દેશના તમામ IITમાં 4502, IIMમાં 493 જ્યારે સેન્ટ્રરલ યુનિ.માં 6180 ફેકલ્ટીની જગ્યા ખાલી


  • Published By :
  • Published Date : 2022-12-13 15:56:49

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ IIT અને IIM પણ ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટેકનિકલ એજ્યુકેશન માટે સ્થાપિત તમામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે IITમાં  4502 જગ્યાઓ ખાલી છે. તે જ પ્રકારે દેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે બનેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMમાં પણ 493 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 33 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 


કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં  6180 જગ્યા ખાલી


સંસદ સભ્ય રવિકુમારે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવ્યું કે શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આવતી 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં નિયમિત રીતે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો કે તેમ છતાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી  6180 જગ્યાઓ ખાલી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.