અદાણી-હિંડનબર્ગ મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-02-14 13:00:15

હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને નિશાન બનાવીને વિપક્ષો આક્રમક બન્યા છે.  દેશભરમાં  વિપક્ષી નેતાઓ ભાજપ અને અદાણી ગ્રુપ સાથેની સાંઠગાઠને લઈ ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ સંસદમાં અદાણી મુદ્દે કોઈ નિવેદન ન આપતા સરકારનું વલણ સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સૌપ્રથમ નિવેદન આપ્યું છે. 


શું કહ્યું અમિત શાહે?


અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિંડનબર્ગ રિપોર્ટના મામલે તેમણે કહ્યું હતું કે "સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. જો કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈ પણ કહેવું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, પરંતુ આમાં ભાજપ માટે છૂપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે."


2024માં ભાજપનો કોઈ હરિફ નથી


એક ન્યુઝ સર્વિસને આપેલા ઈન્ટર્વ્યુંમાં 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી અંગે કહ્યું કે તે ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ સાથે હરીફાઈમાં નથી. પીએમ મોદીને જનતાનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. દેશની જનતાએ નક્કી કરવાનું છે. અત્યાર સુધીમાં તો લોકસભામાં વિરોધપક્ષનું લેબલ જનતાએ કોઈને આપ્યું નથી. અમિત શાહે દાવો કર્યો હતો કે આ વખતે પણ ત્રિપુરામાં ભાજપની સરકાર બનશે. અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ વખતે ભાજપ ગત વખત કરતા વધુ બેઠકો જીતશે અને વોટશેર પણ વધશે.


PFI પર પ્રતિબંધ કેમ?


અમિત શાહે PFI પર પ્રતિબંધ મુદ્દે કહ્યું કે તે સંગઠન દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધારવા માટેનું સંગઠન હતું. એક રીતે તેઓ આતંકવાદીઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યું હતું. તેના કાર્યકરો અને નેતાઓ પર ઘણા કેસ હતા. કોંગ્રેસે તેમને ખતમ કરવાનું કામ કર્યું, જેને કોર્ટે અટકાવી દીધું હતું. અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો. દેશમાં નક્સલ સમસ્યા મુદ્દે શાહે કહ્યું બિહાર અને ઝારખંડમાં નક્સલવાદી ઉગ્રવાદ લગભગ ખતમ થઈ ગયો છે. મને ખાતરી છે કે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. મને ખાતરી છે કે અમે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પણ આતંકવાદ સંબંધિત તમામ પ્રકારના આંકડા શ્રેષ્ઠ સ્થિતિમાં છે, રાજ્યમાંથી આતંકવાદનો સફાયો થઈ રહ્યો છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .