દેશના તમામ IITમાં 4502, IIMમાં 493 જ્યારે સેન્ટ્રરલ યુનિ.માં 6180 ફેકલ્ટીની જગ્યા ખાલી


  • Published By :
  • Published Date : 2022-12-13 15:56:49

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ IIT અને IIM પણ ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટેકનિકલ એજ્યુકેશન માટે સ્થાપિત તમામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે IITમાં  4502 જગ્યાઓ ખાલી છે. તે જ પ્રકારે દેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે બનેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMમાં પણ 493 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 33 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 


કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં  6180 જગ્યા ખાલી


સંસદ સભ્ય રવિકુમારે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવ્યું કે શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આવતી 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં નિયમિત રીતે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો કે તેમ છતાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી  6180 જગ્યાઓ ખાલી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.