દેશમાં બેરોજગારીનો દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેકારો


  • Published By :
  • Published Date : 2023-04-04 18:27:15

કેન્દ્ર સરકારની પાંચ ટ્રિલિયનની ઈકોનોમીની વાતો વચ્ચે દેશમાં બેરોજગારીનું ચિત્ર ભયાવહ બન્યું છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. CMIEના તાજેતરનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો છે. આ બેકારી દર ત્રણ મહિનાના સમયગાળામાં સર્વોચ્ચ સ્તરે છે. 


બેરોજગારીનું ભયાવહ ચિત્ર


CMIEના રિપોર્ટ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.4 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકાએ પહોંચ્યો છે. CMIEના ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો. આની અસર લેબર ફોર્સ સહભાગીદારી દર પર પણ પડી હતી, લેબર ફોર્સ  પાર્ટીશિપેશન 39.9 ટકાથી ઘટીને 39.8 ટકા રહી ગઈ હતી. આ કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. રોજગારી  40.9 કરોડથી ઘટીને 40.760 કરોડ થઈ ગઈ છે.


હરિયાણામાં સૌથી વધુ બેકારી


દેશના વિવિધ રાજ્યોમાં બેરોજગારી દર પર એક નજર કરીએ તો હરિયાણામાં સૌથી વધુ (26.8 ટકા), ત્યાર બાદ રાજસ્થાન (26.4 ટકા)  જમ્મુ કશ્મિર (23.1 ટકા), સિક્કિમ  (20.7 ટકા), બિહાર (17.6 ટકા) , અને ઝારખંડ (17.5 ટકા) છે. જ્યારે બેરોજગારીનો સૌથી નીચો દર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જોવા મળ્યો, ત્યાર બાદ પોંડિચેરી, ગુજરાત,કર્ણાટક, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. 


નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી


દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ અર્થતંત્રના નિષ્ણાતો ચિંતિંત છે. પ્રાઈવેટ સેક્ટર સાવધાનીથી આગળ વધી રહ્યું છે જેના કારણે રોજગારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિકસ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.