વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુના એક દિવસીય પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:49:28

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આતંકવાદ હુમલામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવાના છે. અમિત શાહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.

   

આતંકીહુમલામાં લોકોના થાય છે મોત 

આતંકીહુમલાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે. થોડા સમય પહેલા જ હિંદુ પરિવારના સભ્યોને મારી નાખ્યા હતા. જે બાદ હુમલાનો વિરોધ કરવા લોકો એકત્રિત થયા હતા. પરંતુ ત્યાં પણ હુમલો થયો હતો જેમાં બાળકીનું મોત થયું હતું. 

jagran


જમ્મુ-કાશ્મીરમાં શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. હુમલા વધવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. આતંકીહુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ મુલાકાત નથી કરવાના. તેઓ ફોન પર જ સભ્યો સાથે વાત કરવાના છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.