોલિશનની કામગીરી અંતર્ગત ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે ચંડોળા તળાવના સીરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને તોડી પાડવામાં આવી છે. આ પછી લલ્લુ બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દયિકે , ચંડોળા તળાવમાં નાની મોટી ૯ મસ્જિદો આવેલી છે. આ તમામ મસ્જિદો ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવી છે હવે , તેમને હટાવવાની કામગીરી આજ વહેલી સવારથી જ શરુ થઈ ચુકી છે. સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ખુબ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં હાજર છે . જેમ કે , શાહ આલમથી નારોલ PWD ઓફિસ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ શાહઆલમ પાસે આવેલી હજરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.   

Ahmedabad Demolition: Massive Drive Against Illegal Bangladeshi Settlements  | Ahmedabad News - The Times of India

અમદાવાદના ઇતિહાસના આ સૌથી મોટા ડિમોલિશનમાં ૩૫ હીટાચી મશીન , 15 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ આધુનિક મશીનોની મદદથી ૮૫૦૦ નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા . જોકે ગયિકાલે સતત ગરમીના કારણે હીટાચી મશીન બગાડ્યા હતા તેના કારણે સમય વેડફાયો હતો .વાત કરીએ ચંડોળા તળાવની તો તે બે ભાગમાં વહેંચાયેલું  છે . છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ . છોટા ચંડોળા તળાવમાં ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન . છોટા ચંડોળા તળાવ ઇસનપુર વિસ્તારમાં આવેલું છે. અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ઇસનપુર સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફ જતા રોડ પર વિસ્તાર આવેલો છે.



ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.

ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .

પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ફરી એકવાર સમાચારોમાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારકાની મુલાકત લઈને તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન રાજકોટ બાયપાસ હાઇવે પર તેમના સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે આ રૂટ બદલાયો હતો જેના કારણે , રાજ્યપાલ આનંદીબેન પટેલ ભારે નારાજ થયા છે. ચર્ચાઓ એવી ચાલી રહી છે કે , રાજકોટના MLA ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા માટે આ રૂટ બદલાયો હતો .