દેશના તમામ IITમાં 4502, IIMમાં 493 જ્યારે સેન્ટ્રરલ યુનિ.માં 6180 ફેકલ્ટીની જગ્યા ખાલી


  • Published By :
  • Published Date : 2022-12-13 15:56:49

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓ IIT અને IIM પણ ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં ટેકનિકલ એજ્યુકેશન માટે સ્થાપિત તમામ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે IITમાં  4502 જગ્યાઓ ખાલી છે. તે જ પ્રકારે દેશમાં મેનેજમેન્ટના અભ્યાસ માટે બનેલા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIMમાં પણ 493 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. દેશની તમામ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 33 ટકાથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 


કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં  6180 જગ્યા ખાલી


સંસદ સભ્ય રવિકુમારે પૂછેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જણાવ્યું કે શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ આવતી 45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં નિયમિત રીતે જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો કે તેમ છતાં 1 ડિસેમ્બરથી અત્યાર સુધી  6180 જગ્યાઓ ખાલી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.