વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુના એક દિવસીય પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:49:28

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આતંકવાદ હુમલામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવાના છે. અમિત શાહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.

   

આતંકીહુમલામાં લોકોના થાય છે મોત 

આતંકીહુમલાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે. થોડા સમય પહેલા જ હિંદુ પરિવારના સભ્યોને મારી નાખ્યા હતા. જે બાદ હુમલાનો વિરોધ કરવા લોકો એકત્રિત થયા હતા. પરંતુ ત્યાં પણ હુમલો થયો હતો જેમાં બાળકીનું મોત થયું હતું. 

jagran


જમ્મુ-કાશ્મીરમાં શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. હુમલા વધવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. આતંકીહુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ મુલાકાત નથી કરવાના. તેઓ ફોન પર જ સભ્યો સાથે વાત કરવાના છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.      




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.