વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુના એક દિવસીય પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:49:28

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આતંકવાદ હુમલામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવાના છે. અમિત શાહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.

   

આતંકીહુમલામાં લોકોના થાય છે મોત 

આતંકીહુમલાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે. થોડા સમય પહેલા જ હિંદુ પરિવારના સભ્યોને મારી નાખ્યા હતા. જે બાદ હુમલાનો વિરોધ કરવા લોકો એકત્રિત થયા હતા. પરંતુ ત્યાં પણ હુમલો થયો હતો જેમાં બાળકીનું મોત થયું હતું. 

jagran


જમ્મુ-કાશ્મીરમાં શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. હુમલા વધવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. આતંકીહુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ મુલાકાત નથી કરવાના. તેઓ ફોન પર જ સભ્યો સાથે વાત કરવાના છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.      




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.