વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુના એક દિવસીય પ્રવાસે


  • Published By :
  • Published Date : 2023-01-13 16:49:28

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરીને હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા આતંકી હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. આતંકવાદ હુમલામાં મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત લેવાના છે. અમિત શાહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે.

   

આતંકીહુમલામાં લોકોના થાય છે મોત 

આતંકીહુમલાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. ટાર્ગેટ કરી આતંકવાદીઓ લોકોને મારી રહ્યા છે. થોડા સમય પહેલા જ હિંદુ પરિવારના સભ્યોને મારી નાખ્યા હતા. જે બાદ હુમલાનો વિરોધ કરવા લોકો એકત્રિત થયા હતા. પરંતુ ત્યાં પણ હુમલો થયો હતો જેમાં બાળકીનું મોત થયું હતું. 

jagran


જમ્મુ-કાશ્મીરમાં શાહે યોજી ઉચ્ચસ્તરીય બેઠક

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે. હુમલા વધવાની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવાના છે. આતંકીહુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મળવા જવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ મુલાકાત નથી કરવાના. તેઓ ફોન પર જ સભ્યો સાથે વાત કરવાના છે. સુરક્ષાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.