દેશમાં બેરોજગારીનો દર ત્રણ મહિનાના સર્વોચ્ચ સ્તરે, હરિયાણા અને રાજસ્થાનમાં સૌથી વધુ બેકારો


  • Published By :
  • Published Date : 2023-04-04 18:27:15

કેન્દ્ર સરકારની પાંચ ટ્રિલિયનની ઈકોનોમીની વાતો વચ્ચે દેશમાં બેરોજગારીનું ચિત્ર ભયાવહ બન્યું છે. દેશમાં બેરોજગારી સતત વધી રહી છે, મુંબઈ સ્થિત સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. CMIEના તાજેતરનું વિશ્લેષણ દર્શાવે છે કે દેશમાં બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો છે. આ બેકારી દર ત્રણ મહિનાના સમયગાળામાં સર્વોચ્ચ સ્તરે છે. 


બેરોજગારીનું ભયાવહ ચિત્ર


CMIEના રિપોર્ટ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારી દર 8.4 ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકાએ પહોંચ્યો છે. CMIEના ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ ખુબ જ ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું. બેરોજગારીનો દર ફેબ્રુઆરીમાં 7.5 ટકાથી વધીને માર્ચમાં 7.8 ટકા થઈ ગયો. આની અસર લેબર ફોર્સ સહભાગીદારી દર પર પણ પડી હતી, લેબર ફોર્સ  પાર્ટીશિપેશન 39.9 ટકાથી ઘટીને 39.8 ટકા રહી ગઈ હતી. આ કારણે રોજગાર દર ફેબ્રુઆરીમાં 36.9 ટકાથી ઘટીને માર્ચમાં 36.7 ટકા થઈ ગયો છે. રોજગારી  40.9 કરોડથી ઘટીને 40.760 કરોડ થઈ ગઈ છે.


હરિયાણામાં સૌથી વધુ બેકારી


દેશના વિવિધ રાજ્યોમાં બેરોજગારી દર પર એક નજર કરીએ તો હરિયાણામાં સૌથી વધુ (26.8 ટકા), ત્યાર બાદ રાજસ્થાન (26.4 ટકા)  જમ્મુ કશ્મિર (23.1 ટકા), સિક્કિમ  (20.7 ટકા), બિહાર (17.6 ટકા) , અને ઝારખંડ (17.5 ટકા) છે. જ્યારે બેરોજગારીનો સૌથી નીચો દર ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં જોવા મળ્યો, ત્યાર બાદ પોંડિચેરી, ગુજરાત,કર્ણાટક, મેઘાલય અને ઓડિશાનો નંબર આવે છે. 


નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી


દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈ અર્થતંત્રના નિષ્ણાતો ચિંતિંત છે. પ્રાઈવેટ સેક્ટર સાવધાનીથી આગળ વધી રહ્યું છે જેના કારણે રોજગારમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિકસ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.