અદાણી-હિંડનબર્ગ મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-02-14 13:00:15

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને નિશાન બનાવીને વિપક્ષો આક્રમક બન્યા છે.  દેશભરમાં  વિપક્ષી નેતાઓ ભાજપ અને અદાણી ગ્રુપ સાથેની સાંઠગાઠને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ સંસદમાં અદાણી મુદ્દે કોઈ નિવેદન ન આપતા સરકારનું વલણ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌપ્રથમ નિવેદન આપ્યું છે. 


શું કહ્યું અમિત શાહે?


અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલે તેમણે કહ્યું હતું કે "સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. જો કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈ પણ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, પરંતુ આમાં ભાજપ માટે છૂપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે."


2024માં ભાજપનો કોઈ હરિફ નથી


એક ન્યુઝ સર્વિસને આપેલા ઈન્ટર્વ્યુંમાં 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે કહ્યું કે તે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ સાથે હરીફાઈમાં નથી. પીએમ મોદીને જનતાનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. દેશની જનતાએ નક્કી કરવાનું છે. અત્યાર સુધીમાં તો લોકસભામાં વિરોધપક્ષનું લેબલ જનતાએ કોઈને આપ્યું નથી. અમિત શાહે દાવો કર્યો હતો કે આ વખતે પણ ત્રિપુરામાં ભાજપની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે અને વોટશેર પણ વધશે.


PFI પર પ્રતિબંધ કેમ?


અમિત શાહે PFI પર પ્રતિબંધ મુદ્દે કહ્યું કે તે સંગઠન દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધારવા માટેનું સંગઠન હતું. એક રીતે તેઓ આતંકવાદીઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યું હતું. તેના કાર્યકરો અને નેતાઓ પર ઘણા કેસ હતા. કોંગ્રેસે તેમને ખતમ કરવાનું કામ કર્યું, જેને કોર્ટે અટકાવી દીધું હતું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો. દેશમાં નક્સલ સમસ્યા મુદ્દે શાહે કહ્યું બિહાર અને ઝારખંડમાં નક્સલવાદી ઉગ્રવાદ લગભગ ખતમ થઈ ગયો છે. મને ખાતરી છે કે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. મને ખાતરી છે કે અમે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પણ આતંકવાદ સંબંધિત તમામ પ્રકારના આંકડા શ્રેષ્ઠ સ્થિતિમાં છે, રાજ્યમાંથી આતંકવાદનો સફાયો થઈ રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.