કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વનો નિર્ણય, આ કૃષિ પાકના ટેકાના ભાવમાં કર્યો વધારો


  • Published By :
  • Published Date : 2023-06-07 15:48:52

કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં આજે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. કઠોળની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને દેશમાં ઉત્પાદન વધારવા માટે, મોદી સરકારે MSP એટલે કે તુવેર, મગ અને અડદની દાળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. તુવેર દાળની MSP 400 રૂપિયા વધારીને 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. અડદની દાળની MSP પણ 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. મગની MSP 10.4 ટકા વધારીને રૂ. 7755 થી રૂ. 8558 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, જેઓ વધુ કઠોળની વાવણી કરવા પ્રેરિત થશે અને ઉપજના ઊંચા ભાવ મળશે. 


ટેકાના ભાવ માટે થઈ હતી રજુઆત


દેશના વેપારીઓ અને મિલરોએ સરકારને અડદના MSPમાં વધારો કરવાની માંગ કરી હતી જેથી કરીને દેશમાં અડદ દાળનું વધુ ઉત્પાદન થઈ શકે. છેલ્લા કેટલાક મહિનામાં અડદ દાળના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. હાલમાં તુવેર દાળની MSP મગ દાળના SSP કરતા 7755 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઓછી છે. દેશમાં અડદ દાળના વપરાશને પહોંચી વળવા માટે, સ્થાનિક બજારમાં વધતા ભાવને રોકવા માટે સરકારે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે તુવેર દાળનો વધારાનો જથ્થો આયાત કર્યો છે. કેન્દ્રિય કેબિનેટે 2023-24 માર્કેટિંગ સીઝન માટે ડાંગર (સામાન્ય) જેવા અન્ય ખરીફ પાકોની MSP 2040 રૂપિયાથી વધારીને 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. ગ્રેડ A ડાંગરની MSP 2060 રૂપિયાથી વધારીને 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.


કઠોળના ઉત્પાદનને મળશે પ્રોત્સાહન 


કેન્દ્ર સરકારે મંગળવારે, 6 જૂન, 2023 ના રોજ, દેશમાં કઠોળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે એક મોટી જાહેરાત કરી હતી. પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ, સરકારે વર્ષ 2023-24 માટે તુવેર, અડદ અને મસૂર કઠોળની ખરીદી માટે 40 ટકાની મર્યાદા નાબૂદ કરી છે. હવે ખેડૂતો પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ) હેઠળ સરકારને ગમે તેટલું કઠોળ વેચી શકે છે. સરકારના આ નિર્ણય બાદ આ ખરીફ સિઝન અને આગામી રવી સિઝનમાં આ કઠોળની વાવણી વધવાની આશા છે. કઠોળનું ઉત્પાદન વધારવા માટે ગ્રાહક બાબતોના મંત્રાલયે આ દિશામાં સૂચનાઓ જારી કરી છે. આ સાથે, ખેડૂતોને ખાતરી આપવામાં આવશે કે તેમની ઉપજ એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કોઈપણ મર્યાદા વિના ખરીદવામાં આવશે. MSP પર કઠોળ ખરીદવાની સરકારની આ ખાતરી બાદ ખેડૂતોને ખરીફ રવિ સિઝનમાં વધુ વિસ્તારમાં અરહર, અડદ અને મગની દાળની વાવણી કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. વાસ્તવમાં, સીએસીપી (કમિશન ઓફ એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ) એ આ ખરીફ માર્કેટિંગ સિઝનમાં ડાંગર, રાગી, મકાઈ, અરહર, મગ અને અડદના એમએસપીમાં 3 થી 8 ટકાનો વધારો કરવાની સરકારને ભલામણ કરી હતી.




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.