દેશમાં બેરોજગારીનો દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેકારો


  • Published By :
  • Published Date : 2023-04-04 18:27:15

કેન્દ્ર સરકારની પાંચ ટ્રિલિયનની ઈકોનોમીની વાતો વચ્ચે દેશમાં બેરોજગારીનું ચિત્ર ભયાવહ બન્યું છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. CMIEના તાજેતરનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો છે. આ બેકારી દર ત્રણ મહિનાના સમયગાળામાં સર્વોચ્ચ સ્તરે છે. 


બેરોજગારીનું ભયાવહ ચિત્ર


CMIEના રિપોર્ટ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.4 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકાએ પહોંચ્યો છે. CMIEના ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો. આની અસર લેબર ફોર્સ સહભાગીદારી દર પર પણ પડી હતી, લેબર ફોર્સ  પાર્ટીશિપેશન 39.9 ટકાથી ઘટીને 39.8 ટકા રહી ગઈ હતી. આ કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. રોજગારી  40.9 કરોડથી ઘટીને 40.760 કરોડ થઈ ગઈ છે.


હરિયાણામાં સૌથી વધુ બેકારી


દેશના વિવિધ રાજ્યોમાં બેરોજગારી દર પર એક નજર કરીએ તો હરિયાણામાં સૌથી વધુ (26.8 ટકા), ત્યાર બાદ રાજસ્થાન (26.4 ટકા)  જમ્મુ કશ્મિર (23.1 ટકા), સિક્કિમ  (20.7 ટકા), બિહાર (17.6 ટકા) , અને ઝારખંડ (17.5 ટકા) છે. જ્યારે બેરોજગારીનો સૌથી નીચો દર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જોવા મળ્યો, ત્યાર બાદ પોંડિચેરી, ગુજરાત,કર્ણાટક, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. 


નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી


દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ અર્થતંત્રના નિષ્ણાતો ચિંતિંત છે. પ્રાઈવેટ સેક્ટર સાવધાનીથી આગળ વધી રહ્યું છે જેના કારણે રોજગારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિકસ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.